Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે વાપી જલારામ મંદિરે મહાપ્રસાદનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: ‘દેને કો ટુકડા ભલા લેને કો હરી નામ..’ જેવા સેવાના કામો અનેક લોકોના પેટની આંતરડી ઠારતું સદા વ્રત જેના સંતના નામ થી આજે પણ ગુજરાતના ખૂણે ખૂણે ચાલે છે એવા સંત શ્રી જલારામ બાપાના વાપી ખાતે આવેલા મંદિરે શ્રાવણ માસ સમગ્ર 30 દિવસ સુધી સતત મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું હતું. વાપીના નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલા જલારામ બાપાના મંદિરે સમાન્‍ય સંજોગોમાં દર ગુરૂવારે ખીચડી-કઢી અને શાકનો મહાપ્રસાદ યોજાય છે. અહીંઆવનારા તમામ લોકોને ભોજન પીરસવાની તેમજ અનેક સેવાકીય કામગીરી આપતા સેવકો દ્વારા આજે શ્રાવણ મહિના રવિવારે મહાપ્રસાદનું ભવ્‍ય આયોજન કરાયું હતું. મંદિરમાં સેવા આપતા સેવકો દ્વારા પણ બાપાના સિદ્ધાંતો સાથે લોકસેવામાં આજે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, અહીં સેવા આપવા આવનારા અનેક સેવકો શિયાળો, ઉનાળો હોય કે ચોમાસોનો ધોધમાર વરસાદ તેમ છતાં પણ ગુરૂવારના દિવસે આ તમામ સેવકો હજારો લોકોને મહાપ્રસાદ પીરસવા તેમજ રસોડામાં વિવિધ પ્રકારની સેવાઓ આપવા માટે આવતા હોય છે આ તમામ સેવકોને લીધે જ મોટાભાગની કામગીરી અહીં ખૂબ આસાનીથી થાય છે ત્‍યારે આ સેવકો દ્વારા આજે શ્રાવણના છેલ્લા દિવસે જલારામ બાપાના મંદિરે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું.

Related posts

ગાંધીનગર સ્‍ટેટ મોનિટરિંગ સેલે ચીખલી હાઇવે પરથી દારૂ ભરેલ ટ્રક સાથે એકની ધરપકડ કરી 

vartmanpravah

દાનહ ઈન્‍ડિયન રિઝર્વ બટાલીયન દ્વારા રાઇઝીંગ ડે નિમિત્તે મેડિકલ અને રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં બુધવારે બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો

vartmanpravah

ધરમપુર-કપરાડામાં એસ.ટી.ની પ્રવાસન બસને મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ, આગામી બંને રવિવારનું બુકિંગ ફૂલ

vartmanpravah

સેલવાસ ન.પા. વિસ્‍તારમાં ટ્રેડ લાયસન્‍સ પોલીસી લાગુ કરવા સામાજીક કાર્યકર્તા સુધીર રમણ પાઠકે ચીફ ઓફિસરને કરેલી રજૂઆત

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ દમણ દ્વારા કપરાડાના મુળગામ, ગવટકા તથા ચાંદવેંગણના ગરીબ જરૂરિયાતમંદ લોકોને ધાબળા અને કપડાંનુ કરાયેલું વિતરણ

vartmanpravah

Leave a Comment