Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી વેજલપોર ખાતે મરાઠી પ્રાથમિક શાળામાં બેંક ઓફ બરોડા દ્વારા ચિત્રકલા સ્‍પધાનું કરવામાં આવેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.22: આજરોજ મરાઠી પ્રાથમિક શાળા મારુતિ નગર વેજલપુર ખાતે બેન્‍ક ઓફ બરોડા સયાજી રોડ બ્રાન્‍ચ દ્વારા ચિત્રકલા પ્રતિયોગીતાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સેવ ટ્રી પ્‍લાસ્‍ટિક મુક્‍ત ભારત અને સર્વ ધર્મ સમભાવ વિષય પર ચિત્રકલા સ્‍પર્ધા યોજવામાં આવી હતી. જેમાં શાળાના લગભગ 250 વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. જે બધા જ વિદ્યાર્થીઓને બેન્‍ક ઓફ બરોડા સયાજી રોડબ્રાન્‍ચ દ્વારા ચિત્રકલા માટે લાગતું સાહિત્‍ય આપવામાં આવ્‍યું હતું. વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પ્રોત્‍સાહન આપવામાં આવ્‍યું હતું. ચિત્ર માટે પ્રથમ ક્રમાંક, દ્વિતીય ક્રમાંક અને તૃતીય ક્રમાંકના વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ ચિત્ર સ્‍પર્ધા પ્રસંગે શ્રી અમર સાવ વરિષ્‍ઠ પ્રબંધક બેન્‍ક ઓફ બરોડા અંચલ, બેન્‍ક ઓફ બરોડા નવસારીના વરિષ્ઠ પ્રબંધક પોમિલા ગોયત, સયાજી રોડ બ્રાન્‍ચના બ્રાન્‍ચ મેનેજર શ્રી પ્રિન્‍સી કથુરીયા તથા શ્રી હિતેશ ભાવસાર ઉપસ્‍થિત રહ્યા હતા. જેમને વિદ્યાર્થીઓને અલગ અલગ વિષય પર માર્ગદર્શન આપ્‍યું હતું. સમગ્ર વિદ્યાર્થીઓએ આનંદની લાગણી વ્‍યક્‍ત કરી બેંક ઓફ બરોડા સયાજી રોડ બ્રાન્‍ચ દ્વારા અવારનવાર વિદ્યાર્થીઓ માટે સતત પ્રવૃત્તિશીલ રહી છે, અગાઉ પણ બેંક ઓફ બરોડા સયાજી રોડ બ્રાન્‍ચ દ્વારા મરાઠી શાળાને 13 પંખાઓનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. શાળાના આચાર્યશ્રી લલિત નિકમ દ્વારા આભાર માનવામાં આવ્‍યો હતો.

Related posts

માર્ચ એન્‍ડિંગમાં વાપી નગરપાલિકામાં વેરા વસુલાત અભિયાન તેજ : રવિવારે પણ કચેરી ચાલુ રહી

vartmanpravah

દાનહ અને દમણ-દીવ માટે 26 જાન્‍યુ.એ ગૌરવની ઘડીનું થનારૂં સર્જન : સંઘપ્રદેશના ઈતિહાસમાં પહેલી વખત દિલ્‍હીના રાજપથ ઉપર પ્રજાસત્તાક દિવસે યોજાતી પરેડમાં દમણ-દીવના ટેબ્‍લોને મળેલું સ્‍થાન 

vartmanpravah

રાનકુવામાં ધોળે દિવસે તસ્‍કરોએ બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના સહિત રૂા. 1.89 લાખની મત્તાની કરેલી ચોરી

vartmanpravah

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે દમણ જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્‍ટેડ અને ખાનગી શાળાઓમાં આજે રજા રહેશે

vartmanpravah

વાપી કોળીવાડ ભંગારના ગોડાઉનમાંથી બી.એસ.એન.એલ. ટાવરની બેટરીઓ ઝડપાઈ

vartmanpravah

ધરમપુરમાં મહારક્‍તદાન કેમ્‍પમાં નેત્રદાન-અંગદાન-દેહદાનનો સંકલ્‍પ લેવામાં આવ્‍યો

vartmanpravah

Leave a Comment