Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસમાં ‘રાષ્ટ્રીય વયોશ્રી યોજના’ અંતર્ગત દિવ્‍યાંગ નાગરિકોને સહાયક ઉપકરણ વિતરણ કરવામાં આવ્‍યા

લાભાર્થીઓને વોકિંગ સ્‍ટીક, હિયરિંગ એઇડ, એલ.એસ.બેલ્‍ટ, ની બ્રેસ કીટ, વ્‍હીલચેર સહીત અન્‍ય સાધન સામગ્રીનો આપવામાં આવ્‍યો લાભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15 : ભારત સરકારના સામાજીક ન્‍યાય અને સશક્‍તિકરણ મંત્રાલય દ્વારા પ્રતિનિધિ સુશ્રી પ્રિયંકા તોમર અને એલીમ્‍કોના ડોક્‍ટર દીપકની ઉપસ્‍થિતિમાં ‘રાષ્ટ્રીય વયોશ્રી યોજના'(ય્‍સ્‍ળ્‍) અંતર્ગત એલીમ્‍કો, જબલપુરના માધ્‍યમથી વરિષ્ઠ દિવ્‍યાંગ નાગરિકોને મદદરૂપ ઉપકરણોના વિતરણ સમારંભનું આયોજન આજે સેલવાસના કલાકેન્‍દ્ર ખાતે કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે દાદરા નગર હવેલીના જિલ્લા કલેક્‍ટર શ્રી પ્રિયાંક કિશોર, જિ.પં.ના પ્રમુખ શ્રી દામજીભાઈ કુરાડા, સેલવાસ નગરપાલિકાના પ્રમુખ શ્રી રજનીબેન શેટ્ટી પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ અવસરે સમાજ કલ્‍યાણ વિભાગના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલ ‘વયોશ્રી યોજના’ અને ‘એડીપી’ યોજના અંતર્ગત પ્રદેશના વરિષ્ઠ દિવ્‍યાંગ નાગરિકોને મદદરૂપ સાધન સામગ્રી આપવામાં આવી હતી. દરમિયાન કૃત્રિમ ઉપકરણની મુદ્દત ક્‍યા સુધીની છે? એનો ઉપયોગ કેવી રીતે કરવો? વગેરે બાબતે લાભાર્થીઓને જાણકારી પણ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં પ્રદેશના 51જેટલા લાભાર્થીઓને વોકિંગ સ્‍ટીક, હિયરિંગ એઇડ, એલ.એસ.બેલ્‍ટ, ની બ્રેસ કીટ, વ્‍હીલચેર સહીત અન્‍ય સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. બાકી અન્‍ય લાભાર્થીઓને પણ મદદરૂપ સાધનોનું વિતરણ કરવામાં આવશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા સમાજ કલ્‍યાણ વિભાગ, બાળ સંરક્ષણ સમિતિ દાનહ અને દમણની ટીમે સહયોગ આપ્‍યો હતો.

Related posts

દાનહ અને દમણ-દીવ ફૂટબોલ એસો.ની ટીમ દેશની પ્રતિષ્‍ઠિત ફૂટબોલ ટૂર્નામેન્‍ટ સંતોષ ટ્રોફીમાં ભાગ લેવા કોલ્‍હાપુર રવાના

vartmanpravah

વલસાડ જિલ્લામાં હાઈરિસ્‍ક દેશોમાંથી આવેલા 1086 લોકોને હોમક્‍વોરોન્‍ટાઈન કરાયા

vartmanpravah

સેલવાસની હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં નવરાત્રી પર્વ નિમિત્તે ગરબાનું આયોજન કરાયું

vartmanpravah

દાદરા નગર હવેલીના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે સાંસદ કલાબેન ડેલકરે પ્રશાસકશ્રીના સલાહકારને કરેલી રજૂઆત

vartmanpravah

સરકારી કચેરી પરિસર અને તેની 200 મીટર ત્રિજ્‍યા વિસ્‍તારમાં ધરણાં-ઉપવાસ કરવા પર પ્રતિબંધ

vartmanpravah

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતૃત્‍વમાં રાજ્‍યના ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રાજ્‍યના વીજ ગ્રાહકોને વધુ સારી વીજ સેવાઓ મળે તે માટે રાજ્‍ય સરકારનો મહત્‍વપૂર્ણ નિર્ણય

vartmanpravah

Leave a Comment