September 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી-વલસાડ રેલવે લાઈન વચ્ચે બે અકસ્માત સર્જાયા: સરોધી નજીક અજાણ્‍યાએ આપઘાત કર્યો : વલસાડ સ્‍ટેશને યુવાન પટકાયો

વાપીથી સયાજીનગરીમાં સુરત જઈ રહેલો દેવેન્‍દ્ર રાજપૂત ટ્રેનમાં ચઢવા જતા પટકાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: વાપી, વલસાડ વચ્‍ચે વિતેલા 24 કલાકમાં રેલવે અકસ્‍માતના બે બનાવો પોલીસ દફતરે નોંધાયા છે. વલસાડ-સરોધી નજીક અજાણ્‍યા યુવકે ટ્રેનમાં પડતુ મુકી આપઘાત કર્યો હતો જ્‍યારે વલસાડ સ્‍ટેશન ઉપર ટ્રેનમાં ચઢવા જતા યુવક પટકાતા ગંભીર રીતે ઘાયલ થતા સિવિલમાં સારવાર માટે ખસેડાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ સરોધી નજીક રેલવે ટ્રેક ઉપર અજાણ્‍યા યુવકની ડેથ બોડી પડી હતી તેની જાણ પાયલોટે પોલીસને કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તારણમાં એવું જણાયું છે કે, કોઈ સ્‍થાનિક યુવાન છે તેની પાસેથી કોઈ ઓળખના પુરાવા મળ્‍યા નથી તેથી વાલી-વારસોએ નજીકના પો.સ્‍ટે.નો સંપર્ક કરવા જણાવાયું છે. બીજા બનાવમાં વાપીથી સયાજી નગરી ટ્રેનમાં સુરત જવા નિકળેલો યુવાન દેવેન્‍દ્ર રાજપૂત વલસાડ પ્‍લેટફોર્મઉપર ઉતર્યો હતો. ટ્રેન ચાલુ થઈ જતા કોચ પકડવા જતા નીચે પટકાતા ગરકાવ થયો હતો. અકસ્‍માતમાં ગંભીર ઈજા પહોંચતા વલસાડ સિવિલમાં સારવાર માટે ખસેડાયો હતો. ડો.દિલીકાબેનએ પોલીસને જાણ કરતા પોલીસે નોંધ કરી વાલી વારસોની તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, સયાજીનગરી ટ્રેનમાં અપ-ડાઉનની વધુ ભીડ થતી હોવાથી અકસ્‍માત અવાર-નવાર બનતા રહે છે.

Related posts

વલસાડ જિલ્લામાં રૂ. 3.33 કરોડના ખર્ચે 18 એમ્બ્યુલન્સનું નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને પાણી પુરવઠા મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીની ઉપસ્થિતમાં લોકાર્પણ

vartmanpravah

વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ ગામડાઓ ખૂંદીને ચોથા દિવસે વલસાડ શહેરમાં આવી પહોંચ્યો

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે અયપ્‍પા મંદિરના ‘પ્રતિષ્‍ઠા દિનમ મહોત્‍સવ’માં લીધેલો ભાગ

vartmanpravah

શ્રી સરદાર પટેલ યુવા મંડળ વાપી દ્વારા નૂતન નગરમાં બનાવેલ ગાર્ડનનું નામકરણ અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા મુકવા બાબતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈને રજૂઆત કરાઈ

vartmanpravah

દાનહ ભાજપ નરોલી મંડળના પ્રમુખ યોગેશસિંહ સોલંકીએ પ્રશાસક સમક્ષ ખેડૂતોની સમસ્‍યાના ઉકેલ માટે કરેલી માંગણી

vartmanpravah

પૂ.મોરારીબાપુના હસ્તે ધરમપુરના ભગવતાચાર્ય શ્રી શરદભાઇ વ્યાસને “વ્યાસ એવૉર્ડ” અર્પણ

vartmanpravah

Leave a Comment