Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટતંત્રી લેખદમણ

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં મોટા ચમરબંધીએ પણ કાયદાની મર્યાદામાં જ રહેવું પડે છે

છેલ્લા 6 વર્ષમાં પ્રદેશમાં કાયદાનું રાજ સ્‍થાપી વ્‍યવસ્‍થાને સુચારૂ બનાવવા માટે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ભરેલા અનેક આકરા પગલાં
સંઘપ્રદેશમાં સત્તા પક્ષ ભાજપ હોય કે વિરોધ પક્ષ કોંગ્રેસ, શિવસેના કે અન્‍ય કોઈપણ જૂથ હોય તમામને કાયદાની પરિભાષામાં એક લાકડીએ હાંકવાની પ્રશાસનની સ્‍પષ્‍ટ નીતિ
…અને એટલે જ આજે ટચૂકડા સંઘપ્રદેશમાં ઔદ્યોગિક, પ્રવાસન તથા શૈક્ષણિક ક્ષેત્રે સમૃદ્ધિજોવા મળી રહી છે

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં છેલ્લા 6 વર્ષથી શરૂ થયેલા શુદ્ધિકરણ અભિયાનના યજ્ઞમાં હોમાવા માટે બાકી રહેલાઓના હવે નંબર લાગવાની શરૂઆત થઈ છે. છેલ્લા 6 વર્ષમાં પ્રદેશમાં કાયદાનું રાજ સ્‍થાપી વ્‍યવસ્‍થાને સુચારૂ બનાવવા માટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે અનેક આકરા પગલાં ભર્યા છે. તેમણે પ્રદેશના લોકોના હિતને સર્વોપરી માન્‍યું છે. જેના કારણે સત્તા પક્ષ ભાજપ હોય કે વિરોધ પક્ષ કોંગ્રેસ, શિવસેના કે અન્‍ય કોઈપણ જૂથ હોય તમામને કાયદાની પરિભાષામાં એક લાકડીએ હાંકવાની નીતિ અખત્‍યાર કરી છે. પોતાના અંગત હોય કે પારકાં, પક્ષના હોય કે વિપક્ષના, પક્ષ સંગઠનના હોદ્દેદાર હોય કે પછી લોકતંત્રના પ્રતિનિધિ હોય, જેમણે પણ કાયદાનું ઉલ્લંઘન કર્યું હોય કે, નીતિ-નિયમોની મર્યાદામાં નહીં રહ્યા હોય તે દરેકની સામે કાયદાની તલવાર ઝીંકવામાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પાછીપાની કરી નથી.
હાલમાં દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ અને પ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ નવિનભાઈ પટેલ સામે ખંડણીની નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસતંત્રએ કરેલી તપાસમાં તથ્‍ય દેખાતાં તાત્‍કાલિક એફ.આઈ.આર. નોંધી આરોપીઓની ધરપકડ માટેના ચક્રો પણ ગતિમાન કરાતા હવે સંઘપ્રદેશ બદલાઈ રહ્યો હોવાની ફરી એકવાર પ્રતિતિ કરાવીછે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં કોઈ મોટો ચમરબંધી કેમ નહીં હોય કે, મોટા વગવસીલા ધરાવતા હોય તમામે કાયદાની મર્યાદામાં જ રહેવું પડે તે પ્રકારની વ્‍યવસ્‍થા ઉભી કરવા સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સફળ રહ્યા છે જેના કારણે જ આજે ટચૂકડા સંઘપ્રદેશમાં ઔદ્યોગિક, પ્રવાસન તથા શૈક્ષણિક ક્ષેત્રે સમૃદ્ધિ જોવા મળી રહી છે.

Related posts

નમો મેડિકલ કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થી મિતેશ કન્‍હૈયા ઝાએ સંઘપ્રદેશનું નામ રોશન કર્યુ

vartmanpravah

દાનહ-રૂદાના પંચાયતમાં સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધરાયું

vartmanpravah

દમણ જિલ્લામાં ભાજપના વિવિધ મંડળો દ્વારા ડો. શ્‍યામા પ્રસાદ મુખરજીને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

પેટ્રોલિયમ ટેક્સથી થયેલી ૨૩ લાખ કરોડની કમાણીનો કેન્દ્ર પાસેથી હિસાબ માગ્યો સરકાર જણાવે, જનતાના પૈસા ક્યાં ગયાઃ રાહુલ ગાંધી

vartmanpravah

દાનહમાં ગવર્નમેન્‍ટ હાઈસ્‍કૂલ મસાટ ખાતે યોજાનાર ‘આદિવાસી દિવસ’ની ઉજવણીના સમારંભમાં કલેક્‍ટર ભાનુ પ્રભા મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેશે

vartmanpravah

ચીખલીના કુકેરી ગામે સસરાએ જમાઈને કુહાડીથી મારતા હાસ્‍પિટલ ખસેડાયો

vartmanpravah

Leave a Comment