November 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટતંત્રી લેખદમણ

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં મોટા ચમરબંધીએ પણ કાયદાની મર્યાદામાં જ રહેવું પડે છે

છેલ્લા 6 વર્ષમાં પ્રદેશમાં કાયદાનું રાજ સ્‍થાપી વ્‍યવસ્‍થાને સુચારૂ બનાવવા માટે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ભરેલા અનેક આકરા પગલાં
સંઘપ્રદેશમાં સત્તા પક્ષ ભાજપ હોય કે વિરોધ પક્ષ કોંગ્રેસ, શિવસેના કે અન્‍ય કોઈપણ જૂથ હોય તમામને કાયદાની પરિભાષામાં એક લાકડીએ હાંકવાની પ્રશાસનની સ્‍પષ્‍ટ નીતિ
…અને એટલે જ આજે ટચૂકડા સંઘપ્રદેશમાં ઔદ્યોગિક, પ્રવાસન તથા શૈક્ષણિક ક્ષેત્રે સમૃદ્ધિજોવા મળી રહી છે

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં છેલ્લા 6 વર્ષથી શરૂ થયેલા શુદ્ધિકરણ અભિયાનના યજ્ઞમાં હોમાવા માટે બાકી રહેલાઓના હવે નંબર લાગવાની શરૂઆત થઈ છે. છેલ્લા 6 વર્ષમાં પ્રદેશમાં કાયદાનું રાજ સ્‍થાપી વ્‍યવસ્‍થાને સુચારૂ બનાવવા માટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે અનેક આકરા પગલાં ભર્યા છે. તેમણે પ્રદેશના લોકોના હિતને સર્વોપરી માન્‍યું છે. જેના કારણે સત્તા પક્ષ ભાજપ હોય કે વિરોધ પક્ષ કોંગ્રેસ, શિવસેના કે અન્‍ય કોઈપણ જૂથ હોય તમામને કાયદાની પરિભાષામાં એક લાકડીએ હાંકવાની નીતિ અખત્‍યાર કરી છે. પોતાના અંગત હોય કે પારકાં, પક્ષના હોય કે વિપક્ષના, પક્ષ સંગઠનના હોદ્દેદાર હોય કે પછી લોકતંત્રના પ્રતિનિધિ હોય, જેમણે પણ કાયદાનું ઉલ્લંઘન કર્યું હોય કે, નીતિ-નિયમોની મર્યાદામાં નહીં રહ્યા હોય તે દરેકની સામે કાયદાની તલવાર ઝીંકવામાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પાછીપાની કરી નથી.
હાલમાં દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ અને પ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ નવિનભાઈ પટેલ સામે ખંડણીની નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસતંત્રએ કરેલી તપાસમાં તથ્‍ય દેખાતાં તાત્‍કાલિક એફ.આઈ.આર. નોંધી આરોપીઓની ધરપકડ માટેના ચક્રો પણ ગતિમાન કરાતા હવે સંઘપ્રદેશ બદલાઈ રહ્યો હોવાની ફરી એકવાર પ્રતિતિ કરાવીછે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં કોઈ મોટો ચમરબંધી કેમ નહીં હોય કે, મોટા વગવસીલા ધરાવતા હોય તમામે કાયદાની મર્યાદામાં જ રહેવું પડે તે પ્રકારની વ્‍યવસ્‍થા ઉભી કરવા સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સફળ રહ્યા છે જેના કારણે જ આજે ટચૂકડા સંઘપ્રદેશમાં ઔદ્યોગિક, પ્રવાસન તથા શૈક્ષણિક ક્ષેત્રે સમૃદ્ધિ જોવા મળી રહી છે.

Related posts

ચીખલી તાલુકા સહિત જિલ્લામાં ઈન્‍કમટેક્ષ રિટર્ન ફાઈલ થયેલ હોય તેવા પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિના લાભાર્થી ખેડૂતોને રિકવરી માટે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા નોટિસ ફટકારવામાં આવી

vartmanpravah

દાનહના આદિવાસી વિકાસ સંગઠન સંચાલિત ‘આદિવાસી ભવન’ હવે ‘એકલવ્‍ય ભવન’ તરીકે ઓળખાશે

vartmanpravah

બીલીમોરાની માનસિક અસ્‍થિર મહિલા વલસાડ આવી પહોંચતા સખી વન સ્‍ટોપ સેન્‍ટરે પરિવાર સાથે મિલન કરાવ્‍યું

vartmanpravah

વલસાડના સેગવી ગામની સર્વોદય હાઇસ્‍કૂલમાં જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની પૂર્ણાહુતિ

vartmanpravah

કાકડકોપર ગામે સંત પ્રવર શ્રી વિજ્ઞાનદેવજી મહારાજની સંકલ્‍પ યાત્રા કન્‍યાકુમારી થી કાશ્‍મીર વાર્ષિક મહોત્‍સવનો આધ્‍યાત્‍મિક સંદેશ લઈને આવશે

vartmanpravah

વાપી ડુંગરા કોલોની સ્‍કૂલમાં ધારાસભ્‍ય રમણલાલ પાટકરની ઉપસ્‍થિતીમાં વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

Leave a Comment