-
પ્રદેશ ભાજપે નરોલી ગ્રામ પંચાયતના સરપંચ પદે કાર્યરત ધર્મેશભાઈ પટેલના થયેલા આકસ્મિક નિધન બાદ તેમની ધર્મપત્નીને દાવેદારી કરાવી સરપંચ બનાવી આપેલી સાચી શ્રદ્ધાંજલિ
-
દાદરા નગર હવેલીના વિરોધ પક્ષોની બોલતી બંધઃ લીનાબેન પટેલની દાવેદારીને આવકારવા પડેલી ફરજ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 20 : દાદરા નગર હવેલીના નરોલી ગ્રામ પંચાયતમાં સરપંચ ધર્મેશ પટેલના થયેલા અકાળે અવસાન બાદ ખાલી પડેલા સરપંચના પદ માટે પ્રદેશ ભાજપે સ્વ. ધર્મેશ પટેલના ધર્મપત્ની શ્રીમતી લીનાબેન પટેલને સરપંચ પદના ઉમેદવાર બનાવી પરિપક્વ રાજનીતિના દર્શન કરાવ્યા છે.
આજે ઉમેદવારી પત્રક ભરવાના અંતિમ દિવસે સરપંચ પદના ભાજપના ઉમેદવાર શ્રીમતી લીનાબેન ધર્મેશભાઈ પટેલ સામે કોઈ ઉમેદવારી નહીં કરતાં તેમનો બિનહરિફ વિજય નિヘતિ બન્યો છે.
નરોલી ગ્રામ પંચાયતના સરપંચ સ્વ. ધર્મેશભાઈ પટેલદાદરા નગર હવેલીમાં થઈ રહેલા સર્વાંગી વિકાસથી ખુબ જ પ્રભાવિત હતા અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓનું કરવામાં આવી રહેલ કાર્યાન્વયનના પણ તેઓ મોટા પ્રશંસક હતા. જેના કારણે જ તેમણે દાદરા નગર હવેલીમાં સૌથી પહેલાં ભાજપનું દામન પકડવાની જાહેરાત કરી હતી.
પ્રદેશ ભાજપે નરોલી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ સ્વ. ધર્મેશભાઈ પટેલની ધર્મપત્નીને સરપંચ પદના ઉમેદવાર બનાવી બિનહરિફ વિજેતા પણ બનાવતા વિરોધ પક્ષોને પણ હવે તેમના સમર્થનની ફરજ પડી છે.