Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

આજે મોટી દમણના લાઈટ હાઉસ બીચ ખાતે શિવસિંધુ મહોત્‍સવ યોજાશે

સુપ્રસિદ્ધ આચાર્ય સંજય પંડિત મહારાજ દ્વારા 101 કરતા વધુ દંપત્તિઓને શાષાોક્‍ત વિધિવિધાનથી પૂજા-અર્ચના સાથે અભિષેક કરાવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17: આવતી કાલે મહા શિવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે દમણના સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી સંજય પંડિત મહારાજ દ્વારા મોટી દમણના લાઈટ હાઉસ બીચ ખાતે 10મા શિવસિંધુ મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણના સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી સંજય પંડિત મહારાજ અને ભક્‍તજનો દ્વારા છેલ્લા 9 વર્ષથી શિવસિંધુ કાર્યક્રમમાં માટીના પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરી શાષાોક્‍ત વિધિ-વિધાનથી પૂજા-અર્ચના કરી સમુદ્રમાં વિસર્જન કરવામાં આવશે. આવતી કાલે યોજાનારા શિવસિંધુ મહોત્‍સવમાં 101 કરતા વધુ દંપત્તિઓ ભાગ લેનાર હોવાની જાણકારી મળી રહી છે.
પહેલી વખત મોટી દમણના લાઈટ હાઉસ બીચ ખાતે યોજાનારા શિવસિંધુ મહોત્‍સવમાં સવારે 7:00 વાગ્‍યે અભિષેકના કાર્યક્રમથી મહા શિવરાત્રિની પૂજાનો આરંભ થનાર હોવાની જાણકારી મળી છે.

Related posts

મસાટ ખાતે રહેતી સુનામીકા ક્રિષ્‍ણાકાન્‍ત શુખલા ગુમ

vartmanpravah

વલસાડ ક્રાઈમ બ્રાન્‍ચે ધાડ-મર્ડર-ચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલા બે રીઢા ધાડપાડુ ચોરને ઝડપી પાડયા

vartmanpravah

દાનહ શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલના નૈત્ર ચિકિત્‍સા વિભાગે હાંસલ કરી એક વધુ ઉપલબ્‍ધિ

vartmanpravah

જીએનએલયુ-સેલવાસ કેમ્‍પસના આરંભ પાછળ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દૂરંદેશી અને અથાક પરિશ્રમઃ જીએનએલયુ ડાયરેક્‍ટર પ્રો. (ડૉ.) શાંથાકુમાર

vartmanpravah

નવસારી અને સુરતના કાઉન્‍સિલરને સારી કામગીરી બદલ અભયમ ટીમ દ્વારા સન્‍માનિત કરાયા

vartmanpravah

ખડકીમાં એકલવાયું જીવન જીવતા પતિએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું

vartmanpravah

Leave a Comment