July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં બે દિવસથી આતંક મચાવતો ગાંડોતુર આખલો અંતે પાલિકાએ પાંજરે પુર્યો

ગાયો તેમજ લોકોને ઘાયલ કરતા આખલાથી ડરનો માહોલ છવાઈ ગયો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વલસાડ શહેરમાં છેલ્લા બે દિવસથી એક આખલો ગાંડોતુર બનીને શહેરમાં આતંક મચાવતો રહેતો, આવતા-જતા લોકો અને રખડતી ગાયો ઉપર હુમલો કરી ઘાયલ કરતો તેથી શહેરમાં દહેશતનો માહોલ છવાઈ ગયો હતો. અંતે બે દિવસ બાદ આખલાને પાંજરામાં પુરવારમાં પાલિકા કર્મચારીઓને આજે ગુરૂવારે સફળતા મળી હતી. આખલો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
વલસાડમાં છેલ્લા બે દિવસથી ગાંડો બનેલો આખલો શહેરના લોકો અને ગાયોને રંજાડી રહ્યો હતો. ચોમેર ભયનું વાતાવરણ આખલાએ ખડકી દીધું હતું. પાલિકાના સભ્‍ય જાકીર પઠાણે પાલિકાને આખલા માટે રજૂઆત કરતા અંતે પાલિકા તંત્ર એકશનમાં આવ્‍યું હતું. એન્‍ક્રોચમેન્‍ટ અધિકારી મહેશ ચૌહાણ અને સેનેટરી ઈન્‍સ્‍પેક્‍ટર મુકેશ પટેલ તથા સ્‍થાનિકો અને પાલિકા કર્મચારીઓબે-ત્રણ કલાકની ભારે જહેમત ઉપાડીને પાથરી અને જુજવા ગામ વચ્‍ચે વાંકી નદીના પુલ પાસે આખલાને પાંજરામાં પુરવાની સફળતા મળી હતી. ખાસ કરીને આ ગાંડો આખલો તાંબાવાડ વિસ્‍તારમાં વધુ રંજાડતો હતો. આખલો પાંજરે પુરાતા લોકોએ શાંતિનો શ્વાસ લીધો હતો.

Related posts

આજે વાપીમાં રાજસ્‍થાન પ્રગતિ મંડળ દ્વારા સ્‍વ. મંજુબેન દાયમાની 15મી પુણ્‍યતિથિએ રક્‍તદાન શિબિરનું આયોજન

vartmanpravah

દાનહ વનવિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

ભાદરવા માસમાં વાંસદાના ડેમ ઓવરફલો થતાં આહ્‌લાદક વાતાવરણ સર્જાયું

vartmanpravah

વલસાડ જિલ્લામાં રૂ. 3.33 કરોડના ખર્ચે 18 એમ્બ્યુલન્સનું નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને પાણી પુરવઠા મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીની ઉપસ્થિતમાં લોકાર્પણ

vartmanpravah

સેલવાસ એસ.ટી. ડેપોમાં ઇલેક્‍ટ્રીક બસના ટાયરમાં મહિલા આવી જતાં સારવાર દરમ્‍યાન થયેલું મોત

vartmanpravah

આજે બિન્‍દ્રાબિન ગામે નવનિર્મિત તડકેશ્વર મહાદેવ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા

vartmanpravah

Leave a Comment