April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલના નૈત્ર ચિકિત્‍સા વિભાગે હાંસલ કરી એક વધુ ઉપલબ્‍ધિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17: દાદરા નગર હવેલીની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલના નૈત્ર ચિકિત્‍સા વિભાગની ડો.મનીષા સિંહ કોર્નિયા વિશેષજ્ઞ છે જેમણે ડો.વી.કે.દાસ અને નૈત્ર ચિકિત્‍સા વિષેશજ્ઞ ડો.કોમલ પારીખના માર્ગદર્શન અને સહયોગથી એક 85 વર્ષીય મહિલાની કોર્નિયલ ટ્રાન્‍સપ્‍લાન્‍ટ સર્જરી કરી હતી જે છેલ્લા પંદર વર્ષથી જોવામાં અસમર્થ હતી. શ્રીમતી કમુબેન પટેલ દ્વિપક્ષીય રૂપે આંધળી હતી. જમણી આંખમા કોર્નિયલ અંધતાના કારણે અને ડાબી આંખમાં રેટિનલ અંધતાને કારણે તેઓ કામ કરવામાં અસમર્થ હતી. જ્‍યારે તેઓ શ્રી વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલમાં આવેલ તો જમણી આંખમાં કોર્નિયા પ્રત્‍યારોપણ માટે રજીસ્‍ટ્રેશન કરાવેલ રાષ્ટ્રીય નૈત્રદાન પખવાડા દરમ્‍યાન નૈત્રદાન જાગૃતિ માટે કેટલાક કાર્યક્રમ આયોજીત કરવામાં આવે છે અને સિવિલ હોસ્‍પિટલને નૈત્રદાન પ્રાપ્ત કરવામાં મદદ કરી હતી.
આ દર્દીની સફળકોર્નિયા પ્રત્‍યારોપણ સર્જરી થઈ અને એને દ્રષ્ટિ પ્રાપ્ત થઇ.ે આ પ્રક્રિયા ડેસીમેટની સ્‍ટ્રિપિંગ એડોથેલિયલ કેરેટોપ્‍લાસ્‍ટી હતી. જેમાં કોર્નિયાની ફક્‍ત એક પરતને પ્રત્‍યારોપિત કરવામાં આવી હતી. જેમા આ એક સીવની રહિત અથવા એક સીવની ટેકનીક બની હતી. જેમા કોર્નિયા અસ્‍વીકૃતની સંભાવના ઓછી થઈ ગઈ અને જલ્‍દીથી દ્રશ્‍ય પુનર્વાસ સુનિヘતિ થઈ હતી. આ ટેકનિકમાં સટીકતાની અધિક જરૂરી હોય છે. ઓપરેશન બાદ દર્દીની આંખોમાં ખુશીના આંસુ જોવા મળ્‍યા હતા. કારણકે એને હવે બધુ જ દેખાવા લાગ્‍યુ હતુ. આ સર્જરીની સફળતા માટે નાઈટર ચિકિત્‍સા વિભાગની સાથે નર્સિંગ અને પેરામેડિકલ સ્‍ટાફની પણ મહત્‍વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.

Related posts

ઉમરગામ તાલુકા પંચાયત અને ઉમરગામ પાલિકામાં હોદ્દેદારોની વરણી માટે સેન્‍સ પ્રક્રિયાપૂર્ણ

vartmanpravah

બે બોગસ જન્‍મ પ્રમાણપત્ર રાખવાના પ્રકરણમાં દીવ જિ.પં.ના સભ્‍ય પદેથી ઉમેશ રામા બામણિયાને સસ્‍પેન્‍ડ કરાયા: સંઘપ્રદેશના પંચાયતી રાજ સચિવ ગૌરવ સિંહ રાજાવતે જારી કરેલો આદેશ

vartmanpravah

સાવધાન !! થર્ટી ફસ્‍ટમાં મદીરા પાન કે દારૂ સાથે પકડાશો તો વલસાડ જિલ્લા પોલીસ સ્‍વાગત માટે રેડી

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા સેલવાસ કલેક્‍ટર કચેરીના પરિસરમાં સ્‍થાપવામાં આવેલ દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્‍વ. ઈન્‍દિરા ગાંધીની પ્રતિમાને હટાવાતા કોંગ્રેસે કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

વલસાડના છીપવાડમાં શ્રી કૃષ્‍ણ પ્રણામી જૂના મંદિર ખાતે 10મી માર્ચે આયુષ મેળો યોજાશે

vartmanpravah

એંઠવાડો ઉલેચી કચરો કે પ્લાસ્ટિક ખાતી, રઝળતી અને કત્તલખાને કપાતી ગાયનું રક્ષણ કરવું એ દરેક ભારતીય નાગરિકની ફરજ છે

vartmanpravah

Leave a Comment