Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નજીક કરમબેલામાં રેલવે દ્વારા કાર્યરત કરાયેલ કન્‍ટેનર ગુડ્‍ઝ યાર્ડ સેવા નિષ્‍ફળતાના આરે

રેલવેની સહયોગી સંસ્‍થા કન્‍ટેનર કોર્પોરેશન ઓફ ઈન્‍ડીયા દ્વારા 2018-19માં આ સેવા કાર્યરત કરવામાં આવી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપી-વલસાડ અને સંઘપ્રદેશના ઉદ્યોગો માટે પોર્ટ ઉપર પહોંચાડવા માટે કન્‍ટેનર સેવા રેલવે સહયોગી સંસ્‍થા કન્‍ટેનર કોર્પોરેશન દ્વારા કરમબેલામાં કન્‍ટેનર ગુડ્‍ઝ યાર્ડની સેવા 2018-19માં કાર્યરત કરવામાં આવી હતી. પરંતુ શરૂઆતના તબક્કામાં સફળ થયેલી આ યોજના ધીરેધીરે નિષ્‍ફળતા તરફ આગળ ધપી રહી છે.
કરમબેલા ગુડ્‍ઝ યાર્ડથી જવાહરલાલ નહેરુ પોર્ટ વચ્‍ચે આ સેવા કાર્યરત કરાઈ હતી. જેનો હેતુ આ વિસ્‍તારના ઉદ્યોગોને ફાયદો થઈ શકે તેવો હતો. શરૂઆતના છ મહિનામાં સારો પ્રતિસાદ સાંપડયો હતો. પરંતુ હાલમાં મહિને છ થી સાત કન્‍ટેનર આવે છે. ખરેખર તો 4 હજાર જેટલી ટ્રકો અવર જવર કરે છે તેની સ્‍થાને ગુડ્‍ઝ કન્‍ટેનર સેવાથી યાર્ડ સુધી માલનું પરિવહન થશે. પર્યાવરણને પણ ફાયદો થશે અને ઉદ્યોગોને લોજીસ્‍ટીક ખર્ચમાં પણ ઘટાડો થશે પરંતુ આ સેવા નિષ્‍ફળતા ભણી આગળ વધી રહી છે. હાલમાં ફક્‍ત સિમેન્‍ટ કે ખાતર યાર્નનું બુકીંગ ચાલે છે. આ યાર્ડથી રેલવે દ્વારા બંદર ઉપર ગુડ્‍ઝ પહોંચાડવાનો હેતુ હતો અને દરરોજ એક ટ્રેન હિસાબે 50 હજાર કન્‍ટેનર પાર્ટ ઉપર પહોંચાડાશે. અતિ જરૂરી આ યોજના હાલ સફળ રહી નથી. હા આ યોજના અંકલેશ્વર અને બોઈસરમાં સફળ રહી છે.

Related posts

UIDIA પ્રાદેશિક કાર્યાલય મુંબઈ દ્વારા આજે સેલવાસમાં કલા કેન્‍દ્ર ખાતે કાર્યશાળા યોજાશે

vartmanpravah

દાનહના કેટલાક વિસ્‍તારોમાં વાયરલ ફીવર અને ડેંગ્‍યુના કેસોમાં થયેલો વધારો સેલવાસમાં ડેંગ્‍યુની સારવાર લઈ રહેલા યુવાનનું થયું મોત

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં ગાઢ ધુમ્‍મસ છવાયું

vartmanpravah

બગવાડા ઓવરબ્રિજની કામગીરી પૂર્ણતાને આરેઃ ટૂંક સમયમાં લોકાર્પણની ચાલતી તૈયારીઓ

vartmanpravah

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.25: દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને દમણ ખાતે આવકારવા માટે મારવાડી સમાજે રાજસ્‍થાનના કલાકારોને પરંપરાગત નૃત્‍યો કાલબેલિયા, ઘૂમર અને ભાણવઈની શાનદાર પ્રસ્‍તુતિ કરી હતી. આ પ્રસંગે રંગારંગ પ્રસ્‍તુતિ આપી પ્રધાનમંત્રીશ્રીના શાનદાર સ્‍વાગત સાથે ઉપસ્‍થિત તમામને રોમાંચિત કરી દીધાં હતા. દરમિયાન પ્રધાનમંત્રીશ્રીના રોડ શોમાં કલાકાર શ્રી સુનીલ પરિહારની ટીમે રંગારંગ પ્રેઝન્‍ટેશન આપીને રોડ શોમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીની રાહ જોઈ રહેલા લોકોનું ધ્‍યાન આકર્ષિત કર્યું હતું.

vartmanpravah

વલસાડમાં એપાર્ટમેન્‍ટ ફલેટમાં યુવકે શરિરે આગ ચાંપી અગ્નિસ્‍નાન કરી લેતા ચકચાર

vartmanpravah

Leave a Comment