Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરમાં આજે સ્‍વામી વિવેકાનંદજીની 161મી જન્‍મજયંતિ નિમિત્તે યુવા રેલી સંમેલન યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.11: ધરમપુરમાં આજે સ્‍વામી વિવેકાનંદજીની જન્‍મજયંતિ નિમિત્તે યુવા રેલી – યુવા સંમેલનમાં 2000 જેટલા વિદ્યાર્થીઓ જોડાશે. શ્રી રામકળષ્‍ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્‍ટ ધરમપુરના ઉપક્રમે વિશ્વાચાર્ય સ્‍વામી વિવેકાનંદજીની 161મી જન્‍મજયંતી નિમિત્તે સવારે 8.00 વાગ્‍યેથી યુવા રેલી અને ત્‍યાર બાદ યુવા સંમેલનનું આયોજન હાથ કરવામાં આવશે. જેમાં નગરના અને તાલુકાની શાળામહાશાળાના વિદ્યાર્થીઓ અને એબીવીપીના યુવાનો પણ જોડાશે.
યુવા રેલી દ્વારા સવારે 8-00 વાગ્‍યાથી સ્‍વામી વિવેકાનંદ સ્‍મારક સમડીચોક સ્‍થિત વિવેકાનંદજીની પ્રતિમાને નગરજનો અને શાળા પરિવાર દ્વારા પુષ્‍પાંજલિ અર્પણ કરવામાં આવશે. બાદમાં રેલીમાં 2000 જેટલા વિદ્યાર્થીઓ જોડાશે. આ રેલી નગરના સમડીચોક થઈ પ્રભુ ફળીયા, મોટાબજાર, ટાવર, ગાંધીબાગ, દશોન્‍દી ફળીયા, ડોક્‍ટર હેડગેવાર ચોક, ગાર્ડન રોડ, ડેપો, લક્ષ્મીનારાયણ મંદિર થઈ મનહાર ઘાટ ખાતે સંપન્ન થશે. યુવા સંમેલનમાં ગુજરાતભરના જાણીતા વક્‍તા અંકિતભાઈ દેસાઈ યુવાનોને વિવેકાનંદજીમાં જીવન આદર્શો મુજબ પ્રાસંગિક સંબોધન કરશે.

Related posts

પારડી કન્‍યાશાળાની વિદ્યાર્થીઓને માસિક ધર્મ વિશે ડોકટરો દ્વારા સમજણ આપી કરાયું પેડનું વિતરણ

vartmanpravah

વિપ્ર ફાઉન્‍ડેશન રાષ્‍ટ્રીય કાર્યકારિણીમાં વાપીના સમાજ સેવક બી.કે. દાયમાની ઉપાધ્‍યક્ષ તરીકે નિયુક્‍તિ

vartmanpravah

દાનહમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

વલસાડ પોલીસમાં ફરજ બજાવતા ડી.વાય.એસ.પી. આર.ડી. ફળદુ આજે સેવા નિવૃત્ત થશે

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સમક્ષ દમણ-દીવ મરાઠા સેવા સંઘ દ્વારા દમણમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા મુકવાની માંગ

vartmanpravah

વાપી અંબામાતા મંદિરમાં પ્રથમ વખત ગૌસેવાના લાભાર્થે ભાગવત કથાનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment