March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયાએ વાપી મુક્‍તિધામની મુલાકાત લઈ કાર્ય પદ્ધતિની સરાહના કરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.23: વલસાડ જિલ્લાના પ્રવાસ દરમિયાન ભારત સરકારના કેન્‍દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા વાપી ખાતે ગુજરાત સરકારના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ સાથે વાપી મુક્‍તિધામની મુલાકાત લીધી હતી.
આ મુક્‍તિધામની આજથી સાત વર્ષ અગાઉ આદરણીય કેન્‍દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા જ ઉદ્ધાટન કરવામાં આવ્‍યું હતું. તેમણે આ અત્‍યાધુનિક અને સુવ્‍યવસ્‍થિત મુક્‍તિધામની મુલાકાત લઈ કાર્યપદ્ધતિની સરાહના કરી હતી. મંત્રીશ્રીએ મુક્‍તિધામના સંચાલનમાં કાર્યરત મહિલાઓની મુલાકાત કરી અભિનંદન આપ્‍યા હતા તેમજ વ્‍યવસ્‍થા અંગે જાણકારી મેળવી હતી.
આ પ્રસંગે વીઆઇએ પ્રમુખ સતિષભાઈ પટેલ, અને વાપી નોટિફાઇડ પ્રમુખ હેમંતભાઈ પટેલ, વાપી નગરપાલિકા પ્રમુખશ્રી પંકજભાઈ પટેલ, વાપી નગરપાલિકા કારોબારી ચેરમેન મનોજભાઈ પટેલ, મુક્‍તિધામના ટ્રસ્‍ટી એલ. એન. ગર્ગ, યોગેશભાઈ કાબરીયા, મિલનભાઈ દેસાઈ, મિતેશભાઈ દેસાઈ, અગ્રણી ઉદ્યોગપતિઓ અને મુક્‍તિધામના કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દીવના વણાકબારાથી 150 કિલોમીટર દૂર જલારામ કૃપા બોટમાં પાણી ભરાતા દરિયામાં ગરકાવ: ખલાસીઓનો બચાવ

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ નિર્દેશક નિલેશ ગુરવની દિલ્‍હી બદલી : દિલ્‍હીથી વિકાસ અહલાવતની સંઘપ્રદેશ થ્રીડીમાં બદલી

vartmanpravah

ભારત સરકારના ગૃહમંત્રાલય દ્વારા ગોવા, દમણ અને દીવના પોર્ટુગીઝ રાષ્‍ટ્રીય કાયદા મુજબ રાષ્‍ટ્રીયતા ધરાવતા નાગરિકોને વિઝા/એક્‍ઝિટ પરમિશન માટે પડતી સમસ્‍યાનું નિદાન કરાયું

vartmanpravah

દાદરાની હોટલ એક્‍સેલેન્‍સીમાં માલિકની હાજરીમાં વેઈટરોએ એક ગ્રાહકને માર મારવાની બનેલી ઘટના

vartmanpravah

વલસાડ જિ.પં.ના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીના ચીખલી, ખેરગામ, વાંસદા વિભાગના વ્‍યવસ્‍થાપક કમિટિના સભ્‍ય માટે યોજાયેલી ચૂંટણીમાં ઘેજના તેજસ પટેલનો ભવ્‍ય વિજય

vartmanpravah

એસ.આઈ.એ.ની અર્ધવાર્ષિક સાધારણ સભા સંપન્ન

vartmanpravah

Leave a Comment