October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બગવાડા ટોલનાકા પર પોરબંદરથી ઉમરગામ વિસ્‍તારના માછીમારો ભરેલીલક્‍ઝરી બસનો પાટો તૂટયો : આબાદ બચાવ

માછીમારો પોરબંદરથી માદરે વતન સેલવાસ, ઉમરગામ, મરોલી તરફ મચ્‍છીમારી સિઝન પૂર્ણ કરી આવી રહ્યા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: પોરબંદરથી ઉમરગામ વિસ્‍તારના માછીમારો લક્‍ઝરી બસમાં માદરે વતન આવી રહ્યા હતા ત્‍યારે બગવાડા ટોલનાકા ઉપર બસનો પાટો તૂટયો. બસ પલટી મારતા સહેજ સહેજમાં બચી ગઈ હતી તેથી તમામ માછીમારોનો આબાદ બચાવ થયો હતો.
ઉમરગામ, મરોલી વિસ્‍તારના માછીમારો માછીમારી કે બોટમાં નોકરી કરવા પોરબંદર બંદરે મોટી સંખ્‍યામાં સ્‍થાયી થઈ વ્‍યવસાય નોકરી કરતા હોય છે. ગતરોજ પોરબંદરથી લક્‍ઝરી બસમાં બેસી માછીમારો માદરે વતન સેલવાસ, ઉમરગામ, મરોલી આવી રહ્યા હતા ત્‍યારે આજે બુધવારે સવારે બગવાડા ટોલનાકા ઉપર લક્‍ઝરી બસનો પાટો તૂટી જતા બસ પલટી મારતા બચી ગઈ હતી. જો કે સદ્દનસીબે બસ ટોલ ટ્રેક ઉપર હોવાથી ગતિ મર્યાદામાં હોવાથી બસ પલટી નહોતી મારી પણ ખડી પડી હતી તેથી બસમાં બેઠેલા 60 ઉપરાંત મુસાફરોનો બાલબાલ બચાવ થયો હતો. હાઈવે ઉપર ચિત્ર વિચિત્ર પ્રકારના અકસ્‍માત થતા હોય છે. મુસાફરોને રઝળવાનો સમય આવ્‍યો હતો. પરંતુ વતનથી તદ્દન નજીક આવી ગયા હોવાથી હાશકારો અનુભવી રહ્યા હતા.

Related posts

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકની રાજકીય પક્ષો સાથે બેઠક મળીઃ ચૂંટણી ખર્ચના હિસાબોથી વાકેફ કરાયા

vartmanpravah

પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા દ્વારા વલસાડ જિલ્લામાં 440 કે.વી. 765 કે.વી. હાઈટેન્‍શન લાઈનની કામગીરીમાં જમીન વળતર માટે ખેડૂતોની મિટીંગ યોજાઈ

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં મતદાન જાગૃકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વિશ્વ હિન્‍દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત દ્વારા પૂ. કપિલ સ્‍વામીજી, પૂ. ગોવિંદરાજજી મહારાજ અને અખંડાનંદજીને અયોધ્‍યા ખાતે ભગવાનશ્રી રામના અભિષેક પ્રસંગે ઉપસ્‍થિત રહેવા આપેલું આમંત્રણ

vartmanpravah

સરકારી કચેરી પરિસર અને તેની ૨૦૦ મીટર ત્રિજ્‍યા વિસ્‍તારમાં ધરણાં-ઉપવાસ કરવા પર પ્રતિબંધ

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ દિપક પ્રધાને જર્જરિત રસ્તાઓના રીપેરીંગ માટે કલેક્ટરને લેખિત રજૂઆત કરી

vartmanpravah

Leave a Comment