June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મોટાપોંઢાની આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજમાં પર્યાવરણ જાગૃત્તિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

પ્રદૂષણ સામે જંગલો આપણુ રક્ષણ કરતા હોય સામુદાયિક વારસાનું જનત ખૂબ જરૂરીઃ નિલમ પટેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મોટાપોંઢા ખાતે આવેલી શ્રી મુમ્‍બાદેવી આટર્સ એન્‍ડ શ્રીમતી એસ.આર. ચમારીયા કોમર્સ કોલેજમાં ‘પર્યાવરણ જાગૃતિ અભિયાન’ અંતર્ગત ધરમપુર તાલુકાના ખોબા ગામ સ્‍થિત લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્‍ટના ફાઉન્‍ડર ટ્રસ્‍ટી નિલમભાઈ પટેલનં વક્‍તવ્‍ય યોજાયું હતું.
જળ, જમીન અને જંગલને ધ્‍યાનમાં લઈ વિવિધ ઉદાહરણો થકી યુવા પેઢી સમક્ષ નિલમભાઈ પટેલે પ્રેરક વક્‍તવ્‍ય આપતા જણાવ્‍યું કે, જળ, જંગલ અને જમીન એ આપણોસામુદાયિક વારસો છે. જેનું જતન કરવુ ખૂબ જ જરૂરી છે. જંગલો રહેશે તો જમીનનું ધોવાણ અટકશે. આપણા ધરમપુર અને કપરાડામાં 100 થી 125 ઈંચ વરસાદ પડે છે, વૃક્ષો હશે તો વરસાદનું પાણી મૂળિયા થકી જમીનમાં ઉતરશે જેથી જમીનમાં ભેજ રહેશે અને ખેતીના પાકોમાં લાભ મળશે. જંગલો નાશ પામતા અટકાવવા માટે નવી પેઢીએ જંગલ સંવર્ધનનું કામ કરવુ જોઈએ. આપણા સામુદાયિક વારસાનો ખપપૂરતો ઉપયોગ કરવો જોઈએ જેથી નવી પેઢીને પણ આ સામુદાયિક વારસાનો લાભ મળી શકે. જો આપણે પર્યાવરણનું જતન નહીં કરીશુ તો કુદરતી સંતુલામાં હસ્‍તક્ષેપ કહેવાશે. પ્રદૂષણ સામે વર્ષોથી જંગલો આપણુ રક્ષણ કરી રહ્યા છે તેમના થકી જ કાર્બન અને અન્‍ય ઝેરી હવા સામે રક્ષણ મળે છે. જો આપણે સમયસર નહિ જાગીએ તો કલાયમેન્‍ટ ચેન્‍જની અસર વર્તાશે હવે જાગૃત થઈ જળ, જંગલ અને જમીનનું જતન કરવાની જવાબદારી ગ્રામજનોની સાથે સાથે શહેરીજનોની પણ એટલી જ છે. અને એટલે જ હવે દેશના યુવા ધને પણ પર્યાવરણને બચાવી લેવા માટે ઝૂંબેશ ઉપાડી લેવી જોઈએ.
આ કાર્યક્રમ દરમિયાન સંસ્‍થાના પ્રમુખ કેતનભાઈ પટેલ અને ઈન્‍ચાર્જ આચાર્ય ડૉ.એસ. યુ. પટેલના માર્ગદર્શન હેઠળ ચર્ચાસભાના અધ્‍યક્ષ ડૉ.આશા ગોહિલ તથા પ્રા.વી. એન. દેસાઈ દ્વારા આયોજિત આ કાર્યક્રમનુંસંચાલન ડૉ.આશા ગોહિલે કર્યું હતું. ઈન્‍ચાર્જ પ્રિ. ડૉ. એસ. યુ. પટેલે સ્‍વાગત પ્રવચન કર્યું હતું. કોલેજ પરિવારમાંથી પ્રા. આર. એલ. પટેલ, પ્રા. એ. જે. ઠાકોર, પ્રા. ડૉ. એસ. એન. પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવામાં માટે વિદ્યાર્થીઓ તથા રાજુભાઈ સોલંકી તથા નર્મદાબેન પટેલે જહેમત ઉઠાવી હતી.

Related posts

વલસાડની શાકમાર્કેટનાં પ્રશ્ને લોકદરબાર બોલાવવાની કલેકટર સમક્ષ માંગણી

vartmanpravah

લોકસભા સામાન્‍ય ચૂંટણી – 2024 અન્‍વયે જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકના અધ્‍યક્ષસ્‍થાને પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાઈ

vartmanpravah

‘બાળ લગ્ન મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત દીવ કલેક્ટર કચેરીમાં શપથ ગ્રહણ સમારોહનું કરાયેલું આયોજન

vartmanpravah

હોકીના મહાનખેલાડી મેજર ધ્‍યાનચંદની જન્‍મ જયંતિના અવસરે સંઘપ્રદેશના ત્રણેય જિલ્લામાં ‘રાષ્‍ટ્રીય રમત-ગમત દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહમાં શાળા અને આંગણવાડીના કુલ 12236 બાળકોનું પહેલાં દિવસે કરાયું આરોગ્‍ય સ્‍ક્રીનિંગ

vartmanpravah

મોતીવાડા ચકચારિત રેપ વીથ મર્ડરના સીરીયલ કિલરે વધુ એક લૂંટ વિથ મર્ડરનો ગુનો કબૂલ્‍યો

vartmanpravah

Leave a Comment