April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહની નરોલી ગ્રા.પં.ના સરપંચ પદે લીનાબેન પટેલ બિનહરિફ વિજેતાઃ માત્ર ઔપચારિક જાહેરાત બાકી 

  • પ્રદેશ ભાજપે નરોલી ગ્રામ પંચાયતના સરપંચ પદે કાર્યરત ધર્મેશભાઈ પટેલના થયેલા આકસ્‍મિક નિધન બાદ તેમની ધર્મપત્‍નીને દાવેદારી કરાવી સરપંચ બનાવી આપેલી સાચી શ્રદ્ધાંજલિ

  • દાદરા નગર હવેલીના વિરોધ પક્ષોની બોલતી બંધઃ લીનાબેન પટેલની દાવેદારીને આવકારવા પડેલી ફરજ 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા. 20 : દાદરા નગર હવેલીના નરોલી ગ્રામ પંચાયતમાં સરપંચ ધર્મેશ પટેલના થયેલા અકાળે અવસાન બાદ ખાલી પડેલા સરપંચના પદ માટે પ્રદેશ ભાજપે સ્‍વ. ધર્મેશ પટેલના ધર્મપત્‍ની શ્રીમતી લીનાબેન પટેલને સરપંચ પદના ઉમેદવાર બનાવી પરિપક્‍વ રાજનીતિના દર્શન કરાવ્‍યા છે.

આજે ઉમેદવારી પત્રક ભરવાના અંતિમ દિવસે સરપંચ પદના ભાજપના ઉમેદવાર શ્રીમતી લીનાબેન ધર્મેશભાઈ પટેલ સામે કોઈ ઉમેદવારી નહીં કરતાં તેમનો બિનહરિફ વિજય નિヘતિ બન્‍યો છે.

નરોલી ગ્રામ પંચાયતના સરપંચ સ્‍વ. ધર્મેશભાઈ પટેલદાદરા નગર હવેલીમાં થઈ રહેલા સર્વાંગી વિકાસથી ખુબ જ પ્રભાવિત હતા અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ કલ્‍યાણકારી યોજનાઓનું કરવામાં આવી રહેલ કાર્યાન્‍વયનના પણ તેઓ મોટા પ્રશંસક હતા. જેના કારણે જ તેમણે દાદરા નગર હવેલીમાં સૌથી પહેલાં ભાજપનું દામન પકડવાની જાહેરાત કરી હતી.

પ્રદેશ ભાજપે નરોલી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ સ્‍વ. ધર્મેશભાઈ પટેલની ધર્મપત્‍નીને સરપંચ પદના ઉમેદવાર બનાવી બિનહરિફ વિજેતા પણ બનાવતા વિરોધ પક્ષોને પણ હવે તેમના સમર્થનની ફરજ પડી છે.

Related posts

ભિખી માતા અને દુધી માતાના નવનિર્મિત મંદિરના પ્રાણ-પ્રતિષ્‍ઠા મહોત્‍સવમાં દમણના કચીગામ કાછલ ફળિયા સહિત સમગ્ર વિસ્‍તાર ભક્‍તિમય બન્‍યો

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા પખવાડા’ અંતર્ગત દમણ-દીવના પૂર્વ સાંસદ અને ભાજપના વરિષ્‍ઠ નેતા ગોપાલ દાદાના નેતૃત્‍વમાં માછી સમાજે બરૂડિયા શેરી સહિત વિવિધ વિસ્‍તારમાં કરેલું એક કલાકનું શ્રમદાન

vartmanpravah

જિલ્લામાં કોમી એકતા અને એખલાસભર્યુ વાતાવરણ જાળવી રાખવા જિલ્લા એકતા સમિતિની રચના કરાઈ

vartmanpravah

હિંમતનગર ફુડ વિભાગની નામ માત્રની કામગીરી શહેરના ડી માર્ટ અને રિલાયન્‍સ મોલમાંથી શંકાસ્‍પદ સેમ્‍પલ મેળવવામાં આવ્‍યા

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રશાસનની યોજનાઓ અને વિકાસકામોમાં ડો. બાબા સાહેબ આંબેડકરની સમાનતા અને પં. દીન દયાળ ઉપાધ્‍યાયની અંત્‍યોદય નીતિનું પડતું પ્રતિબિંબ

vartmanpravah

વલસાડ જિલ્લા કાનૂની સેવા સમિતિ દ્વારા બાળકોના જાતિય સતામણી અંગે કાયદાકીય તાલીમ યોજાયો

vartmanpravah

Leave a Comment