(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.26 : ગઈકાલ શનિવારની સાંજે નાની દમણના વડચૌકી બિગ સી ક્રિકેટ મેદાન હનુમાન ચાલીસાના સમૂહ પઠનથી ગુંજી ઉઠયું હતું. શ્રી રામ શોભાયાત્રા ગ્રુપ દમણ દ્વારા આયોજીત સામૂહિક હનુમાન ચાલીસા પઠન કાર્યક્રમમાં લગભગ 800 જેટલા ભાવિક ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને હનુમાન ચાલીસાના પઠનમાં દરેક જોડાતા વાતાવરણ મંત્રમુગ્ધ બન્યું હતું.
શ્રી હનુમાન ચાલીસાનું પઠન શ્રી ચેતન પંડિત દ્વારા કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અખંડાનંદ સરસ્વતી મહારાજ શ્રી મહંત જયાનંદ સરસ્વતી મહારાજ, શ્રી સંજય મહારાજ, મોટી વાંકડ અંબામાતાના પૂજારી શ્રી જગદીશ મહારાજ, શ્રી સુમંત મહારાજ, ભીમપોર ગૌર મહારાજ શ્રી ચેતન પંડિત, વિશ્વ હિંદુ પરિષદ તથા આર.એસ.એસ. અને ભાજપની પૂરી ટીમ ઉપસ્થિત રહી હતી.
શનિવારે આયોજીત શ્રી હનુમાન ચાલીસા પઠન કાર્યક્રમથી સમગ્ર દમણ ભક્તિમય બનવા પામ્યું હતું.