January 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

શિવસેનાનો ઠાકરે અને દાનહનો ડેલકર પરિવાર એક થયો છે અને તેમની આઈડોલોજી પણ એક છેઃ અભિનવ ડેલકર

  • શિવસેનાના યુવા નેતા આદિત્‍ય ઠાકરેની સેલવાસમાં યોજાયેલી ચૂંટણી પ્રચાર સભા

  • ભારત સરકાર અને સ્‍થાનિક પ્રશાસન સમક્ષ ડેલકર સાહેબ દ્વારા રજૂ કરાયેલી સમસ્‍યાનું નિરાકરણ સંભવ નહીં બન્‍યું હતું: કલાબેન ડેલકરે સમસ્‍યાના નિરાકરણની કોશિષ કરવા આપેલું આશ્વાસન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27
લોકસભાની દાદરા નગર હવેલી બેઠક ઉપર યોજાઈ રહેલી પેટા ચૂંટણી નિમિત્તે આજે શિવસેનાના નેતા શ્રી આદિત્‍ય ઠાકરે, શ્રી સંજય રાઉતની પ્રચાર સભાનું સેલવાસમાં આયોજન કરાયું હતું. જેમાં દાદરા નગર હવેલી શિવસેનાના પ્રમુખ શ્રી અભિનવ ડેલકરે જણાવ્‍યું હતું કે, હવે શિવસેનાનો ઠાકરે પરિવાર અને દાદરા નગર હવેલીનો ડેલકર પરિવાર એક થયો છે અને બંનેની આઈડોલોજી પણ એક હોવાનો દાવો કર્યો હતો.
આ પ્રસંગેશિવસેનાના યુવા નેતા શ્રી આદિત્‍ય ઠાકરેએ પણ જણાવ્‍યું હતું કે, ડેલકર અને ઠાકરે પરિવાર એક થયો છે એટલે દાદરા નગર હવેલી આખો પરિવાર બન્‍યો છે.
આ પ્રસંગે શિવસેનાના ઉમેદવાર શ્રીમતી કલાબેન ડેલકરે જણાવ્‍યું હતું કે, ભારત સરકાર તથા સ્‍થાનિક પ્રશાસન સમક્ષ પણ ડેલકર સાહેબે કરેલી વિવિધ સમસ્‍યાઓનું નિરાકરણ થઈ શક્‍યું નથી. તેમણે જણાવ્‍યું હતું કે, હાલમાં ફરી પાછું 1989નું દાદરા નગર હવેલી બની ગયું હોવાનું દેખાય છે.
આ કાર્યક્રમમાં શિવસેનાના નેતા શ્રી સંજય રાઉત વગેરેએ પણ પોતાનું ઉદ્‌બોધન કર્યું હતું.

Related posts

દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા તા. 8મી માર્ચે આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસના ઉપક્રમે યોજાનારી વિશિષ્‍ટ મહિલા ગ્રામ સભા

vartmanpravah

દાદરા નગર હવેલી ભાજપા એસ.ટી. મોરચા દ્વારા સાયલી ગામના બાળકની નિર્મમ હત્‍યા સંદર્ભે એસ.પી.ને રજુઆત કરાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં દમણમાં ‘વિભાજનની ભયાનકતા’ના સ્‍મરણ દિવસ નિમિત્તે યોજાયેલ મૌન રેલી

vartmanpravah

પારડીના ભરચક વિસ્‍તારમાં કારનો કાચ તોડી બેગ ઉઠાંતરીનો પ્રયાસ

vartmanpravah

ભર બપોરે ઉકળાટના માહોલ વચ્‍ચે વાદળોમાં છવાયો અંધારપટ્ટઃ કડાકા-ભડકા સાથે ધોધમાર વરસાદ

vartmanpravah

સંઘપ્રદેશના પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ સચિવ ગૌરવસિંહ રાજાવતના નેતૃત્‍વમાં દમણવાડા ગ્રા.પં. અંતર્ગત ‘સેલ્‍ફ હેલ્‍પ ગૃપ’ દ્વારા નિર્મિત મશરૂમની ખેતીનું અધિકારીઓએ કરેલું નિરીક્ષણ

vartmanpravah

Leave a Comment