Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

વાપી કરવડ નહેરમાં ક્ષત-વિક્ષત હાલતમાં મળેલી બાળકની લાશનો ભેદ ઉકેલ્‍યો : તાંત્રિક વિધી માટે બલી ચઢાવાઈ હતી

બાળકનું માથુ, પગ અને ગુનાનું હથિયાર પણ મળ્‍યુ : સગીર તરુણ, શૈલેષ અફાનભાઈ કોહકેશ (વાપી, ડુંગરા), રમેશ ભાડીયાભાઈ સંવર (અથાલ સેલવાસ)ની ધરપકડ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વાપી પાસે કરવડ દમણગંગા નહેરમાં ગત તા.31મી ડિસેમ્‍બર ક્ષત-વિક્ષત હાલતમાં માથા-પગ વગર બાળકીની લાશ મળી આવી હતી. ગણતરીના દિવસોમાં વાપી-સેલવાસ પોલીસે બાળકની ક્રૂર હત્‍યાનો ભેદ ઉકેલી દીધો છે.પૈસાનો વરસાદ વરસાવા, પાવરફુલ બનવા માટે ત્રણ શખ્‍સોએ તાંત્રિક વિદ્યા માટે નવ વર્ષિય સેલવાસ, અથાલના ચૈતા ગણેશભાઈ કોલાનું અપહરણ કરી જધન્‍ય ઘટનાને અંજામ આપ્‍યો હતો.
ચૈતા કોલા ગૂમ થયાની ફરિયાદ સેલવાસ પોલીસમાં નોંધાયા બાદ તપાસ ચાલુ હતી ત્‍યારે તા.31 ડિસેમ્‍બરે કરવડ નહેરમાં માથા-એક પગ વગરની બાળકની લાશ મળી આવી. ડુંગરા પોલીસ અને સેલવાસ પોલીસે તપાસ આરંભી હતી. સેલવાસ પોલીસનો 100 વધુ સ્‍ટાફની તપાસ ટૂકડી તથા સી.સી.ટી.વી. ફૂટેજ ચકાસણી આરોપીઓ સુધી પહોંચી ગઈ હતી. અંધશ્રધ્‍ધા અને પૈસાનો વરસાદ વરસાવા તાંત્રિક વિધી કરવા માટે માસુમ ચૈતાનું અપહરણ કર્યું. પોલીસે ગંભીર કૃષ્‍ણ આચરનારા પૈકીનો તરૂણ કપરાડાનો જે ખાટકીનું કામકાજ સાયલી ખાતે ચીકન શોપમાં કરતો હતો. તપાસમાં બહારુ આવ્‍યું ગુનાની કડી સાથે કડી મેળવી પોલીસ શૈલેષ અફાનભાઈ કોહકેરા (વાપી, ડુંગરા) અને રમેશ ભાડીયા સંવર (અથાલ સેલવાસ)ની ધરપકડ કરી લીધી. તરૂણ આરોપીને સુરત જુવેનાઈલમાં મોકલી આપ્‍યો હતો. આ ત્રણેય ચૈતાનું ગત તા.28 ડિસેમ્‍બરે અપહરણ કર્યું અને બલી ચઢાવી દેવાયો હતો. તપાસમાં બાળકનું માથું-પગ અને વપરાયેલ હથિયાર જપ્ત કરી લીધા છે. પકડાયેલ આરોપી સામે ફાસ્‍ટ ટ્રેકમાં સુનાવણી કરી કડકમાં કડક સજાની સેલવાસનાવિવિધ સામાજીક સંગઠનોએ કરી છે.

Related posts

નવયુગ ગ્રુપ દમણ રાણા શેરીના રહેવાસીઓએ ભાજપ નેતા વિશાલભાઈ ટંડેલના જન્‍મદિવસની કરેલી ઉજવણી

vartmanpravah

વાપી પાલિકા વોર્ડ નં.10 સુલપડમાં પાણી સમસ્‍યા ઉકેલવા લોકોએ પાલિકા પાસે લીધેલી લેખિત બાહેંધરી

vartmanpravah

દીવ જિ.પં. પ્રમુખ અમૃતાબેન બામણિયાએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં ઈન્‍ડસ્‍ટ્રીઝની ઓફીસમાં જુગાર રમતા 7 ઉદ્યોગપતિ-વેપારી ઝડપાયા

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રશાસને શ્રમિકોના લઘુત્તમ દૈનિક વેતન સહિત રૂા.35 વિશેષ ભથ્‍થાંની કરેલી જાહેરાત

vartmanpravah

દેશના ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડે આપેલા આમંત્રણના અનુસંધાનમાં આજે દાનહ-દમણ-દીવની સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓના પ્રતિનિધિઓ દિલ્‍હી જવા રવાના થશે

vartmanpravah

Leave a Comment