July 17, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

શિવસેનાનો ઠાકરે અને દાનહનો ડેલકર પરિવાર એક થયો છે અને તેમની આઈડોલોજી પણ એક છેઃ અભિનવ ડેલકર

  • શિવસેનાના યુવા નેતા આદિત્‍ય ઠાકરેની સેલવાસમાં યોજાયેલી ચૂંટણી પ્રચાર સભા

  • ભારત સરકાર અને સ્‍થાનિક પ્રશાસન સમક્ષ ડેલકર સાહેબ દ્વારા રજૂ કરાયેલી સમસ્‍યાનું નિરાકરણ સંભવ નહીં બન્‍યું હતું: કલાબેન ડેલકરે સમસ્‍યાના નિરાકરણની કોશિષ કરવા આપેલું આશ્વાસન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27
લોકસભાની દાદરા નગર હવેલી બેઠક ઉપર યોજાઈ રહેલી પેટા ચૂંટણી નિમિત્તે આજે શિવસેનાના નેતા શ્રી આદિત્‍ય ઠાકરે, શ્રી સંજય રાઉતની પ્રચાર સભાનું સેલવાસમાં આયોજન કરાયું હતું. જેમાં દાદરા નગર હવેલી શિવસેનાના પ્રમુખ શ્રી અભિનવ ડેલકરે જણાવ્‍યું હતું કે, હવે શિવસેનાનો ઠાકરે પરિવાર અને દાદરા નગર હવેલીનો ડેલકર પરિવાર એક થયો છે અને બંનેની આઈડોલોજી પણ એક હોવાનો દાવો કર્યો હતો.
આ પ્રસંગેશિવસેનાના યુવા નેતા શ્રી આદિત્‍ય ઠાકરેએ પણ જણાવ્‍યું હતું કે, ડેલકર અને ઠાકરે પરિવાર એક થયો છે એટલે દાદરા નગર હવેલી આખો પરિવાર બન્‍યો છે.
આ પ્રસંગે શિવસેનાના ઉમેદવાર શ્રીમતી કલાબેન ડેલકરે જણાવ્‍યું હતું કે, ભારત સરકાર તથા સ્‍થાનિક પ્રશાસન સમક્ષ પણ ડેલકર સાહેબે કરેલી વિવિધ સમસ્‍યાઓનું નિરાકરણ થઈ શક્‍યું નથી. તેમણે જણાવ્‍યું હતું કે, હાલમાં ફરી પાછું 1989નું દાદરા નગર હવેલી બની ગયું હોવાનું દેખાય છે.
આ કાર્યક્રમમાં શિવસેનાના નેતા શ્રી સંજય રાઉત વગેરેએ પણ પોતાનું ઉદ્‌બોધન કર્યું હતું.

Related posts

મોટાપોંઢા કોલેજમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી

vartmanpravah

ચીખલીના સાદકપોરમાં કેરીના વેપાર માટે જગ્‍યા ભાડે રાખવા એનઓસી આપવા માટે રૂા.1પ હજારની લાંચ લેતા નવસારી એસીબીએ એકને રંગે હાથ ઝડપી લઈ ઈન્‍ચાર્જ સરપંચ સહિત બંનેની કરેલી ધરપકડ

vartmanpravah

વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશમાં સામાજીક સંસ્‍થાઓ પાઠય પુસ્‍તક બેંક કાર્યરત કરવા માટે આગળ આવે

vartmanpravah

ઈનરવ્‍હીલ ક્‍લબ ઓફ વાપી તરફથી ઈનરવ્‍હીલના શતાબ્‍દી વર્ષમાં ત્રણ શાળાઓમાં 100 બેન્‍ચનું દાન અપાયું

vartmanpravah

દાદરાની કંપનીના ગોડાઉનમાંથી પેપર બોર્ડની ચોરીની ઘટનામાં પાંચ આરોપીઓની કરાયેલી ધરપકડ

vartmanpravah

‘દાનહ આદિવાસી એકતા પરિષદનું 31મું મહાસંમેલન આગામી તા.13, 14 અને 15 જાન્‍યુઆરીએ યોજાશે

vartmanpravah

Leave a Comment