August 31, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલના નૈત્ર ચિકિત્‍સા વિભાગે હાંસલ કરી એક વધુ ઉપલબ્‍ધિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17: દાદરા નગર હવેલીની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલના નૈત્ર ચિકિત્‍સા વિભાગની ડો.મનીષા સિંહ કોર્નિયા વિશેષજ્ઞ છે જેમણે ડો.વી.કે.દાસ અને નૈત્ર ચિકિત્‍સા વિષેશજ્ઞ ડો.કોમલ પારીખના માર્ગદર્શન અને સહયોગથી એક 85 વર્ષીય મહિલાની કોર્નિયલ ટ્રાન્‍સપ્‍લાન્‍ટ સર્જરી કરી હતી જે છેલ્લા પંદર વર્ષથી જોવામાં અસમર્થ હતી. શ્રીમતી કમુબેન પટેલ દ્વિપક્ષીય રૂપે આંધળી હતી. જમણી આંખમા કોર્નિયલ અંધતાના કારણે અને ડાબી આંખમાં રેટિનલ અંધતાને કારણે તેઓ કામ કરવામાં અસમર્થ હતી. જ્‍યારે તેઓ શ્રી વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલમાં આવેલ તો જમણી આંખમાં કોર્નિયા પ્રત્‍યારોપણ માટે રજીસ્‍ટ્રેશન કરાવેલ રાષ્ટ્રીય નૈત્રદાન પખવાડા દરમ્‍યાન નૈત્રદાન જાગૃતિ માટે કેટલાક કાર્યક્રમ આયોજીત કરવામાં આવે છે અને સિવિલ હોસ્‍પિટલને નૈત્રદાન પ્રાપ્ત કરવામાં મદદ કરી હતી.
આ દર્દીની સફળકોર્નિયા પ્રત્‍યારોપણ સર્જરી થઈ અને એને દ્રષ્ટિ પ્રાપ્ત થઇ.ે આ પ્રક્રિયા ડેસીમેટની સ્‍ટ્રિપિંગ એડોથેલિયલ કેરેટોપ્‍લાસ્‍ટી હતી. જેમાં કોર્નિયાની ફક્‍ત એક પરતને પ્રત્‍યારોપિત કરવામાં આવી હતી. જેમા આ એક સીવની રહિત અથવા એક સીવની ટેકનીક બની હતી. જેમા કોર્નિયા અસ્‍વીકૃતની સંભાવના ઓછી થઈ ગઈ અને જલ્‍દીથી દ્રશ્‍ય પુનર્વાસ સુનિヘતિ થઈ હતી. આ ટેકનિકમાં સટીકતાની અધિક જરૂરી હોય છે. ઓપરેશન બાદ દર્દીની આંખોમાં ખુશીના આંસુ જોવા મળ્‍યા હતા. કારણકે એને હવે બધુ જ દેખાવા લાગ્‍યુ હતુ. આ સર્જરીની સફળતા માટે નાઈટર ચિકિત્‍સા વિભાગની સાથે નર્સિંગ અને પેરામેડિકલ સ્‍ટાફની પણ મહત્‍વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.

Related posts

દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડની કારોબારી બેઠક નાયબ કલેક્‍ટર મોહિત મિશ્રાની હાજરીમાં સંપન્ન સ્‍કાઉટ ગાઈડ શિક્ષણના સ્‍તરને વેગ આપશેઃ મોહિત મિશ્રા

vartmanpravah

આજે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસને પ્રદેશમાં સેવા દિવસ તરીકે મનાવાશે

vartmanpravah

દાનહઃ સેલવાસમાં 1 ઇંચથી વધુ અને ખાનવેલમાં 21 મિલી વરસાદ વરસ્‍યો

vartmanpravah

દાનહ રોટરી ક્‍લબ દ્વારા બે દિવસીય વુમન્‍સ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો પ્રારંભ કરાયો : કલેક્‍ટર ડો.રાકેશ મિન્‍હાસે કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

નવસારી જિલ્લામાં રાહુલ ગાંધીની સભાને લઈને કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ ચીખલી તાલુકાના ખૂડવેલ અને વાંસદાની લીધેલી મુલાકાત

vartmanpravah

જિલ્લામાં ધો.10ના 33474, ધો.12 સા.પ્ર.ના 14810 અને ધો.12 વિ.પ્ર.ના 7480 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

vartmanpravah

Leave a Comment