-
શિવસેનાના યુવા નેતા આદિત્ય ઠાકરેની સેલવાસમાં યોજાયેલી ચૂંટણી પ્રચાર સભા
-
ભારત સરકાર અને સ્થાનિક પ્રશાસન સમક્ષ ડેલકર સાહેબ દ્વારા રજૂ કરાયેલી સમસ્યાનું નિરાકરણ સંભવ નહીં બન્યું હતું: કલાબેન ડેલકરે સમસ્યાના નિરાકરણની કોશિષ કરવા આપેલું આશ્વાસન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27
લોકસભાની દાદરા નગર હવેલી બેઠક ઉપર યોજાઈ રહેલી પેટા ચૂંટણી નિમિત્તે આજે શિવસેનાના નેતા શ્રી આદિત્ય ઠાકરે, શ્રી સંજય રાઉતની પ્રચાર સભાનું સેલવાસમાં આયોજન કરાયું હતું. જેમાં દાદરા નગર હવેલી શિવસેનાના પ્રમુખ શ્રી અભિનવ ડેલકરે જણાવ્યું હતું કે, હવે શિવસેનાનો ઠાકરે પરિવાર અને દાદરા નગર હવેલીનો ડેલકર પરિવાર એક થયો છે અને બંનેની આઈડોલોજી પણ એક હોવાનો દાવો કર્યો હતો.
આ પ્રસંગેશિવસેનાના યુવા નેતા શ્રી આદિત્ય ઠાકરેએ પણ જણાવ્યું હતું કે, ડેલકર અને ઠાકરે પરિવાર એક થયો છે એટલે દાદરા નગર હવેલી આખો પરિવાર બન્યો છે.
આ પ્રસંગે શિવસેનાના ઉમેદવાર શ્રીમતી કલાબેન ડેલકરે જણાવ્યું હતું કે, ભારત સરકાર તથા સ્થાનિક પ્રશાસન સમક્ષ પણ ડેલકર સાહેબે કરેલી વિવિધ સમસ્યાઓનું નિરાકરણ થઈ શક્યું નથી. તેમણે જણાવ્યું હતું કે, હાલમાં ફરી પાછું 1989નું દાદરા નગર હવેલી બની ગયું હોવાનું દેખાય છે.
આ કાર્યક્રમમાં શિવસેનાના નેતા શ્રી સંજય રાઉત વગેરેએ પણ પોતાનું ઉદ્બોધન કર્યું હતું.