March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ ભાજપ નરોલી મંડળના પ્રમુખ યોગેશસિંહ સોલંકીએ પ્રશાસક સમક્ષ ખેડૂતોની સમસ્‍યાના ઉકેલ માટે કરેલી માંગણી

નરોલી સહિત સમગ્ર દાનહને પ્રાકૃત્તિક ખેતી તરફ વાળવા પ્રશાસનને યોગ્‍ય પહેલ કરવા પણ કરેલી અરજ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.14
દાનહ ભાજપના નરોલી મંડળના પ્રમુખ શ્રી યોગેશસિંહ સોલંકીએ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને ખેડૂતોની સમસ્‍યાના ઉકેલ માટે યોગ્‍ય કાર્યવાહી કરવા અરજ કરી છે. તેમણે પ્રશાસકશ્રીને લખેલા પત્રમાં જણાવ્‍યું છે કે, વરસાદની ઋતુ શરૂ થઈ ગઈ છે ત્‍યારે ખેડૂતોને ખેતી માટે બિયારણ અને ખાતરની જોગવાઈ સમયમર્યાદામાં કરવા તંત્રને નિર્દેશ આપવા માંગ કરી છે.
શ્રી યોગેશસિંહ સોલંકીએ સબમિશન એગ્રીકલ્‍ચર મિકેનિઝમ યોજનાના પ્રસ્‍તાવ ઉપર મહોર મારી પાવર ટ્રેલર, મોટા ટ્રેક્‍ટર, કલ્‍ટીવેટર, રોટરી, નાનાં ટ્રેક્‍ટર વગેરેની સુવિધા ખેડૂતોને સરળતાથી મળે તેવી વ્‍યવસ્‍થા કરવા પણ માંગણી કરી છે. તેમણેખેડૂતોને આંબા કલમ, નેટ હાઉસ, પોલી હાઉસ વગેરે બનાવવા જરૂરી સહાય ઉપલબ્‍ધ કરાવવા પણ માંગણી કરી છે.
નરોલી મંડળ ભાજપ પ્રમુખ શ્રી યોગેશસિંહ સોલંકીના જણાવ્‍યા પ્રમાણે નરોલી સહિત સમગ્ર દાદરા નગર હવેલીમાં પ્રાકૃત્તિક ખેતી માટે ખુબ સારી તકો છે. પ્રદેશના કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને પ્રોત્‍સાહિત કરવામાં આવે તો સમગ્ર દાદરા નગર હવેલી પ્રાકૃત્તિક ખેતી તરફ વળી શકે તેવી લાગણી દર્શાવવાની સાથે તેમણે પ્રશાસકશ્રીને સ્‍વયં આ મુદ્દે રસ લેવા આગ્રહભરી વિનંતી પણ કરી છે.

Related posts

પિપરિયા પર હુમલો,  પોર્ટુગીઝોના અત્‍યાચારી રાજ્‍યમાં રહેલા નાગરિકોને સંઘના સ્‍વયંસેવકોના આદર્શ વ્‍યવહારની કલ્‍પના આવે પણ કેવી રીતે?

vartmanpravah

સેલવાસ કોર્ટ દ્વારા આરોપીને દોષી ઠરાવ્‍યો

vartmanpravah

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય SC-ST હબ યોજનાની સફળતાની પ્રશંસા કરી

vartmanpravah

આજે સંઘપ્રદેશ ભાજપના નવનિયુક્‍ત રાષ્‍ટ્રીય પ્રભારી વિનોદ સોનકરનું થનારૂં દમણ આગમન

vartmanpravah

દમણ શહેરના વોર્ડ નં.11માં ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલની ચૂંટણીસભામાં કરાયો જીતનો જય જયકાર

vartmanpravah

દાનહના સાંસદ અને કલેક્‍ટર સમક્ષ કરેલી રજૂઆતમાં સેલવાસ ન.પા.ના વોર્ડ નં.3ના સભ્‍ય સુમનભાઈ પટેલની હૈયાવરાળ : સેલવાસ શહેરમાં લોકોને પડતી મુશ્‍કેલીઓ જલ્‍દીથી દુર કરો

vartmanpravah

Leave a Comment