વિજ લાઈનના ઝુકેલા થાંભલાથી કરંટ લાગ્યાની ચર્ચા : નિર્દોષ ભેંસો ભોગ બની : પશુપાલકોમાં રોષ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.08 વલસાડના ભાગડાવાડા પાલીહીલ વિભાગ-3 પાસે ખુલ્લા મેદાનમાં ભેસો ચારો ચરી રહી હતી ત્યારે અચાનક વિજ કરંટ લાગતા ટપોટપ સાત ભેંસો મરણ પામતા ચકચાર મચી જવા પામી હતી.
વલસાડના ભાગડાવાડા પાલીહીલ વિસ્તારમાં આજે રવિવારે સવારે ખુલ્લા ઘાસના મેદાનમાં ભેંસો ચરી રહી હતી ત્યારે એકદમ કરંટ લાગતા ટપોટપ સાત ભેંસો મરી ગઈ હતી. સ્થાનિકોએ અહીં ઝુકેલા થાંભલા અને વાયરો બાબતે વિજ કંપનીને વારંવાર ધ્યાન દોર્યું હતું પરંતુ વિજ કર્મચારીઓની બેદરકારી સામે આવી હતી. ઘટનાની જાણ થતા પશુપાલકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ જવા પામી હતી. ઘટના ઘટયા બાદ પણ વિજ અધિકારીઓ જાણતા નહીહોવાનું રટણ રટી રહ્યા હતા.