Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડ ભાગડાવાડા પાલીહીલમાં વિજ કરંટ લાગતા 7 ભેંસોનું મોત નિપજતા ચકચાર મચી

વિજ લાઈનના ઝુકેલા થાંભલાથી કરંટ લાગ્‍યાની ચર્ચા : નિર્દોષ ભેંસો ભોગ બની : પશુપાલકોમાં રોષ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08 વલસાડના ભાગડાવાડા પાલીહીલ વિભાગ-3 પાસે ખુલ્લા મેદાનમાં ભેસો ચારો ચરી રહી હતી ત્‍યારે અચાનક વિજ કરંટ લાગતા ટપોટપ સાત ભેંસો મરણ પામતા ચકચાર મચી જવા પામી હતી.
વલસાડના ભાગડાવાડા પાલીહીલ વિસ્‍તારમાં આજે રવિવારે સવારે ખુલ્લા ઘાસના મેદાનમાં ભેંસો ચરી રહી હતી ત્‍યારે એકદમ કરંટ લાગતા ટપોટપ સાત ભેંસો મરી ગઈ હતી. સ્‍થાનિકોએ અહીં ઝુકેલા થાંભલા અને વાયરો બાબતે વિજ કંપનીને વારંવાર ધ્‍યાન દોર્યું હતું પરંતુ વિજ કર્મચારીઓની બેદરકારી સામે આવી હતી. ઘટનાની જાણ થતા પશુપાલકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ જવા પામી હતી. ઘટના ઘટયા બાદ પણ વિજ અધિકારીઓ જાણતા નહીહોવાનું રટણ રટી રહ્યા હતા.

Related posts

વલસાડ એન.એચ. કોમર્સ કોલેજમાં પેપર ફૂટવાના આક્ષેપ મામલે વિદ્યાર્થીઓએ કોલેજ માથે લીધી

vartmanpravah

પારડીના ટુકવાડામાં ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ૬૬ કેવી સબ સ્ટેશનનું લોકાર્પણ

vartmanpravah

દાનહ મહેસુલ વિભાગ દ્વારા રેતી ખનન કરનાર સામે કાર્યવાહી હાથ ધરી

vartmanpravah

સંઘપ્રદેશમાં ગૃપ સી અને ડીની ભરતી સ્‍થાનિક ઉમેદવારો મારફત જ કરાવવા જિલ્લા ભાજપમાં રજૂ કરાયેલો પ્રસ્‍તાવ

vartmanpravah

ગરીબોના મસિહા નિતિન જાની ઉર્ફે ખજુરભાઈ વલસાડમાં દિવ્‍યાંગ દિકરી-માને પાકુ મકાન બનાવી આપશે

vartmanpravah

ઉદવાડા ફાટક કાયમી ધોરણે બંધ કરી દેવાતા મામલો ઉગ્ર બન્‍યો : બે હજાર ઉપરાંતનું ટોળું સ્‍ટેશન કચેરી ઉપર રેલી કાઢી પહોંચ્‍યુ

vartmanpravah

Leave a Comment