June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે વાપી જલારામ મંદિરે મહાપ્રસાદનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: ‘દેને કો ટુકડા ભલા લેને કો હરી નામ..’ જેવા સેવાના કામો અનેક લોકોના પેટની આંતરડી ઠારતું સદા વ્રત જેના સંતના નામ થી આજે પણ ગુજરાતના ખૂણે ખૂણે ચાલે છે એવા સંત શ્રી જલારામ બાપાના વાપી ખાતે આવેલા મંદિરે શ્રાવણ માસ સમગ્ર 30 દિવસ સુધી સતત મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું હતું. વાપીના નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલા જલારામ બાપાના મંદિરે સમાન્‍ય સંજોગોમાં દર ગુરૂવારે ખીચડી-કઢી અને શાકનો મહાપ્રસાદ યોજાય છે. અહીંઆવનારા તમામ લોકોને ભોજન પીરસવાની તેમજ અનેક સેવાકીય કામગીરી આપતા સેવકો દ્વારા આજે શ્રાવણ મહિના રવિવારે મહાપ્રસાદનું ભવ્‍ય આયોજન કરાયું હતું. મંદિરમાં સેવા આપતા સેવકો દ્વારા પણ બાપાના સિદ્ધાંતો સાથે લોકસેવામાં આજે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, અહીં સેવા આપવા આવનારા અનેક સેવકો શિયાળો, ઉનાળો હોય કે ચોમાસોનો ધોધમાર વરસાદ તેમ છતાં પણ ગુરૂવારના દિવસે આ તમામ સેવકો હજારો લોકોને મહાપ્રસાદ પીરસવા તેમજ રસોડામાં વિવિધ પ્રકારની સેવાઓ આપવા માટે આવતા હોય છે આ તમામ સેવકોને લીધે જ મોટાભાગની કામગીરી અહીં ખૂબ આસાનીથી થાય છે ત્‍યારે આ સેવકો દ્વારા આજે શ્રાવણના છેલ્લા દિવસે જલારામ બાપાના મંદિરે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું.

Related posts

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે સ્‍વતંત્રતાના 75 વર્ષઃ વિજ્ઞાન અનેટેકનોલોજીમાં ભારતની સિદ્ધિઓપ્રદર્શનનું ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

ધરમપુરના વાંસદાજંગલ ગામે પતિની પ્રેમીકાનું ઢીમ ઢાળવા નિકળેલી પત્‍નીએ ભૂલથી પ્રેમીકાની માતાની હત્‍યા કરી પોતે આપઘાત કરીલીધો

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ પર એક વ્‍યક્‍તિને કારે ટક્કર મારતા સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

રેલ્‍વે સંસદીય બેઠકમાં ભાગ લેવા પૂર્વે વાપીમાંપધારેલ સીકર સાંસદ સ્‍વામી સુમેદાનંદ સરસ્‍વતિનું સ્‍વાગત કરાયું

vartmanpravah

આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ: વલસાડ જિલ્લામાં ડેન્ગ્યુનો ડર ઘટ્યો, વર્ષ ૨૦૧૯માં ૩૪૫ દર્દી હતા જે ઘટીને વર્ષ ૨૦૨૨માં માત્ર ૨૨ થયા

vartmanpravah

‘કરુણા ફાઉન્‍ડેશન’ દ્વારા અષાઢી બીજ તથા ગુરૂપૂર્ણીમાનાં પવિત્ર તહેવાર સંદર્ભે કતલખાના, નોનવેજનાં તમામ વેચાણ બંધ રખાવવા ગુજરાત સરકારને રજૂઆત

vartmanpravah

Leave a Comment