Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડ ભાગડાવાડા પાલીહીલમાં વિજ કરંટ લાગતા 7 ભેંસોનું મોત નિપજતા ચકચાર મચી

વિજ લાઈનના ઝુકેલા થાંભલાથી કરંટ લાગ્‍યાની ચર્ચા : નિર્દોષ ભેંસો ભોગ બની : પશુપાલકોમાં રોષ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08 વલસાડના ભાગડાવાડા પાલીહીલ વિભાગ-3 પાસે ખુલ્લા મેદાનમાં ભેસો ચારો ચરી રહી હતી ત્‍યારે અચાનક વિજ કરંટ લાગતા ટપોટપ સાત ભેંસો મરણ પામતા ચકચાર મચી જવા પામી હતી.
વલસાડના ભાગડાવાડા પાલીહીલ વિસ્‍તારમાં આજે રવિવારે સવારે ખુલ્લા ઘાસના મેદાનમાં ભેંસો ચરી રહી હતી ત્‍યારે એકદમ કરંટ લાગતા ટપોટપ સાત ભેંસો મરી ગઈ હતી. સ્‍થાનિકોએ અહીં ઝુકેલા થાંભલા અને વાયરો બાબતે વિજ કંપનીને વારંવાર ધ્‍યાન દોર્યું હતું પરંતુ વિજ કર્મચારીઓની બેદરકારી સામે આવી હતી. ઘટનાની જાણ થતા પશુપાલકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ જવા પામી હતી. ઘટના ઘટયા બાદ પણ વિજ અધિકારીઓ જાણતા નહીહોવાનું રટણ રટી રહ્યા હતા.

Related posts

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર શિક્ષણ અંતર્ગત શિક્ષકો માટે મસાટ સરકારી વિદ્યાલયમાં ઈનોવેશન ફેરનું કરાયેલું આયોજન

vartmanpravah

નરોલી ગામની પરિણીતા પુત્ર સાથે ગુમ

vartmanpravah

ચીખલીની સાદકપોર ગ્રામ પંચાયતનું પ્રકરણ વડી અદાલતમાં : અદાલતે નોટિસ પાઠવી ડીડીઓ, ટીડીઓ, તલાટી અને સભ્‍યોને ગુરુવારે હાજરરહેવાનું ફરમાન કરતા રાજકારણ ગરમાયું

vartmanpravah

સેલવાસ નગરપાલિકા વિસ્‍તારના લોકોને ફરજીયાત સીવરેજ-સેપ્‍ટિક ટેન્‍કની સાફ-સફાઈ કરવા સૂચના

vartmanpravah

બામણવેલ ગામે 43 વર્ષીય શ્રમજીવીએ અગમ્‍ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

ગુજરાતમાંથી આશરે 7પ હજાર ભાઈ-બહેનો 6 દિવસ તીર્થયાત્રા કરી દરેક જિલ્લાના પવિત્ર ધાર્મિક સ્‍થળે ‘‘મનુષ્‍ય ગૌરવ દિન” ની ઉજવણી કરશે

vartmanpravah

Leave a Comment