October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરમાં આજે સ્‍વામી વિવેકાનંદજીની 161મી જન્‍મજયંતિ નિમિત્તે યુવા રેલી સંમેલન યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.11: ધરમપુરમાં આજે સ્‍વામી વિવેકાનંદજીની જન્‍મજયંતિ નિમિત્તે યુવા રેલી – યુવા સંમેલનમાં 2000 જેટલા વિદ્યાર્થીઓ જોડાશે. શ્રી રામકળષ્‍ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્‍ટ ધરમપુરના ઉપક્રમે વિશ્વાચાર્ય સ્‍વામી વિવેકાનંદજીની 161મી જન્‍મજયંતી નિમિત્તે સવારે 8.00 વાગ્‍યેથી યુવા રેલી અને ત્‍યાર બાદ યુવા સંમેલનનું આયોજન હાથ કરવામાં આવશે. જેમાં નગરના અને તાલુકાની શાળામહાશાળાના વિદ્યાર્થીઓ અને એબીવીપીના યુવાનો પણ જોડાશે.
યુવા રેલી દ્વારા સવારે 8-00 વાગ્‍યાથી સ્‍વામી વિવેકાનંદ સ્‍મારક સમડીચોક સ્‍થિત વિવેકાનંદજીની પ્રતિમાને નગરજનો અને શાળા પરિવાર દ્વારા પુષ્‍પાંજલિ અર્પણ કરવામાં આવશે. બાદમાં રેલીમાં 2000 જેટલા વિદ્યાર્થીઓ જોડાશે. આ રેલી નગરના સમડીચોક થઈ પ્રભુ ફળીયા, મોટાબજાર, ટાવર, ગાંધીબાગ, દશોન્‍દી ફળીયા, ડોક્‍ટર હેડગેવાર ચોક, ગાર્ડન રોડ, ડેપો, લક્ષ્મીનારાયણ મંદિર થઈ મનહાર ઘાટ ખાતે સંપન્ન થશે. યુવા સંમેલનમાં ગુજરાતભરના જાણીતા વક્‍તા અંકિતભાઈ દેસાઈ યુવાનોને વિવેકાનંદજીમાં જીવન આદર્શો મુજબ પ્રાસંગિક સંબોધન કરશે.

Related posts

દમણ ન.પા.ની ‘નેવના પાણી મોભે ચઢાવવા’ મથામણ

vartmanpravah

ચીખલીના બામણવેલ ગામે વિધવા મહિલા સાથે પ્રેમ સંબંધ બાંધી લગ્નની ના પાડતા ભાજપના તા.પં. સભ્‍ય વિરૂધ્‍ધ ગુનો નોંધાયો

vartmanpravah

પાંચ વર્ષ પહેલાં દમણની ધરતી ઉપર પધારેલા રાષ્‍ટ્રસંત જૈનાચાર્ય પ.પૂ.આચાર્યદેવ પદ્મસાગર સૂરિશ્વરજી મહારાજ સાહેબના પુનિત પગલાંથી પ્રદેશનો થયો છે સર્વાંગી વિકાસ

vartmanpravah

મુંબઈથી રાજસ્‍થાન ખાટુશ્‍યામની 1350 કિ.મી.ની 42મી પદયાત્રાએ નિકળેલ એન્‍જિનિયર યુવાન વાપી આવી પહોંચ્‍યો

vartmanpravah

બાળકો ઉઠાવી લઈ જવાની શંકા રાખી ચીખલીના ઢોલુમ્‍બર ગામે ભિક્ષા માંગવા આવેલ સાધુઓને ગ્રામજનોએ માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

vartmanpravah

…અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પોતાના સામર્થ્‍ય અને દૂરંદેશીથી પ્રદેશની કાયાપલટનો આરંભ કર્યો

vartmanpravah

Leave a Comment