Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયાએ વાપી મુક્‍તિધામની મુલાકાત લઈ કાર્ય પદ્ધતિની સરાહના કરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.23: વલસાડ જિલ્લાના પ્રવાસ દરમિયાન ભારત સરકારના કેન્‍દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા વાપી ખાતે ગુજરાત સરકારના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ સાથે વાપી મુક્‍તિધામની મુલાકાત લીધી હતી.
આ મુક્‍તિધામની આજથી સાત વર્ષ અગાઉ આદરણીય કેન્‍દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા જ ઉદ્ધાટન કરવામાં આવ્‍યું હતું. તેમણે આ અત્‍યાધુનિક અને સુવ્‍યવસ્‍થિત મુક્‍તિધામની મુલાકાત લઈ કાર્યપદ્ધતિની સરાહના કરી હતી. મંત્રીશ્રીએ મુક્‍તિધામના સંચાલનમાં કાર્યરત મહિલાઓની મુલાકાત કરી અભિનંદન આપ્‍યા હતા તેમજ વ્‍યવસ્‍થા અંગે જાણકારી મેળવી હતી.
આ પ્રસંગે વીઆઇએ પ્રમુખ સતિષભાઈ પટેલ, અને વાપી નોટિફાઇડ પ્રમુખ હેમંતભાઈ પટેલ, વાપી નગરપાલિકા પ્રમુખશ્રી પંકજભાઈ પટેલ, વાપી નગરપાલિકા કારોબારી ચેરમેન મનોજભાઈ પટેલ, મુક્‍તિધામના ટ્રસ્‍ટી એલ. એન. ગર્ગ, યોગેશભાઈ કાબરીયા, મિલનભાઈ દેસાઈ, મિતેશભાઈ દેસાઈ, અગ્રણી ઉદ્યોગપતિઓ અને મુક્‍તિધામના કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

નાનાપોંઢા મહેતા ટયુબ કંપનીમાં કોપરની ચોરીનો ભેદ ઉકેલાયો: પોલીસે 7 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા

vartmanpravah

ડૉ. મનસુખ માંડવિયા 5-7 મે, 2022, ગુજરાતના કેવડિયા ખાતે ત્રણ દિવસીય “સ્વસ્થ ચિંતન શિબિર” ની અધ્યક્ષતા કરશે: રાજ્યના આરોગ્ય અને તબીબી શિક્ષણ મંત્રીઓ ભાગ લેશે

vartmanpravah

ભંગારની આડમાં રીક્ષા ટેમ્‍પોમાં દારૂ લઈ જતા બે ખેપિયા પારડી ચાર રસ્‍તા નજીકથી ઝડપાયા

vartmanpravah

ચીખલીના કલીયારીમાં મધરાત્રે શિરડીથી અમદાવાદ જતી લક્‍ઝબરી બસ અને આઈસર ટેમ્‍પો સામસામે ભટકાતા બંને ચાલકના મોત

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં આંતરરાષ્‍ટ્રીય ગેસ્‍ટ લેક્‍ચર યોજાયો

vartmanpravah

જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માએ લાભાર્થીઓ અને જિ.પં. સભ્‍યો, સરપંચો તથા વોર્ડ સભ્‍યો સાથે કરેલી બેઠક દાનહ પ્રધાનમંત્રી આવાસ પ્‍લસ યોજનામાં મંજૂર થયેલા તમામ ઘરો 31મી ડિસે.’23 સુધી પૂર્ણ કરવા લાભાર્થીઓને અલ્‍ટીમેટમ

vartmanpravah

Leave a Comment