April 17, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

શિવસેનાનો ઠાકરે અને દાનહનો ડેલકર પરિવાર એક થયો છે અને તેમની આઈડોલોજી પણ એક છેઃ અભિનવ ડેલકર

  • શિવસેનાના યુવા નેતા આદિત્‍ય ઠાકરેની સેલવાસમાં યોજાયેલી ચૂંટણી પ્રચાર સભા

  • ભારત સરકાર અને સ્‍થાનિક પ્રશાસન સમક્ષ ડેલકર સાહેબ દ્વારા રજૂ કરાયેલી સમસ્‍યાનું નિરાકરણ સંભવ નહીં બન્‍યું હતું: કલાબેન ડેલકરે સમસ્‍યાના નિરાકરણની કોશિષ કરવા આપેલું આશ્વાસન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27
લોકસભાની દાદરા નગર હવેલી બેઠક ઉપર યોજાઈ રહેલી પેટા ચૂંટણી નિમિત્તે આજે શિવસેનાના નેતા શ્રી આદિત્‍ય ઠાકરે, શ્રી સંજય રાઉતની પ્રચાર સભાનું સેલવાસમાં આયોજન કરાયું હતું. જેમાં દાદરા નગર હવેલી શિવસેનાના પ્રમુખ શ્રી અભિનવ ડેલકરે જણાવ્‍યું હતું કે, હવે શિવસેનાનો ઠાકરે પરિવાર અને દાદરા નગર હવેલીનો ડેલકર પરિવાર એક થયો છે અને બંનેની આઈડોલોજી પણ એક હોવાનો દાવો કર્યો હતો.
આ પ્રસંગેશિવસેનાના યુવા નેતા શ્રી આદિત્‍ય ઠાકરેએ પણ જણાવ્‍યું હતું કે, ડેલકર અને ઠાકરે પરિવાર એક થયો છે એટલે દાદરા નગર હવેલી આખો પરિવાર બન્‍યો છે.
આ પ્રસંગે શિવસેનાના ઉમેદવાર શ્રીમતી કલાબેન ડેલકરે જણાવ્‍યું હતું કે, ભારત સરકાર તથા સ્‍થાનિક પ્રશાસન સમક્ષ પણ ડેલકર સાહેબે કરેલી વિવિધ સમસ્‍યાઓનું નિરાકરણ થઈ શક્‍યું નથી. તેમણે જણાવ્‍યું હતું કે, હાલમાં ફરી પાછું 1989નું દાદરા નગર હવેલી બની ગયું હોવાનું દેખાય છે.
આ કાર્યક્રમમાં શિવસેનાના નેતા શ્રી સંજય રાઉત વગેરેએ પણ પોતાનું ઉદ્‌બોધન કર્યું હતું.

Related posts

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે કપરાડાના સુથારપાડા ખાતે રૂ.3.72 કરોડના ખર્ચે નવનિર્મિત સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રનું લોકાર્પણ

vartmanpravah

વાપીની કેમીકલ કંપનીને પ્રદુષણ મામલે જીપીસીબીએ ક્‍લોઝર ફટકારી

vartmanpravah

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના ૨૩મી સપ્ટે.ના રોજ સંઘપ્રદેશમાં થનારા ૩ વર્ષ પૂર્ણ

vartmanpravah

દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશીપ વિમેન્‍સ નાઈટ ફૂટબોલ ટૂર્નામેન્‍ટમાં વાપી એફસી ટીમ ચેમ્‍પિયન

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનના આઈ.એ.એસ. અધિકારીઓના પ્રભારમાં વ્‍યાપક ફેરબદલઃ નાણાં સચિવ ગૌરવસિંહ રાજાવતનું વધેલું કદ

vartmanpravah

દમણનો ઝાંપાબાર વિસ્‍તાર આવતા દિવસોમાં રોટરી સ્‍ક્‍વેર કે રોટરી જંક્‍શન તરીકે પણ ઓળખાઈ શકે છેઃ અપૂર્વ પાઠક-અધ્‍યક્ષ દમણ રોટરી ક્‍લબ

vartmanpravah

Leave a Comment