September 11, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વ્‍યાજખોરી અંગે સમાજમાં જાગૃતિ લાવવા માટે વાપીમાં પોલીસ લોકદરબાર યોજાયો

વ્‍યાજખોરીમાં પીડાઈ રહેલાઓની ફરિયાદો વેરીફાઈ કરી પોલીસ કાર્યવાહી કરશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: સમગ્ર ગુજરાતમાં વ્‍યાજખોરી ચક્રવ્‍યુહને નાથવા માટે પોલીસ વિભાગમાં જાગૃતિ અભિયાન-ઝુંબેશ ચાલી રહી છે. પ્રત્‍યેક શહેરોમાં પોલીસ લોકદરબારોનું આયોજન ગૃહવિભાગની સુચના અંતર્ગત ચાલી રહ્યું છે તે મુજબ મંગળવારે સાંજે વાપી સિનિયર સિટીઝન હોલમાં પોલીસ લોકદરબારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. તેમાં મુખ્‍યત્‍વે વ્‍યાજખોરી અંગે સમાજમાં જાગૃતિ લાવવાનો પોલીસે સરાહનીય પ્રયાસ હાથ ધર્યો હતો.
વાપી ડિવિઝનના ડી.વાય.એસ.પી. બી.એન. દવેની અધ્‍યક્ષતામાં મળેલ પોલીસ લોકદરબારમાં શહેરના અગ્રણી નાગરિકો અને આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. લોકદરબારમાં વ્‍યાજખોરીનો ભોગ બન્‍યા હોય, પિડાઈ રહ્યા હોય તેવી પોલીસ સમક્ષ રજૂઆતો આવી છે. જેને વેરીફાઈ કરી કાર્યવાહી કરાશે. લોકોને ડર છે. પરંતુ પોલીસ સ્‍ટેશને આવી ગુપ્ત રીતે, ચિટ્‍ઠી અથવા વોટ્‍સએપથી પોલીસને જાણ કરી શકાશે તેવા લોકોને પોલીસ કાર્યવાહી કરશે. ભૂતકાળમાં પણ પોલીસે એવા ગુનેગારોને પકડી જેલ હવાલે કે પાસાનાઅટકાયતી પગલા પણ લેવાની પોલીસની તૈયારી છે. લોકદરબારમાં તુક્કલ, ચાઈનીસ દોરીનો ઉપયોગ નહીં કરવાની સલાહ પણ પોલીસે આપી હતી. તેમજ વેચાણ કરવા વાળા સામે જે તે પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદો પણ નોંધાઈ છે. લોકદરબારમાં નાગરિકોના સજેશનની પણ પોલીસે આપ-લે કરી હતી.

Related posts

સેલવાસ નગરપાલિકાને ડેંગ્‍યુ-મેલેરિયાના ફેલાવાને નિયંત્રણમાં રાખવા મળેલી સફળતા

vartmanpravah

છેલ્લાં પાંચેક મહિનાથી પરિશ્રમ કરી મૂર્તિકારો ગણેશજીની મૂર્તિઓને સજાવટમાં આખરી ઓપ આપી રહ્યાછે

vartmanpravah

સેલવાસમાં ધોધમાર વરસાદઃ 24 કલાકમાં 13.50 ઈંચ વરસેલો વરસાદ

vartmanpravah

વાપીમાં મોતના બે બનાવ : અજાણી મહિલાનું ટ્રેન અડફેટમાં મોત : ચલા ફલેટમાંથી વૃધ્‍ધ મૃત હાલતમાં મળ્‍યા

vartmanpravah

મેઘરાજાની શાહી સવારીની સાથે ત્રીજા દિવસે વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ ધમડાચી ગામે આવી પહોંચ્યો

vartmanpravah

વાપી સ્‍થિત આર.કે. દેસાઈ કોલેજમાં ગુરૂ પૂર્ણિમાની ઉજવણી

vartmanpravah

Leave a Comment