July 28, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહની નરોલી ગ્રા.પં.ના સરપંચ પદે લીનાબેન પટેલ બિનહરિફ વિજેતાઃ માત્ર ઔપચારિક જાહેરાત બાકી 

  • પ્રદેશ ભાજપે નરોલી ગ્રામ પંચાયતના સરપંચ પદે કાર્યરત ધર્મેશભાઈ પટેલના થયેલા આકસ્‍મિક નિધન બાદ તેમની ધર્મપત્‍નીને દાવેદારી કરાવી સરપંચ બનાવી આપેલી સાચી શ્રદ્ધાંજલિ

  • દાદરા નગર હવેલીના વિરોધ પક્ષોની બોલતી બંધઃ લીનાબેન પટેલની દાવેદારીને આવકારવા પડેલી ફરજ 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા. 20 : દાદરા નગર હવેલીના નરોલી ગ્રામ પંચાયતમાં સરપંચ ધર્મેશ પટેલના થયેલા અકાળે અવસાન બાદ ખાલી પડેલા સરપંચના પદ માટે પ્રદેશ ભાજપે સ્‍વ. ધર્મેશ પટેલના ધર્મપત્‍ની શ્રીમતી લીનાબેન પટેલને સરપંચ પદના ઉમેદવાર બનાવી પરિપક્‍વ રાજનીતિના દર્શન કરાવ્‍યા છે.

આજે ઉમેદવારી પત્રક ભરવાના અંતિમ દિવસે સરપંચ પદના ભાજપના ઉમેદવાર શ્રીમતી લીનાબેન ધર્મેશભાઈ પટેલ સામે કોઈ ઉમેદવારી નહીં કરતાં તેમનો બિનહરિફ વિજય નિヘતિ બન્‍યો છે.

નરોલી ગ્રામ પંચાયતના સરપંચ સ્‍વ. ધર્મેશભાઈ પટેલદાદરા નગર હવેલીમાં થઈ રહેલા સર્વાંગી વિકાસથી ખુબ જ પ્રભાવિત હતા અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ કલ્‍યાણકારી યોજનાઓનું કરવામાં આવી રહેલ કાર્યાન્‍વયનના પણ તેઓ મોટા પ્રશંસક હતા. જેના કારણે જ તેમણે દાદરા નગર હવેલીમાં સૌથી પહેલાં ભાજપનું દામન પકડવાની જાહેરાત કરી હતી.

પ્રદેશ ભાજપે નરોલી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ સ્‍વ. ધર્મેશભાઈ પટેલની ધર્મપત્‍નીને સરપંચ પદના ઉમેદવાર બનાવી બિનહરિફ વિજેતા પણ બનાવતા વિરોધ પક્ષોને પણ હવે તેમના સમર્થનની ફરજ પડી છે.

Related posts

સેલવાસનો યુવાન નદીમા ન્‍હાવા જતા ડુબી જતા મોત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.31 સેલવાસનો યુવાન એના મિત્રો સાથે દમણગંગા નદીમા ન્‍હાવા ગયો હતો. તે સમયે ડુબી જતા એનું મોત થયુ હતુ. પ્રાપ્ત વિગત અનુસાર શ્રી અજય પંકજ શર્મા ઉ.વ.22 રહેવાસી પાતલિયા ફળિયા જે બપોરના સમયે ગરમી હોવાને કારણે એના મિત્રો સાથે સર્કીટ હાઉસની આગળ દમણગંગા નદીમાં નહાવા માટે એના મિત્રો સાથે નીકળ્‍યો હતો. પરંતુ તે એના મિત્રો કરતા આગળ જ નદી કિનારે પોહચી ગયો હતો અનેનદીમાં કુદી પડયો હતો. પાછળ આવેલ એમના મિત્રોએ એને નદીમા ડુબતો જોઈને તેઓ પણ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ બચી શકયો ના હતો. આ ઘટના અંગે ફાયર વિભાગ અને પોલીસની ટીમને જાણ કરતા તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી હતી અને ફાયરવિભાગની ટીમે અજયની લાશને શોધી નદીમાંથી બહાર કાઢવામા આવ્‍યો હતો. ત્‍યારબાદ લાશને પીએમ માટે વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામા આવી હતી.

vartmanpravah

નાની દમણના મેલડી માતાજી મંદિરના પટાંગણમાં અગામી શનિવારથી ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ

vartmanpravah

ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડે મોટી દમણના જમ્‍પોર ખાતે પક્ષીઘરનું કરેલું લોકાર્પણ

vartmanpravah

ચીખલીના મજીગામમાં શ્રીજી નવરાત્રી મહોત્‍સવમાં મીડિયાકર્મીઓએ આરતીમાં ભાગ લઈ ગરબાની રમઝટને માણી

vartmanpravah

વાપી કરવડ ગામે ભંગારના ગોડાઉનમાં ભિષણ આગ લાગી : ભંગાર ગોડાઉનોમાં આગ લાગવાનો સિલસિલો યથાવત

vartmanpravah

દમણ નેહરુ યુવા કેન્‍દ્ર દ્વારા સ્‍પોર્ટ્‍સ મીટ યોજાઈ

vartmanpravah

Leave a Comment