Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાંસદાના સિણધઈ ગામે દીપડાએ ધોળા દિવસે બે ખેત મજૂરો પર હુમલો કરતા લોહી લુહાણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.03: વાંસદા તાલુકાના સિણધઈ રાજમલા ગામે શુક્રવારની સવારના સમયે ખેત મજૂરો ખેતી કામ કરી રહ્યા હતા. દરમ્‍યાન ખેતરમાં સંતાઈ રહેલ દીપડાએ એકા એક બે મજૂર ઉપર હુમલો કરતા નાસ ભાગ મચી જવા પામી હતી. ધોળા દિવસે બે ખેત મજૂર પર દીપડાએ હુમલો કરતા સ્‍થાનિકોમાં ફફડાટ વ્‍યાપી જવા પામ્‍યો હતો.
છેલ્લા કેટલાક સમયથી દીપડો અવાર નવાર જિલ્લામાં રાત્રીના સમયે કે દિવસ દરમ્‍યાન લટાર મારતાં હોવાનો વીડિયો સોશ્‍યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ત્‍યારે શુક્રવારની સવારના સમયે વાંસદાનાં સિણધઈ ગામે ખેત મજૂરો પર હુમલાની ઘટનાને લઈ સ્‍થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામમાં કે ઘરમાં ઘુસી પશુ મારણ કરનાર દીપડો હવે ધોળે દિવસે પણ શિકારની શોધમાં નીકળી આવતાં લોકોમાંભયનો માહોલ સર્જાયો હતો. જોકે ઘટનાને પગલે વન વિભાગ દ્વારા જરૂરી સર્વે કરી પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરી હતી.

Related posts

તા.10મીએ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની વર્ચ્‍યુઅલ ઉપસ્‍થિતિમાં નવસારી જિલ્લાની તમામ વિધાનસભા વિસ્‍તારમાં નવનિર્મિત પી.એમ.આવાસોના ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

દમણ માછી સમાજ દ્વારા આયોજીત શ્રીમદ્‌ દેવી ભાગવત કથાની હવન આહુતિ સાથે કરાયેલી પૂર્ણાહુતિ

vartmanpravah

આંખના દર્દીઓના લાભાર્થે ધરમપુર વિલ્સન હિલ પર હાફ મેરેથોન યોજાઈ, ૭૦૦ દોડવીરો દોડ્યા

vartmanpravah

વિધાનસભા ચૂંટણી પહેલાં ‘આપ’માં ભંગાણ પડ્યુંઃ વલસાડ લોકસભા બેઠક પ્રમુખ ડો.રાજીવ પાંડેનું રાજીનામું

vartmanpravah

બુધવારથી દમણના દાભેલમાં વિશ્વ પ્રસિદ્ધ કથાકાર પ.પૂ.મેહુલભાઈ જાની બાપુની શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનો થનારો પ્રારંભ

vartmanpravah

અમદાવાદના માન યુથ સર્કલ ટ્રસ્‍ટના સૌજન્‍યથી ‘નશા મુક્‍ત ભારત અભિયાન’ અંતર્ગત દીવ જિલ્લા પ્રશાસન દ્વારા ‘કાલી રાણી’ નાટકની કરાયેલી પ્રસ્‍તૂતિ

vartmanpravah

Leave a Comment