September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

શ્રી રામ શોભાયાત્રા ગ્રુપ દમણ દ્વારા આયોજીત હનુમાન ચાલીસાના સમૂહ પઠનથી ગુંજી ઉઠેલું દમણઃ ભક્‍તિમય બનેલું વાતાવરણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26 : ગઈકાલ શનિવારની સાંજે નાની દમણના વડચૌકી બિગ સી ક્રિકેટ મેદાન હનુમાન ચાલીસાના સમૂહ પઠનથી ગુંજી ઉઠયું હતું. શ્રી રામ શોભાયાત્રા ગ્રુપ દમણ દ્વારા આયોજીત સામૂહિક હનુમાન ચાલીસા પઠન કાર્યક્રમમાં લગભગ 800 જેટલા ભાવિક ભક્‍તજનો ઉપસ્‍થિત રહ્યા હતા અને હનુમાન ચાલીસાના પઠનમાં દરેક જોડાતા વાતાવરણ મંત્રમુગ્‍ધ બન્‍યું હતું.
શ્રી હનુમાન ચાલીસાનું પઠન શ્રી ચેતન પંડિત દ્વારા કરાવવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે અખંડાનંદ સરસ્‍વતી મહારાજ શ્રી મહંત જયાનંદ સરસ્‍વતી મહારાજ, શ્રી સંજય મહારાજ, મોટી વાંકડ અંબામાતાના પૂજારી શ્રી જગદીશ મહારાજ, શ્રી સુમંત મહારાજ, ભીમપોર ગૌર મહારાજ શ્રી ચેતન પંડિત, વિશ્વ હિંદુ પરિષદ તથા આર.એસ.એસ. અને ભાજપની પૂરી ટીમ ઉપસ્‍થિત રહી હતી.
શનિવારે આયોજીત શ્રી હનુમાન ચાલીસા પઠન કાર્યક્રમથી સમગ્ર દમણ ભક્‍તિમય બનવા પામ્‍યું હતું.

Related posts

વલસાડમાં તા.27 અને 28 એપ્રિલે વિવિધ કારકિર્દી અંગે કેરિયર ફેર 2024 યોજાશે

vartmanpravah

દમણ અને દીવલોકસભા બેઠક માટે સાંસદ લાલુભાઈ પટેલ પછી કોણ? જાગેલી ઉત્‍સુકતા

vartmanpravah

ડીપીએલમાં શિવશક્‍તિ લાયન્‍સ ટીમનામાલિક અને સોમનાથ-એના જિ.પં.સભ્‍ય રીનાબેન હરીશભાઈ પટેલે ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન કરનાર ખેલાડીને સ્‍પ્‍લેન્‍ડર બાઈકનો આપેલો પુરસ્‍કાર

vartmanpravah

દાનહની શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજમાં વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

vartmanpravah

પ્રધાનમંત્રીશ્રીની દાનહ અને દમણની પ્રસ્‍તાવિત મુલાકાતને યાદગાર અને ઐતિહાસિક બનાવવા સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગના સલાહકાર ડો. વી.કે.દાસે સંભાળેલો મોરચોઃ દાનહના દરેક નાનાં નાનાં ગામ, ફળિયા-પાડામાં પહોંચી રહી છે આરોગ્‍ય વિભાગની ટીમ

vartmanpravah

સંઘપ્રદેશની આગામી 2પ વર્ષની જરૂરીયાતને ધ્‍યાનમાં રાખી રસ્‍તા અને વ્‍યવસ્‍થાને અપાઈ રહેલો ઓપઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment