July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નજીક કરમબેલામાં રેલવે દ્વારા કાર્યરત કરાયેલ કન્‍ટેનર ગુડ્‍ઝ યાર્ડ સેવા નિષ્‍ફળતાના આરે

રેલવેની સહયોગી સંસ્‍થા કન્‍ટેનર કોર્પોરેશન ઓફ ઈન્‍ડીયા દ્વારા 2018-19માં આ સેવા કાર્યરત કરવામાં આવી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપી-વલસાડ અને સંઘપ્રદેશના ઉદ્યોગો માટે પોર્ટ ઉપર પહોંચાડવા માટે કન્‍ટેનર સેવા રેલવે સહયોગી સંસ્‍થા કન્‍ટેનર કોર્પોરેશન દ્વારા કરમબેલામાં કન્‍ટેનર ગુડ્‍ઝ યાર્ડની સેવા 2018-19માં કાર્યરત કરવામાં આવી હતી. પરંતુ શરૂઆતના તબક્કામાં સફળ થયેલી આ યોજના ધીરેધીરે નિષ્‍ફળતા તરફ આગળ ધપી રહી છે.
કરમબેલા ગુડ્‍ઝ યાર્ડથી જવાહરલાલ નહેરુ પોર્ટ વચ્‍ચે આ સેવા કાર્યરત કરાઈ હતી. જેનો હેતુ આ વિસ્‍તારના ઉદ્યોગોને ફાયદો થઈ શકે તેવો હતો. શરૂઆતના છ મહિનામાં સારો પ્રતિસાદ સાંપડયો હતો. પરંતુ હાલમાં મહિને છ થી સાત કન્‍ટેનર આવે છે. ખરેખર તો 4 હજાર જેટલી ટ્રકો અવર જવર કરે છે તેની સ્‍થાને ગુડ્‍ઝ કન્‍ટેનર સેવાથી યાર્ડ સુધી માલનું પરિવહન થશે. પર્યાવરણને પણ ફાયદો થશે અને ઉદ્યોગોને લોજીસ્‍ટીક ખર્ચમાં પણ ઘટાડો થશે પરંતુ આ સેવા નિષ્‍ફળતા ભણી આગળ વધી રહી છે. હાલમાં ફક્‍ત સિમેન્‍ટ કે ખાતર યાર્નનું બુકીંગ ચાલે છે. આ યાર્ડથી રેલવે દ્વારા બંદર ઉપર ગુડ્‍ઝ પહોંચાડવાનો હેતુ હતો અને દરરોજ એક ટ્રેન હિસાબે 50 હજાર કન્‍ટેનર પાર્ટ ઉપર પહોંચાડાશે. અતિ જરૂરી આ યોજના હાલ સફળ રહી નથી. હા આ યોજના અંકલેશ્વર અને બોઈસરમાં સફળ રહી છે.

Related posts

બાંગ્‍લાદેશના ડેપ્‍યુટી હાઈ કમિશનર શૈલી સાલેહીન અને સામાજિક સચિવ શબરે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

મોરબી ખાતે દર્દનાક દુર્ઘટનાને લઈ દીવની ગ્રામ પંચાયતોએ મૃતકોને મીણબત્તી તથા પુષ્‍પ અર્પણ કરી શ્રધ્‍ધાંજલિ આપી

vartmanpravah

દાનહના નરોલી સોલંકી પરિવાર દ્વારા અંતિમરથનું લોકાર્પણ કરાયું

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતને સ્‍વચ્‍છ અને સુંદર રાખવા પોતાનું દાયિત્‍વ નિભાવવા ગામ લોકોને સરપંચ મુકેશ ગોસાવીએ કરેલી અપીલ

vartmanpravah

છેલ્લા 80 દિવસથી સોમનાથ ગ્રા.પં.ના વોર્ડ નંબર પાંચમાં આવેલ શૌચાલયની ગંદકી છુપાવવા સરપંચ પતિએ કપડું નાંખી વપરાશ બંધ કરાવેલ હોવાનો ગ્રામસભામાં આરોપ

vartmanpravah

શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયાના એમ.ડી. એચ.એમ. જોશીએ સંઘપ્રદેશના પ્રશાસક સાથે કરેલીમુલાકાત

vartmanpravah

Leave a Comment