સુપ્રસિદ્ધ આચાર્ય સંજય પંડિત મહારાજ દ્વારા 101 કરતા વધુ દંપત્તિઓને શાષાોક્ત વિધિવિધાનથી પૂજા-અર્ચના સાથે અભિષેક કરાવશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.17: આવતી કાલે મહા શિવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે દમણના સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી સંજય પંડિત મહારાજ દ્વારા મોટી દમણના લાઈટ હાઉસ બીચ ખાતે 10મા શિવસિંધુ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણના સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી સંજય પંડિત મહારાજ અને ભક્તજનો દ્વારા છેલ્લા 9 વર્ષથી શિવસિંધુ કાર્યક્રમમાં માટીના પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરી શાષાોક્ત વિધિ-વિધાનથી પૂજા-અર્ચના કરી સમુદ્રમાં વિસર્જન કરવામાં આવશે. આવતી કાલે યોજાનારા શિવસિંધુ મહોત્સવમાં 101 કરતા વધુ દંપત્તિઓ ભાગ લેનાર હોવાની જાણકારી મળી રહી છે.
પહેલી વખત મોટી દમણના લાઈટ હાઉસ બીચ ખાતે યોજાનારા શિવસિંધુ મહોત્સવમાં સવારે 7:00 વાગ્યે અભિષેકના કાર્યક્રમથી મહા શિવરાત્રિની પૂજાનો આરંભ થનાર હોવાની જાણકારી મળી છે.