Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

બાગાયત વિભાગની સહાય યોજનાનો લાભ મેળવવાI I-KHEDUT પોર્ટલ પર તા.31 ઓક્‍ટો. સુધી અરજી કરવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.11: બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે વર્ષ 2023-24 માં બાગાયત ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો માટે ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે I-KHEDUT પોર્ટલ તા.31/10/2023 સુધી સરકારશ્રી દ્વારા ખુલ્લુ મૂકવામાં આવ્‍યું છે. બાગાયત વિભાગનીયોજનાઓના ઘટકો જેવા કે સરગવાની ખેતીમાં સહાય, આંબા – જામફળ ફળ ઉત્‍પાદકતા વધારવાનો કાર્યક્રમ, કમલમ (ડ્રેગન ફ્રુટ) ફળપાક ખેતીમાં સહાય, કેળ ટીસ્‍યુ વાવેતરમાં સહાય, કોમ્‍પ્રીહેન્‍સીવ હોર્ટીકલ્‍ચર ડેવલપમેન્‍ટ કાર્યક્રમ, ટીસ્‍યુ છોડ દ્વારા ખારેકની ખેતીમાં વાવેતર વિસ્‍તાર વધારવા માટે સહાય, ફળપાક પ્‍લાન્‍ટીંગ મટીરીયલ્‍સ, ફળપાક પ્‍લાન્‍ટીંગ મટીરીયલ્‍સ (વન બંધુ યોજના), ઔષધીય પાકો માટેના ડીસ્‍ટીલેશન યુનિટમાં સહાય, ખેતર પરના શોંર્ટીગ ગ્રેડીગ પેકીંગ એકમ ઉભા કરવા સહાય, કોલ્‍ડ ચેઈન મેનેજમેન્‍ટ (વિજદરમાં સહાય), હવાઈ માર્ગે બાગાયત પેદાશોની નિકાસ માટેના નુરમાં સહાય જેવી કાર્યરત યોજનાઓનો સહાય લાભ લેવા માટે https://ikhedut.gujarat.gov.in વેબસાઈટ પર પોતાના ગામના ઈ-ગ્રામ સેન્‍ટર કે કોઇ ખાનગી ઈન્‍ટરનેટ ઉપરથી અથવા નાયબ બાગાયત નિયામક, વલસાડ કચેરી ખાતે સવારના 11.00 કલાકથી સાંજના 5.00 કલાક દરમ્‍યાન 7/12, 8-અ ની નકલ, આધાર કાર્ડની નકલ, જાતિનો દાખલો, બેંક ખાતાની વિગતો સાથે લઈ સંબંધિત ઘટકમાં અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ નક્‍લ જરૂરી સાધનિક કાગળો સાથે દિન (10) માં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, શ્રમજીવી વિદ્યામંડળ સંકુલ, પહેલો માળ, એચ.ડી.એફ.સી. બેંક સામેની ગલીમાં, તિથલરોડ, વલસાડ-396001 ખાતે અચૂક જમા કરાવવાના રહેશે એમ નાયબ બાગાયત નિયામક, વલસાડ કચેરીની અખબાર યાદીમાં જણાવાયુ છે.

Related posts

આજે વાપીમાં શાંતિદૂત ભગવાન બુદ્ધ જયંતીની ઉજવણી : વિશાળ રેલી યોજાશે

vartmanpravah

દાદરા નગર હવેલીના ખેલો ઇન્‍ડિયા સ્‍ટેટ સેન્‍ટર ઓફ એક્‍સેલન્‍સ ખાતે ટેબલ ટેનિસ હાઈ પરફોર્મન્‍સ કેમ્‍પનો પ્રારંભ

vartmanpravah

વલસાડમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે હલ્લાબોલ કાર્યક્રમ યોજાયોઃ કલેક્‍ટરને આવેદન અપાયું

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ ઓ.બી.સી.મોર્ચાના અધ્‍યક્ષ શ્રી હરિશભાઈ પટેલે દમણ ખાતે ક્ષેત્રિય પંચાયત પરિષદમાં ઉપસ્‍થિત રહેલા ભાજપના રાષ્‍ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી.એલ.સંતોષ સાથે કરેલી પ્રાસંગિક મુલાકાત.

vartmanpravah

લક્ષદ્વીપના ઓલરાઉન્‍ડ વિકાસથી કેન્‍દ્રિય વિજળી અને આવાસ તથા શહેરી વિકાસ મંત્રી મનોહર લાલ ખટ્ટર પ્રભાવિત

vartmanpravah

વલસાડ જિલ્લા કલેક્‍ટર અનસુયા ઝાની અધ્‍યક્ષતામાં નિર્મળ ગુજરાત 2.0 અભિયાનને વધુ અસરકારક બનાવવા એક દિવસીય તાલીમ યોજાઈ

vartmanpravah

Leave a Comment