Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં ‘‘સાપની ઓળખ અને ડંખ મારે ત્‍યારે શું કાળજી” વિષય પર સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.06: વલસાડ જિલ્લાનાઉમરગામ તાલુકામાં ભીલાડ ખાતે સ્‍થિત ગવર્નમેન્‍ટ સાયન્‍સ કોલેજમાં સપ્તધારા અંતર્ગત સાપની ઓળખ અને સાપ ડંખ મારે ત્‍યારે શું કાળજી રાખવી વિષય પર સેમિનાર યોજાયો હતો. જેમાં કર્તવ્‍ય એન.જી.ઓ.ના મુખ્‍ય સ્‍પીકર નિપુણ પંડ્‍યા અને એમની ટીમ દ્વારા મહત્‍વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. સેમિનારનું સંચાલન અને સંકલન યોગેશ હળપતિ દ્વારા કરવામાં આવ્‍યું હતું. પૃષ્ઠભૂમિમાં ગવર્નમેન્‍ટ સાયન્‍સ કોલેજ ભિલાડના પ્રિન્‍સિપલશ્રી દીપક ધોબી દ્વારા માર્ગદર્શન અને સહકાર આપવામાં આવ્‍યો હતો. કાર્યક્રમમાં સાપની વિવિધ જાતિઓની ઓળખાણ, તેમને ઓળખવાની રીતો, અને સાંપના ડંખ બાદ રાખવાની થતી યોગ્‍ય કાળજી અને સારવારની પ્રક્રિયાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. વૈશ્વિક સ્‍તરે તાજા સંશોધન અને એન્‍ટિવેનમના વિકાસ પર પણ વાતચીત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને સંકટની સ્‍થિતિમાં સુરક્ષિત નિવારણ અને સારવાર અંગે મૂલ્‍યવાન માહિતી આપવામાં આવી હતી.

Related posts

દાનહ પોલીસ દ્વારા 42 લાખના 295 મોબાઈલ રિકવર કરાયા

vartmanpravah

દાનહના પદાધિકારીઓએ કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રીનું કરેલું સ્‍વાગત

vartmanpravah

સંઘપ્રદેશના ગ્રામ્‍ય વિકાસ વિભાગના સચિવ તરીકે ગૌરવ સિંહ રાજાવતે ગ્રામજનોમાં પેદા કરેલો આત્‍મિય ભાવ

vartmanpravah

કચીગામ પંચાયત વિસ્‍તારનું એક પણ ઘર નળના કનેક્‍શનથી વંચિત નહી રહી જાય તેની તકેદારી લઈ રહેલા સરપંચ અને જિ.પં. સભ્‍ય

vartmanpravah

સુરંગી ગુજરાતી મીડિયમ હાઈસ્‍કૂલનું ધોરણ 10નું 99 ટકા પરિણામ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહમાં “વન્‍યજીવ સપ્તાહ” અંતર્ગત વક્તૃત્વ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment