October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બગવાડા ટોલનાકા પર પોરબંદરથી ઉમરગામ વિસ્‍તારના માછીમારો ભરેલીલક્‍ઝરી બસનો પાટો તૂટયો : આબાદ બચાવ

માછીમારો પોરબંદરથી માદરે વતન સેલવાસ, ઉમરગામ, મરોલી તરફ મચ્‍છીમારી સિઝન પૂર્ણ કરી આવી રહ્યા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: પોરબંદરથી ઉમરગામ વિસ્‍તારના માછીમારો લક્‍ઝરી બસમાં માદરે વતન આવી રહ્યા હતા ત્‍યારે બગવાડા ટોલનાકા ઉપર બસનો પાટો તૂટયો. બસ પલટી મારતા સહેજ સહેજમાં બચી ગઈ હતી તેથી તમામ માછીમારોનો આબાદ બચાવ થયો હતો.
ઉમરગામ, મરોલી વિસ્‍તારના માછીમારો માછીમારી કે બોટમાં નોકરી કરવા પોરબંદર બંદરે મોટી સંખ્‍યામાં સ્‍થાયી થઈ વ્‍યવસાય નોકરી કરતા હોય છે. ગતરોજ પોરબંદરથી લક્‍ઝરી બસમાં બેસી માછીમારો માદરે વતન સેલવાસ, ઉમરગામ, મરોલી આવી રહ્યા હતા ત્‍યારે આજે બુધવારે સવારે બગવાડા ટોલનાકા ઉપર લક્‍ઝરી બસનો પાટો તૂટી જતા બસ પલટી મારતા બચી ગઈ હતી. જો કે સદ્દનસીબે બસ ટોલ ટ્રેક ઉપર હોવાથી ગતિ મર્યાદામાં હોવાથી બસ પલટી નહોતી મારી પણ ખડી પડી હતી તેથી બસમાં બેઠેલા 60 ઉપરાંત મુસાફરોનો બાલબાલ બચાવ થયો હતો. હાઈવે ઉપર ચિત્ર વિચિત્ર પ્રકારના અકસ્‍માત થતા હોય છે. મુસાફરોને રઝળવાનો સમય આવ્‍યો હતો. પરંતુ વતનથી તદ્દન નજીક આવી ગયા હોવાથી હાશકારો અનુભવી રહ્યા હતા.

Related posts

દમણ જિલ્લાના શિક્ષકો માટે ક્રિયાત્‍મક સંશોધન અંતર્ગત ડાયટ ભવન, દમણના શિક્ષણ સદનના સભાખંડમાં બે દિવસીય પ્રશિક્ષણ કાર્યક્રમ સહ કાર્યશાળા યોજાઈ

vartmanpravah

પારડી હોસ્‍પિટલમાં ચાલી રહેલો સર્જીકલ કેમ્‍પ

vartmanpravah

પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા રાજ્‍ય સ્‍તરીય ચિત્રકલા સ્‍પર્ધા -2021નું આયોજન કરાયું

vartmanpravah

પારડીમાં ધામધૂમથી થઈ તુલસી વિવાહની ઉજવણી

vartmanpravah

વિશ્નોઈ સમાજ-ગુરુ જંભેશ્વર સેવા સંસ્‍થાન કરમબેલે દ્વારા નવરાત્રિ સ્‍થાપના દિવસે રક્‍તદાન શિબિરનું કરાયેલું આયોજન

vartmanpravah

કરજગામ લાલ પાણીનો મુદ્દો હવે એસટી કમિશનમાં

vartmanpravah

Leave a Comment