July 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયાએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની ‘મન કી બાત’ કાર્યક્રમ આંટિયાવાડ મંડળની સાથે સાંભળ્‍યો

બૂથ સશક્‍તિકરણ અભિયાન અંતર્ગતદરેક ઉપસ્‍થિત કાર્યકર્તાઓના મોબાઈલમાં સરલ એપ ડાઉનલોડ કરાવવાની સાથે તેને કેવી રીતે ભરવાની તેની આપવામાં આવેલી સમજ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26 : આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા મહિનાના છેલ્લા રવિવારે પ્રસારિત ‘મન કી બાત’નો કાર્યક્રમ આંટિયાવાડ મંડળમાં મંડળના પ્રમુખ શ્રી અમ્રતભાઈ પટેલ, સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલ, શ્રી જયેશભાઈ પટેલ અને આંટિયાવાડ મંડળના કાર્યકર્તાઓ સાથે દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયા સાંભળ્‍યો હતો.
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા ડિજિટલ ઈન્‍ડિયા અંતર્ગત ઈ-સંજીવની ઓપીડી એપની આપેલી જાણકારી અને તેના વ્‍યાપક ઉપયોગની ચર્ચા પણ થઈ હતી.
આજે ‘મન કી બાત’ કાર્યક્રમની સાથે જ બૂથ સશક્‍તિકરણ અભિયાન અંતર્ગત જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પીભાઈ દમણિયા અને દમણ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રાજીવ ભટ્ટે ઉપસ્‍થિત તમામ કાર્યકર્તાઓને મોબાઈલમાં સરલ એપ ડાઉનલોડ કરાવી હતી અને તેને કેવી રીતે ભરવાની તેની માહિતી આપવામાં આવી હતી. પેજ પ્રમુખથી લઈ બૂથ સમિતિ અને મંડળ સમિતિના ગઠનની વિસ્‍તૃત માહિતી પણ આપવામાં આવી હતી.

Related posts

આંટિયાવાડ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 5માં રાત્રિ ચોપાલનું આયોજન

vartmanpravah

વાપીમાં બેંગ્‍લોર જ્‍વેલરી શોપમાંથી ચોરી કરેલા રૂા.18.59 લાખના દાગીના-રોકડા સાથે એક ઝડપાયો

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા સેલવાસમાં બે ઠેકાણે ગેરકાયદેસરના બાંધકામો તોડી પડાયા

vartmanpravah

યુનેસ્‍કો પ્રેરિત એઆરસી એડટેક સંસ્‍થા દ્વારા શ્રી સ્‍વામિનારાયણ ઈંગ્‍લીશ મીડિયમ સ્‍કૂલને ગ્‍લોબલ સસ્‍ટેનેબિલિટી એવોર્ડ એનાયત કરાયો

vartmanpravah

દાદરામાં આઈશર ટેમ્‍પોએ એક રાહદારી અને એક એક્‍ટિવા ચાલકને અડફેટે લઈ સર્જેલો અકસ્‍માત

vartmanpravah

દાનહઃ દશેરા પર્વએ ગલગોટાના ફૂલોમાં વર્તાયેલી મોંઘવારીની અસર

vartmanpravah

Leave a Comment