(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.11: દાદરા નગર હવેલી પોલીસ દ્વારા નવી પહેલ જનતાની સમસ્યાઓના નિકાલ માટે જન સુનાવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સેલવાસ પોલીસ સ્ટેશન અને ખાનવેલ પોલીસ સ્ટેશનમાં એસએચઓની અધ્યક્ષતામાં 149 ફરિયાદો જેવી કે સેલવાસમાં 51 એફઆઈઆર, ખાનવેલમાં 8 એફઆઈઆર નોંધવામાં આવી હતી.
લીગલ એક્શન સેલવાસમાં 10 અને ખાનવેલમાં 5 ફરિયાદનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. પેન્ડીંગ ઈન્ક્વાયરી સેલવાસમાં 30 અને ખાનવેલમાં 4 જેની પણ નોંધણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સક્રિય રૂપે જાહેર જનતાએ ભાગ લીધો હતો અને આવા કાર્યક્રમના સંચાલન માટે પોલીસ વિભાગનોઆભાર વ્યક્ત કર્યો હતો. આ અવસરે સેલવાસના એસ.એચ.ઓ. શ્રી અનિલ ટી.કે., ખાનવેલના એસ.એચ.ઓ. શ્રી જીગ્નેશ પટેલ સહિત દરેક ચોકીના પ્રભારીઓ ઉપસ્થિત રહ્યા હતા.