October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં ‘‘સાપની ઓળખ અને ડંખ મારે ત્‍યારે શું કાળજી” વિષય પર સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.06: વલસાડ જિલ્લાનાઉમરગામ તાલુકામાં ભીલાડ ખાતે સ્‍થિત ગવર્નમેન્‍ટ સાયન્‍સ કોલેજમાં સપ્તધારા અંતર્ગત સાપની ઓળખ અને સાપ ડંખ મારે ત્‍યારે શું કાળજી રાખવી વિષય પર સેમિનાર યોજાયો હતો. જેમાં કર્તવ્‍ય એન.જી.ઓ.ના મુખ્‍ય સ્‍પીકર નિપુણ પંડ્‍યા અને એમની ટીમ દ્વારા મહત્‍વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. સેમિનારનું સંચાલન અને સંકલન યોગેશ હળપતિ દ્વારા કરવામાં આવ્‍યું હતું. પૃષ્ઠભૂમિમાં ગવર્નમેન્‍ટ સાયન્‍સ કોલેજ ભિલાડના પ્રિન્‍સિપલશ્રી દીપક ધોબી દ્વારા માર્ગદર્શન અને સહકાર આપવામાં આવ્‍યો હતો. કાર્યક્રમમાં સાપની વિવિધ જાતિઓની ઓળખાણ, તેમને ઓળખવાની રીતો, અને સાંપના ડંખ બાદ રાખવાની થતી યોગ્‍ય કાળજી અને સારવારની પ્રક્રિયાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. વૈશ્વિક સ્‍તરે તાજા સંશોધન અને એન્‍ટિવેનમના વિકાસ પર પણ વાતચીત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને સંકટની સ્‍થિતિમાં સુરક્ષિત નિવારણ અને સારવાર અંગે મૂલ્‍યવાન માહિતી આપવામાં આવી હતી.

Related posts

આજે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસને પ્રદેશમાં સેવા દિવસ તરીકે મનાવાશે

vartmanpravah

નામધા-ચંડોરમાં સંઘપ્રદેશ અને વાપીની ફાર્મા કંપનીઓની ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાનનો દબદબાભેર પ્રારંભ: નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપીમાં 100 ફૂટ ઉંચા તિરંગાનું ધ્વજારોહણ

vartmanpravah

ભાજપના સામાજિક ન્‍યાય સપ્તાહ અંતર્ગત દાનહ અને દમણ-દીવ પ્રદેશ યુવા મોર્ચાએ સામરવરણી મંડળ ખાતે યુવા સંવાદ કાર્યક્રમનું કરેલું આયોજન

vartmanpravah

કે.બી.એસ. કોમર્સ એન્‍ડ નટરાજ સાયન્‍સીસ કોલેજ હેન્‍ડબોલમાં ઝળકી

vartmanpravah

વલસાડ તિથલ રોડ ઉપર એપાર્ટમેન્‍ટનો સ્‍લેબ તૂટયો : બે દુકાનદારને સલામત બચાવી લેવાયા

vartmanpravah

Leave a Comment