Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વ્‍યાજખોરી અંગે સમાજમાં જાગૃતિ લાવવા માટે વાપીમાં પોલીસ લોકદરબાર યોજાયો

વ્‍યાજખોરીમાં પીડાઈ રહેલાઓની ફરિયાદો વેરીફાઈ કરી પોલીસ કાર્યવાહી કરશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: સમગ્ર ગુજરાતમાં વ્‍યાજખોરી ચક્રવ્‍યુહને નાથવા માટે પોલીસ વિભાગમાં જાગૃતિ અભિયાન-ઝુંબેશ ચાલી રહી છે. પ્રત્‍યેક શહેરોમાં પોલીસ લોકદરબારોનું આયોજન ગૃહવિભાગની સુચના અંતર્ગત ચાલી રહ્યું છે તે મુજબ મંગળવારે સાંજે વાપી સિનિયર સિટીઝન હોલમાં પોલીસ લોકદરબારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. તેમાં મુખ્‍યત્‍વે વ્‍યાજખોરી અંગે સમાજમાં જાગૃતિ લાવવાનો પોલીસે સરાહનીય પ્રયાસ હાથ ધર્યો હતો.
વાપી ડિવિઝનના ડી.વાય.એસ.પી. બી.એન. દવેની અધ્‍યક્ષતામાં મળેલ પોલીસ લોકદરબારમાં શહેરના અગ્રણી નાગરિકો અને આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. લોકદરબારમાં વ્‍યાજખોરીનો ભોગ બન્‍યા હોય, પિડાઈ રહ્યા હોય તેવી પોલીસ સમક્ષ રજૂઆતો આવી છે. જેને વેરીફાઈ કરી કાર્યવાહી કરાશે. લોકોને ડર છે. પરંતુ પોલીસ સ્‍ટેશને આવી ગુપ્ત રીતે, ચિટ્‍ઠી અથવા વોટ્‍સએપથી પોલીસને જાણ કરી શકાશે તેવા લોકોને પોલીસ કાર્યવાહી કરશે. ભૂતકાળમાં પણ પોલીસે એવા ગુનેગારોને પકડી જેલ હવાલે કે પાસાનાઅટકાયતી પગલા પણ લેવાની પોલીસની તૈયારી છે. લોકદરબારમાં તુક્કલ, ચાઈનીસ દોરીનો ઉપયોગ નહીં કરવાની સલાહ પણ પોલીસે આપી હતી. તેમજ વેચાણ કરવા વાળા સામે જે તે પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદો પણ નોંધાઈ છે. લોકદરબારમાં નાગરિકોના સજેશનની પણ પોલીસે આપ-લે કરી હતી.

Related posts

ચીખલી-ખેરગામ રસ્‍તા પર અકસ્‍માતને નોતરું આપતો વાડ ખાડીના પુલની જર્જરિતા

vartmanpravah

દાનહના વાસોણા લાયન સફારી પાર્કમાં નવા મહેમાનનું આગમન: જૂનાગઢ પ્રાણી સંગ્રહાલયમાંથી એક સિંહને લાવવામાં આવ્‍યો

vartmanpravah

બિહાર વેલ્‍ફેર એસોસિએશન દ્વારા વાપીમાં ભવ્‍ય સરસ્‍વતી પૂજન મહોત્‍સવ યોજાયો

vartmanpravah

ગૃહમંત્રી અમિત શાહના અધ્‍યક્ષસ્‍થાને ગાંધીનગરમાં 28મી ઓગસ્‍ટે વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની બેઠક યોજાશે

vartmanpravah

સરીગામ પંચાયતની બજેટ મંજૂરી માટે બોલાવેલી ખાસ સામાન્‍ય સભા રાજકીય રીતે પૂર્ણ

vartmanpravah

નાનાપોંઢા નાસિક માર્ગ અને ચિવલ નજીક રોડ ઉપર અકસ્‍માતમાં બે મોત

vartmanpravah

Leave a Comment