April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વ્‍યાજખોરી અંગે સમાજમાં જાગૃતિ લાવવા માટે વાપીમાં પોલીસ લોકદરબાર યોજાયો

વ્‍યાજખોરીમાં પીડાઈ રહેલાઓની ફરિયાદો વેરીફાઈ કરી પોલીસ કાર્યવાહી કરશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: સમગ્ર ગુજરાતમાં વ્‍યાજખોરી ચક્રવ્‍યુહને નાથવા માટે પોલીસ વિભાગમાં જાગૃતિ અભિયાન-ઝુંબેશ ચાલી રહી છે. પ્રત્‍યેક શહેરોમાં પોલીસ લોકદરબારોનું આયોજન ગૃહવિભાગની સુચના અંતર્ગત ચાલી રહ્યું છે તે મુજબ મંગળવારે સાંજે વાપી સિનિયર સિટીઝન હોલમાં પોલીસ લોકદરબારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. તેમાં મુખ્‍યત્‍વે વ્‍યાજખોરી અંગે સમાજમાં જાગૃતિ લાવવાનો પોલીસે સરાહનીય પ્રયાસ હાથ ધર્યો હતો.
વાપી ડિવિઝનના ડી.વાય.એસ.પી. બી.એન. દવેની અધ્‍યક્ષતામાં મળેલ પોલીસ લોકદરબારમાં શહેરના અગ્રણી નાગરિકો અને આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. લોકદરબારમાં વ્‍યાજખોરીનો ભોગ બન્‍યા હોય, પિડાઈ રહ્યા હોય તેવી પોલીસ સમક્ષ રજૂઆતો આવી છે. જેને વેરીફાઈ કરી કાર્યવાહી કરાશે. લોકોને ડર છે. પરંતુ પોલીસ સ્‍ટેશને આવી ગુપ્ત રીતે, ચિટ્‍ઠી અથવા વોટ્‍સએપથી પોલીસને જાણ કરી શકાશે તેવા લોકોને પોલીસ કાર્યવાહી કરશે. ભૂતકાળમાં પણ પોલીસે એવા ગુનેગારોને પકડી જેલ હવાલે કે પાસાનાઅટકાયતી પગલા પણ લેવાની પોલીસની તૈયારી છે. લોકદરબારમાં તુક્કલ, ચાઈનીસ દોરીનો ઉપયોગ નહીં કરવાની સલાહ પણ પોલીસે આપી હતી. તેમજ વેચાણ કરવા વાળા સામે જે તે પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદો પણ નોંધાઈ છે. લોકદરબારમાં નાગરિકોના સજેશનની પણ પોલીસે આપ-લે કરી હતી.

Related posts

દીવમાં 23 નેશનલ લો યુનિવર્સિટી સંઘની જનરલ બોડી મીટિંગ યોજાઈ

vartmanpravah

વાપી દમણગંગા ટાઈમ્‍સ દૈનિકના સંસ્‍થાપક- તંત્રી એન.વી. ઉકાણીનું નિધન

vartmanpravah

સંદર્ભઃ દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિદ્યુત વિભાગ/નિગમનું ખાનગીકરણ_ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના દરેક નિર્ણયમાં દાનહ અને દમણ-દીવનું વિશાળ હિત સંકળાયેલું રહે છે ત્‍યારે…

vartmanpravah

વાપી લવાછાના પરિવારે ઉજ્જેન મહાકાલ દરબારમાં 2.6 કિલો રૂા.2.50 લાખનો ચાંદીનો મુગટ અર્પણ કર્યો

vartmanpravah

વલસાડમાં રેલવે વિભાગ દ્વારા ત્રણ વિવિધ રસ્‍તા બંધ કરાતા કોંગ્રેસ દ્વારા રસ્‍તા ચાલુ કરવા ઉચ્‍ચ રજૂઆત

vartmanpravah

દીવના પોલીસ સ્‍ટેશન ખાતે વિધિવત ગણપતિ સ્‍થાપન કરવામાં આવી

vartmanpravah

Leave a Comment