October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સંઘપ્રદેશના ગતિશીલ યુવા નેતા ડો. અવધેશસિંહ ચૌહાણે પ્રદેશના સર્વાંગી અને યુવાલક્ષી વિકાસ બદલ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના આભાર સાથે વ્‍યક્‍ત કરેલી કૃતજ્ઞતા

દાદરા નગર હવેલીના વિકાસ માટે આપી રહેલા યોગદાન બદલ સેલવાસન.પા. અધ્‍યક્ષ રાકેશસિંહ ચૌહાણ અને જિ.પં. પ્રમુખ નિશાબેન ભવરનો પણ માનેલો આભાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ગતિશીલ યુવા નેતા ડો. અવધેશસિંહ ચૌહાણે પ્રદેશના થયેલા સર્વાંગી અને યુવાલક્ષી વિકાસ બદલ દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો આભાર પ્રગટ કરી તેમની કૃતજ્ઞતા પણ વ્‍યક્‍ત કરી હતી.
ડો. અવધેશસિંહ ચૌહાણે જણાવ્‍યું હતું કે, દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્‍ટિ અને પ્રદેશ પ્રત્‍યેના અપાર સ્‍નેહ તથા પ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કઠોર પરિશ્રમથી દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં શૈક્ષણિક ક્ષેત્રે થયેલા વિકાસથી યુવાનોનું ભવિષ્‍ય બુલંદ બની રહ્યું છે. પ્રવાસન ક્ષેત્રે ખુલેલી નવી ક્ષિતિજના કારણે સ્‍થાનિક લોકોની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે અને દેશ-વિદેશના પ્રવાસીઓ માટે દમણ, દીવ અને દાદરા નગર હવેલી એક મુખ્‍ય ટુરિસ્‍ટ ડેસ્‍ટીનેશન તરીકે ઉભરી ચુક્‍યુ છે.
યુવા નેતા ડો. અવધેશસિંહ ચૌહાણે આજે દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ પણ પ્રદેશના વિકાસની મુક્‍ત મને કરેલી પ્રશંસાથી સમગ્ર પ્રદેશ ગૌરવાન્‍વિત થયો હોવાની લાગણી મહેસૂસ કરી હતી.
આ પ્રસંગે ડો.અવધેશસિંહ ચૌહાણે સેલવાસ નગરપાલિકાના અધ્‍યક્ષ અને દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશાબેન ભવરનો પણ આભાર પ્રગટ કર્યો હતો. તેમણે બંનેએ પ્રદેશના વિકાસમાં આપેલા યોગદાનની પણ નોંધ લીધી હતી.

Related posts

ચીખલી તાલુકાના સમરોલી અને વંકાલ ગામના અકસ્‍માતમાં મૃત્‍યુ પામેલા પરિવારજનોને રૂા.20 લાખની સહાય અપાઈ

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં મોટી દમણ કોસ્‍ટલ પોલીસ દ્વારા નવા કાયદાઓની જાણકારી માટે યોજાયો કાર્યક્રમ

vartmanpravah

‘‘વાદા કિયા તો નિભાના હી પડેગા” : મોદી સરકારે શરૂ કરેલી નવી પરંપરા કેન્‍દ્રીય મંત્રી અશ્વિની વૈષ્‍ણવે દાનહની પેટા ચૂંટણી દરમિયાન આપેલા વચનો પૂર્ણ કરી મોદી સરકારની વચનબધ્‍ધતાની કરાવેલી પ્રતિતિ

vartmanpravah

અવસર લોકશાહીનોઃ વલસાડ જિલ્લામાં મતદાન જાગૃત્તિ ફેલાવવા ચૂંટણી તંત્ર દ્વારા અનેકવિધ કાર્યક્રમોની ભરમાર

vartmanpravah

વરસાદે વિરામ લેતા નવરાત્રી આયોજકો અને ખેલૈયાઓનો ઉત્‍સાહ વધ્‍યો: ચીખલીમાં નવરાત્રી આયોજકોએ ગ્રાઉન્‍ડને આપ્‍યો આખરી ઓપ

vartmanpravah

વલસાડ જિલ્લામાં પ્રથમવાર ‘‘કી હોલ ઓપન હાર્ટ સર્જરી” ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્‍પિટલમાં કરાઈ

vartmanpravah

Leave a Comment