April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બગવાડા ટોલનાકા ઉપર ઓલ ઈન્‍ડિયા ટ્રાન્‍સપોર્ટ એસો.એ ટોલ ઘટાડવાની માંગણી સાથે આવેદનપત્ર આપ્‍યું

ટ્રાન્‍સપોર્ટર્સોએ ચીમકી ઉચ્‍ચારી 21 દિવસ સુધીમાં ન્‍યાય નહી મળે તો ઉગ્ર આંદોલન કરીશું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: બગવાડા ટોલનાકા પાસે આજે ઓલ ઈન્‍ડિયા ટ્રાન્‍સપોર્ટ એસોસિએશનના નેજા હેઠળ દિલ્‍હીથી લઈ દક્ષિણ ભારત સુધીના ટ્રાન્‍સપોર્ટ સંચાલકો, હોદ્દેદારો એકત્ર થયા હતા. સરકાર દ્વારા 15 વર્ષ બાદ ટોલ ટેક્ષ 100 ટકાની જગ્‍યાએ 40 ટકા વસુલાશે તેવુ જે તે ટાઈમે બાજપાઈ સરકારમાં નિર્ધારીત કરાયું હતું. જેનો સમય અવધિ વીતિ ગયા બાદ પણ ટ્રાન્‍સપોર્ટર્સને 40 ટકા ટોલમાં રાહત આપવાનો અમલ કરવામાં આવ્‍યો નથી. તેથી દેશભરના 400 ઉપરાંત ટ્રાન્‍સપોર્ટર્સ ટોલનાકા પાસે હોટલ રજવાડીમાં એકઠા થયા હતા અને તેમની માંગણી માટે હાઈવે ઓથોરીટીના અધિકારીઓને આવેદનપત્ર પાઠવ્‍યું હતું.
ઓલ ઈન્‍ડિયા ટ્રાન્‍સપોર્ટ એસોસિએશનની આજે યોજાયેલરાષ્‍ટ્રિય મીટિંગમાં વાપી ટ્રાન્‍સપોર્ટ એસો.ના પ્રમુખ ભરતભાઈ ઠક્કર અને પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ શાહએ મીટિંગમાં જણાવ્‍યું હતું કે, ગુજરાતના 6 જેટલા ટોલનાકાઓ પર રોજની લાખો રૂપિયાની લૂંટ ચલાવાઈ રહી છે. સરકારે જે તે ટાઈમે 15 વર્ષ ટોલ વસુલાશે, ત્‍યારબાદ 40 ટકા ટોલ હાઈવે મેઈન્‍ટેનન્‍સ પેટે ઉઘરાવાશે તેવુ નક્કી કર્યું હતું. તેનો સમય વીતિ ગયો, 15 વર્ષ પુરા થયા પરંતુ 100 ટકા ટોલ વસુલાઈ રહ્યો છે. હાઈવે ઓથોરીટી ઉઘાડી લૂંટ કરી રહી છે. આવેદનપત્રમાં માંગ કરી છે કે દિન 21 સુધી અમારી માંગણી નહી સંતોષાય તો ઉગ્ર આંદોલન સાથે ચક્કાજામ જેવા ઉગ્ર કાર્યક્રમો યોજીશુ તેવી ટ્રાન્‍સપોર્ટર્સએ ચીમકી પણ ઉચ્‍ચારી હતી.

Related posts

વલસાડ જિલ્લામાં રવિ ઋતુનો ડિજિટલ સર્વે અંગે જિલ્લા કલેક્‍ટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને બેઠક મળી

vartmanpravah

દાનહના રખોલીથી શાળાએ જવા નીકળેલ 10 વર્ષિય બાળક ગુમ

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ પર ટ્રકે રિક્ષાને ટક્કર મારતા રીક્ષાનો વળેલો ખુડદોઃ બે યુવાનો ઈજાગ્રસ્‍ત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું ફિજી ખાતે હાઈ કમિશનર પી.એસ.કાર્થિગેયને કરેલું ઉષ્‍માભર્યું અભિવાદન

vartmanpravah

સમસ્‍ત વલસાડ જિલ્લા બ્રાહ્મણના આગેવાનોની મીટિંગ યોજાઈ: ભગવાન શિવ વિશે અપમાનજનક શબ્‍દો ઉચ્‍ચારનાર સ્‍વામિનારાયણના સંત સામેશિવભક્‍તોમાં આક્રોશ

vartmanpravah

વાપી બ્રહ્માકુમારી દ્વારા 8મી માર્ચથી ત્રી ત્રિદિવસ શિવ શક્‍તિ આધ્‍યાત્‍મિક મેળો યોજાશે

vartmanpravah

Leave a Comment