Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડ ભાગડાવાડા પાલીહીલમાં વિજ કરંટ લાગતા 7 ભેંસોનું મોત નિપજતા ચકચાર મચી

વિજ લાઈનના ઝુકેલા થાંભલાથી કરંટ લાગ્‍યાની ચર્ચા : નિર્દોષ ભેંસો ભોગ બની : પશુપાલકોમાં રોષ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08 વલસાડના ભાગડાવાડા પાલીહીલ વિભાગ-3 પાસે ખુલ્લા મેદાનમાં ભેસો ચારો ચરી રહી હતી ત્‍યારે અચાનક વિજ કરંટ લાગતા ટપોટપ સાત ભેંસો મરણ પામતા ચકચાર મચી જવા પામી હતી.
વલસાડના ભાગડાવાડા પાલીહીલ વિસ્‍તારમાં આજે રવિવારે સવારે ખુલ્લા ઘાસના મેદાનમાં ભેંસો ચરી રહી હતી ત્‍યારે એકદમ કરંટ લાગતા ટપોટપ સાત ભેંસો મરી ગઈ હતી. સ્‍થાનિકોએ અહીં ઝુકેલા થાંભલા અને વાયરો બાબતે વિજ કંપનીને વારંવાર ધ્‍યાન દોર્યું હતું પરંતુ વિજ કર્મચારીઓની બેદરકારી સામે આવી હતી. ઘટનાની જાણ થતા પશુપાલકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ જવા પામી હતી. ઘટના ઘટયા બાદ પણ વિજ અધિકારીઓ જાણતા નહીહોવાનું રટણ રટી રહ્યા હતા.

Related posts

વાપી વિસ્‍તારમાં પોલીસે વાહન ચેકિંગ ડ્રાઈવ ચલાવી સ્‍કૂલ વાહનોને પણ આવરી લેવાની માંગ

vartmanpravah

વાપી બલીઠા અવેક્ષા 21st સેન્ચ્યુરી કેન્સર કેર સેન્ટર ખાતે ફેફસાંના ગાંઠની શસ્ત્રક્રિયામાં મળેલી ચમત્કારિક સફળતા

vartmanpravah

વ્‍હેલ માછલીની ઉલ્‍ટી ‘‘એમ્‍બર ગ્રીસ”ના ગેરકાયદેસર વેચાણ કરતા 4 ઈસમોને ઝડપી પાડતી સુપા રેંજ

vartmanpravah

વાપી છરવાડા અંડરપાસ, હાઈવે અને રેલવે આસપાસની ટ્રાફિક સમસ્‍યા નિરાકરણ માટે પોલીસ અને ઉચ્‍ચ અધિકારીઓએ ફોર્મ્‍યુલા બનાવી

vartmanpravah

વાપી ગુંજન ઓવરબ્રિજ પાસે સાંઈ મેજીસ્‍ટીક બિલ્‍ડિંગની પાંચ દુકાનોના તાળા તૂટયા

vartmanpravah

69મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા વિશ્વ વિભૂતિ ભારતરત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

Leave a Comment