-
દાનહ અને દમણ-દીવના સ્થાનિક ડોમિસાઈલ વિદ્યાર્થીઓ માટે 25 બેઠકો અનામત
-
પ્રદેશના સ્થાનિક ડોમિસાઈલ વિદ્યાર્થીઓને પ્રદેશના જય કોર્પોરેશન ઔદ્યોગિક ગૃહ દ્વારા સંપૂર્ણ સ્કોલરશીપ પ્રદાન કરાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21 : આજે સેલવાસના કલા કેન્દ્ર ખાતે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી સેલવાસ કેમ્પસ દ્વારા પ્રથમ બેચ માટે બે દિવસીય ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નેશનલ લૉ યુનિવર્સિટી દિલ્હી અને નાલસાર યુનિવર્સિટી ઓફ લૉ હૈદરાબાદના પૂર્વ અને સ્થાપક વાઈસ ચાન્સેલર અને હાલમાં આઈ.આઈ.એલ.એમ. લૉ સ્કૂલ ગુરૂગ્રામના પ્રો- ચાન્સેલર પ્રોફેસર (ડૉ.) રણબિર સિંઘ, હિમાચલ પ્રદેશ નેશનલ લૉ યુનિવર્સિટીના પ્રો. (ડૉ.) નિશિતા જસવાલ, એસ.આર.અમે. યુનિવર્સિટી દિલ્હીના વાઈસ ચાન્સેલર પ્રો.(ડૉ.) પરમજીત એસ. જસવાલ, ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી ગાંધીનગર અને સેલવાસના ડાયરેક્ટર પ્રો.(ડૉ.) એસ. શાંથાકુમાર, સંઘપ્રદેશના શિક્ષણ સચિવ શ્રી અરૂણ ટી. અને દાદરા નગર હવેલીના કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભા ઉપસ્થિતરહ્યા હતા. આ પ્રસંગે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી ગાંધીનગર-સેલવાસના ડાયરેક્ટર પ્રો.(ડૉ.) એસ. શાંથાકુમારે પોતાના સ્વાગત વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી (જીએનએલયુ) હંમેશા ગુણવત્તાયુક્ત કાનૂની શિક્ષણ પ્રદાન કરવામાં મોખરે રહી છે અને સેલવાસમાં કરાયેલું વિસ્તરણ ઉપલબ્ધતા અને સમાવેશની બાબતમાં અમારા સમર્પણનું માપદંડ છે. તેમણે ભારપૂર્વક સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો આભાર પ્રગટ કરતાં જણાવ્યું હતું કે, તેમના પ્રયાસોના કારણે જ જીએનએલયુનું સેલવાસ કેમ્પસ શરૂ થઈ શક્યું છે.
તેમણે જણાવ્યું હતું કે, જીએનએલયુ સેલવાસની સ્થાપના થવાથી દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિદ્યાર્થીઓને ફક્ત ગુણવત્તાયુક્ત કાનૂની શિક્ષણ જ તેમના ઘરઆંગણે નથી મળવાનું, પરંતુ દેશભરના વિદ્યાર્થીઓ સેલવાસમાં એક સાથે રહેવાથી ભૌગોલિક અને સાંસ્કૃતિક પર્યાવરણ પણ મજબૂત બનશે. આ શક્ય થવા માટે માત્ર અને માત્ર સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની દૂરંદેશી અને અથાક પરિશ્રમનું પરિણામ હોવાનું જણાવ્યું હતું.
ડૉ. શાંથા કુમારે જણાવ્યું હતું કે, સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના નિર્દેશથી જીએનએલયુએ 25 બેઠકો દાદરા નગર હવેલી અને દમણ-દીવના સ્થાનિક ડોમિસાઈલ વિદ્યાર્થીઓમાટે અનામત રાખી છે. તદ્ઉપરાંત પ્રદેશના જય કોર્પોરેશન ઔદ્યોગિક ગૃહે સી.એસ.આર. અંતર્ગત સ્થાનિક વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ સ્કોલરશીપની વ્યવસ્થા કરવા પણ સહમતિ આપી છે.
ડૉ. શાંથાકુમારે જીએનએલયુ સેલવાસ કેમ્પસમાં શરૂ થનારી લેંગ્વેજ લેબ. વિશે પણ પ્રકાશ પાડયો હતો. તેમણે શિક્ષણની સાથે સાથે સ્પોર્ટ્સ અને અન્ય પ્રવૃત્તિઓની પણ જાણકારી આપી હતી.
ડૉ. રણબિર સિંઘે આશા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પાંચ વર્ષ પછી જ્યારે પહેલા બેચના ગ્રેજ્યુએટો બહાર પડશે ત્યારે જીએનએલયુ સેલવાસ કેમ્પસ તમામ લૉ સ્કૂલોને પાછળ રાખશે અને પોતાને શિરમોર ઉપર મુકશે. પરંતુ તેના માટે સખત મહેનતની જરૂરિયાત હોવાનું પણ જણાવ્યું હતું.
જીએનએલયુ – સેલવાસ કેમ્પસના શરૂ થનારા પ્રથમ બેચમાં પાંચ વર્ષના ઈન્ટિગ્રેટેડ બી.એ. એલ.એલ.બી. પ્રોગ્રામમાં 66 બેઠકો અને એક વર્ષના કોન્સ્ટિટયૂશનલ અને એડમિનિસ્ટ્રેટિવ લૉના એલ.એલ.એમ.માં કુલ 33 બેઠકો છે. જે પૈકી 25 ટકા બેઠકો દાદરા નગર હવેલી અને દમણ-દીવના સ્થાનિક ડોમિસાઈલ વિદ્યાર્થીઓ માટે આરક્ષિત હોવાનું જણાવાયું છે.
આ પ્રસંગે જીએનએલયુના રજીસ્ટ્રાર ડૉ. જગદીશચંદ્રએ આભાર વિધિ આટોપી હતી.
*મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને સલાહ*
માત્રઅભ્યાસ પર જ ફોકસ નહીં; રમતગમત અને અન્ય પ્રવૃત્તિઓમાં જોડાઓ
પ્રો. (ડૉ.) શાંથાકુમારે માત્ર અભ્યાસ પર જ ફોકસ નહીં; રમતગમત અને અન્ય પ્રવૃત્તિઓમાં પણ જોડાવા આહવાન કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને સલાહ આપી કે ઞ્ફન્શ્ સેલવાસ ખાતેની તેમની સફર માત્ર શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિશે નથી. તે સર્વગ્રાહી વિકાસ, તમારા જુસ્સાને શોધવા અને આજીવન મિત્રતા બનાવવા વિશે છે. તેમણે વિદ્યાર્થીઓને કેમ્પસ દ્વારા ઓફર કરવામાં આવતી સહ-અભ્યાસિક અને વધારાની પ્રવૃત્તિઓમાં સક્રિયપણે જોડાવા સલાહ આપી હતી. પ્રો. (ડૉ.) શાંથાકુમારે મૂટ કોર્ટ સ્પર્ધાઓમાં ભાગ લેવા, સામુદાયિક સેવાની પહેલમાં જોડાવા, ક્લબ અને સોસાયટીઓમાં જોડાવા અને વ્યક્તિગત વિકાસ અને સ્વ-અભિવ્યક્તિ માટેની તકોને સ્વીકારવા જણાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, આ અનુભવો તમારા પાત્રને આકાર આપશે, તમારી ક્ષિતિજોને વિસ્તૃત કરશે અને તમારી એકંદર શૈક્ષણિક યાત્રાને સમૃદ્ધ બનાવશે.
અંતે, પ્રો. (ડૉ.) શાંથાકુમારે વિદ્યાર્થીઓને સહાનુભૂતિ, કરુણા જેવા ગુણો વિકસાવવા વિનંતી કરી હતી. કાનૂની શિક્ષણ તમને સફળ કારકિર્દી માટે જરૂરી જ્ઞાન અને કૌશલ્યોથી સજ્જ કરે છે, પરંતુ સહાનુભૂતિ, કરુણા જેવા ગુણોનું સંવર્ધન કરવું પણએટલું જ મહત્વનું છે. ભાવિ વકીલો તરીકે, તમારી પાસે લોકોના જીવનમાં પરિવર્તન લાવવાની, ન્યાયના ચેમ્પિયન બનવાની અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા અથવા દલિત લોકો માટે ઊભા રહેવાની અનન્ય તક છે. આ ઉમદા વ્યવસાયના મૂલ્યોને જાળવવાની જવાબદારી તમારા પર છે.
આ ઉમદા વ્યવસાયના મૂલ્યોને જાળવવાની જવાબદારી તમારા પર છે
આ પ્રસંગે સોસાયટી ઓફ ઈન્ડિયન લૉ ફર્મ્સના પ્રમુખ અને વરિષ્ઠ વકીલ શ્રી લલિત ભસીને જણાવ્યું હતું કે, કાયદો એ એક ઉમદા વ્યવસાય છે. ભવિષ્યના વકીલ તરીકે, ભારતમાં વિદેશી કાયદાકીય કંપનીઓના પ્રવેશને ધ્યાનમાં રાખીને આ ઉમદા વ્યવસાયના મૂલ્યોને જાળવવાની જવાબદારી તમારા પર છે. વિદેશી વકીલો આ ઉમદા વ્યવસાયને વ્યવસાયમાં ફેરવવા માંગે છે. તેમણે વિદ્યાર્થીઓને એપ્ટિટ્યૂડ અનુસાર કારકિર્દીની પસંદગી કરવા સલાહ આપી હતી. સિનિયર એડવોકેટ શ્રી લલિત ભસિને કહ્યું કે, ગ્રેજ્યુએશન પર તમારી સમક્ષ ઘણાં વિકલ્પો હશે. તમે લિટીગેશન લોયર બની શકો છો અથવા કોર્પોરેટ લૉ ફર્મમાં જોડાઈ શકો છો, કાયદાના શિક્ષક બની શકો છો અથવા કોર્પોરેટ હાઉસમાં ઇન-હાઉસ વકીલ તરીકે જોડાઈ શકો છો. માતા-પિતાના દબાણ હેઠળ તમારી પસંદગીઓ ન કરશો. કારકિર્દીની પસંદગી કરતી વખતે તમારી પોતાનીયોગ્યતા અને એપ્ટિટયુડના આધારે નિર્ણય કરજો.
આદિવાસી વસ્તી સુધી પહોંચો
દાનહ જિલ્લા કલેક્ટર, શ્રીમતી ભાનુ પ્રભાએ જણાવ્યું હતું કે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં આદિવાસી અને સ્થાનિક વસ્તી છે. તેમણે યુનિવર્સિટીને તેમના સુધી પહોંચવા અને સમુદાય વિકાસ પ્રોજેક્ટ હાથ ધરવા વિનંતી કરી. તેમના અધિકારો અને ફરો વિશે તેમનામાં જાગૃતિ ફેલાવવા જણાવ્યું હતું.
સ્થાનિક વિદ્યાર્થીઓને કાયદાકીય અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કરો અને પ્રેરણા આપો
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના એજ્યુકેશન સેક્રેટરી શ્રી અરુણ ટી.એ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ગામ દત્તક કાર્યક્રમ અને શાળા દત્તક કાર્યક્રમ હાથ ધરવાની સલાહ આપી હતી. કારણ કે, સ્થાનિક લોકો અહીં તેમની હાજરીનો લાભ લઈ શકે. તેમણે જણાવ્યું હતું કે, શાળાઓમાં જાઓ, સ્થાનિક વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરો, કાયદામાં કારકિર્દી વિશે તેમનામાં જાગરૂકતા બનાવો, તેમને કાયદાકીય શિક્ષણ મેળવવા માટે પ્રેરણા આપો અને પ્રોત્સાહિત કરવા વિદ્યાર્થીઓને વિનંતી કરી હતી.
સખત મહેનત અને સમર્પણ દ્વારા જ વ્યક્તિ સફળતા પ્રાપ્ત કરી શકે છે
હિમાચલ પ્રદેશ નેશનલ લૉ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર (ડૉ) નિષ્ઠા જસવાલે સખત મહેનત અને સમર્પણનું મૂલ્યસમજાવવા માટે હિતોપદેશના શ્લોકને ટાક્યા જણાવ્યું હતું કે, વ્યક્તિ ફક્ત વિચારોથી નહીં, પરંતુ સખત મહેનત દ્વારા જ સફળતા પ્રાપ્ત કરી શકે છે. તેમણે જણાવ્યું હતું કે, શું તમે ક્યારેય સાંભળ્યું છે કે સૂતેલા સિંહના મોંમાં હરણ આવે અને ઘૂસી જાય?
નાની તકોનો લાભ ઉઠાવો
પ્રો. (ડૉ.) પરમ જીત જસવાલે વિદ્યાર્થીઓને સલાહ આપી કે તમને મળતી નાની તકોને અવગણશો નહીં. ‘નાની તકોનો લાભ ઉઠાવો, અને મોટી સફળતા આપમેળે તમારા હાથમાં આવશે.’
શરૂઆતમાં જ ઉત્તમ સુવિધાઓ મેળવવા માટે નસીબદાર
પ્રો. (ડૉ.) રણબીર સિંહે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, તમે ભાગ્યશાળી છો કે તમને ખૂબ જ શરૂઆતમાં આવી અદ્ભૂત સુવિધાઓ મળી છે. વિશ્વ વિખ્યાત નેશનલ લૉ સ્કૂલ ઓફ ઈન્ડિયા યુનિવર્સિટીની, શરૂઆત બેંગ્લોર યુનિવર્સિટીના એક ખૂણામાં સાયકલ શેડમાં થઈ હતી. એ જ રીતે, ફખ્ન્લ્ખ્ય્ એ તેની કામગીરી એક જર્જરિત, 90 વર્ષ જૂની ભૂતિયા ઇમારતમાંથી શરૂ કરી હતી!
તેમણે માત્ર શિક્ષણશાષામાં જ નહીં પણ સમુદાય સેવામાં પણ ઈતિહાસ બનાવવા વિદ્યાર્થીઓને સલાહ આપી હતી. પ્રો. (ડૉ.) રણબીર સિંહે કહ્યું કે, તમે હોમ સ્ટેટની બહાર અન્ય કેમ્પસ ધરાવતી પ્રથમ નેશનલ લૉ યુનિવર્સિટી બનીને ઈતિહાસ રચી દીધો છે.હવે, સમુદાય સેવામાં પણ ઇતિહાસ રચો.
ડૉ. રણબીર સિંહે આશા વ્યક્ત કરી હતી કે જ્યારે પ્રથમ બેચ પાંચ વર્ષ પછી સ્નાતક થશે, ત્યારે ઞ્ફન્શ્ સેલવાસ કેમ્પસ અન્ય કાયદાની શાળાઓને પાછળ છોડીને ટોચ પર આવશે. પરંતુ, આ માટે સખત મહેનતની જરૂર પડશે. દેશમાં ઘણી કાયદાની શાળાઓ છે અને સખત સ્પર્ધા છે.