Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

શ્રી રામ શોભાયાત્રા ગ્રુપ દમણ દ્વારા આયોજીત હનુમાન ચાલીસાના સમૂહ પઠનથી ગુંજી ઉઠેલું દમણઃ ભક્‍તિમય બનેલું વાતાવરણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26 : ગઈકાલ શનિવારની સાંજે નાની દમણના વડચૌકી બિગ સી ક્રિકેટ મેદાન હનુમાન ચાલીસાના સમૂહ પઠનથી ગુંજી ઉઠયું હતું. શ્રી રામ શોભાયાત્રા ગ્રુપ દમણ દ્વારા આયોજીત સામૂહિક હનુમાન ચાલીસા પઠન કાર્યક્રમમાં લગભગ 800 જેટલા ભાવિક ભક્‍તજનો ઉપસ્‍થિત રહ્યા હતા અને હનુમાન ચાલીસાના પઠનમાં દરેક જોડાતા વાતાવરણ મંત્રમુગ્‍ધ બન્‍યું હતું.
શ્રી હનુમાન ચાલીસાનું પઠન શ્રી ચેતન પંડિત દ્વારા કરાવવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે અખંડાનંદ સરસ્‍વતી મહારાજ શ્રી મહંત જયાનંદ સરસ્‍વતી મહારાજ, શ્રી સંજય મહારાજ, મોટી વાંકડ અંબામાતાના પૂજારી શ્રી જગદીશ મહારાજ, શ્રી સુમંત મહારાજ, ભીમપોર ગૌર મહારાજ શ્રી ચેતન પંડિત, વિશ્વ હિંદુ પરિષદ તથા આર.એસ.એસ. અને ભાજપની પૂરી ટીમ ઉપસ્‍થિત રહી હતી.
શનિવારે આયોજીત શ્રી હનુમાન ચાલીસા પઠન કાર્યક્રમથી સમગ્ર દમણ ભક્‍તિમય બનવા પામ્‍યું હતું.

Related posts

સેલવાસનો યુવાન નદીમા ન્‍હાવા જતા ડુબી જતા મોત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.31 સેલવાસનો યુવાન એના મિત્રો સાથે દમણગંગા નદીમા ન્‍હાવા ગયો હતો. તે સમયે ડુબી જતા એનું મોત થયુ હતુ. પ્રાપ્ત વિગત અનુસાર શ્રી અજય પંકજ શર્મા ઉ.વ.22 રહેવાસી પાતલિયા ફળિયા જે બપોરના સમયે ગરમી હોવાને કારણે એના મિત્રો સાથે સર્કીટ હાઉસની આગળ દમણગંગા નદીમાં નહાવા માટે એના મિત્રો સાથે નીકળ્‍યો હતો. પરંતુ તે એના મિત્રો કરતા આગળ જ નદી કિનારે પોહચી ગયો હતો અનેનદીમાં કુદી પડયો હતો. પાછળ આવેલ એમના મિત્રોએ એને નદીમા ડુબતો જોઈને તેઓ પણ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ બચી શકયો ના હતો. આ ઘટના અંગે ફાયર વિભાગ અને પોલીસની ટીમને જાણ કરતા તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી હતી અને ફાયરવિભાગની ટીમે અજયની લાશને શોધી નદીમાંથી બહાર કાઢવામા આવ્‍યો હતો. ત્‍યારબાદ લાશને પીએમ માટે વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામા આવી હતી.

vartmanpravah

વાપી દમણગંગા નદી કિનારે ગણેશ વિસર્જનમાં પર્યાવરણની જાળવણી કરવા 300 છોડનું વિતરણ કરાયું

vartmanpravah

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્‍દ્રભાઈ મોદીની દેશના પ્રધાનમંત્રી બનાવવાનો જુવાળ હતો

vartmanpravah

સલવાવ ગુરુકુળના કપિલ સ્‍વામીને અયોધ્‍યામાં ભગવાન શ્રી રામના મંદિરના પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવમાં મળેલું આમંત્રણ

vartmanpravah

પાલ ગામ સ્‍થિત શાળા ક્રમાંક 319માં કારગીલ વિજય દિવસની ઉજવણી નિમિત્તે વીર વંદના કાર્યક્રમ યોજાયો

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ’ના ઉપક્રમે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા યોજાનારો ‘માતૃ અને વિદ્યાશક્‍તિ સન્‍માન’ સમારંભ

vartmanpravah

Leave a Comment