July 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

આજે મોટી દમણના લાઈટ હાઉસ બીચ ખાતે શિવસિંધુ મહોત્‍સવ યોજાશે

સુપ્રસિદ્ધ આચાર્ય સંજય પંડિત મહારાજ દ્વારા 101 કરતા વધુ દંપત્તિઓને શાષાોક્‍ત વિધિવિધાનથી પૂજા-અર્ચના સાથે અભિષેક કરાવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17: આવતી કાલે મહા શિવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે દમણના સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી સંજય પંડિત મહારાજ દ્વારા મોટી દમણના લાઈટ હાઉસ બીચ ખાતે 10મા શિવસિંધુ મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણના સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી સંજય પંડિત મહારાજ અને ભક્‍તજનો દ્વારા છેલ્લા 9 વર્ષથી શિવસિંધુ કાર્યક્રમમાં માટીના પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરી શાષાોક્‍ત વિધિ-વિધાનથી પૂજા-અર્ચના કરી સમુદ્રમાં વિસર્જન કરવામાં આવશે. આવતી કાલે યોજાનારા શિવસિંધુ મહોત્‍સવમાં 101 કરતા વધુ દંપત્તિઓ ભાગ લેનાર હોવાની જાણકારી મળી રહી છે.
પહેલી વખત મોટી દમણના લાઈટ હાઉસ બીચ ખાતે યોજાનારા શિવસિંધુ મહોત્‍સવમાં સવારે 7:00 વાગ્‍યે અભિષેકના કાર્યક્રમથી મહા શિવરાત્રિની પૂજાનો આરંભ થનાર હોવાની જાણકારી મળી છે.

Related posts

વલસાડ નગરપાલિકા દ્વારા કરાયેલા વેરામાં વધારા સામે નોંધાયેલો વિરોધ

vartmanpravah

વડોદરા રૂરલ સેલ્‍ફ એમ્‍પ્‍લોયમેન્‍ટ ટ્રેનિંગ ઈન્‍સ્‍ટીટયૂટ(આરસેટી) દ્વારા કૌંચા- ખાનવેલમાં વન ધન વિકાસ સ્‍વયં સહાયતા સમૂહના સભ્‍યોને આપવામાં આવેલી રાખડી બનાવવા માટેની એક દિવસીય તાલીમ

vartmanpravah

વાપીની પેપરમિલના ટ્રાન્‍સફોર્મરમાં આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

વલસાડ જિલ્લાના કેટલાક વિસ્‍તારોમાં પર્યાપ્ત વરસાદ પડતા ખેડૂતોએ ડાંગરની રોપણીની શરૂઆત કરી

vartmanpravah

કરજગામ રાયવાડીમાં બોરિંગોમાંથી નીકળતું કલર યુક્‍ત પાણીની સમસ્‍યા યથાવત્‌

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ વાપી ગ્રેટરના હોદ્દેદારોની વરણી થઈ

vartmanpravah

Leave a Comment