(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.09: વલસાડ જિલ્લાના વાપી શહેરમાં આવેલા હયાત રેલવે ઓવરબ્રિજ રેલવે ચે. 172/16-18 (ડી.એફ.સી.ચે.13+523.289 કી.મી) ને તોડવાનો હોવાથી હયાત બ્રિજ પરના ટ્રાફિકને ડાઈવર્જન આપવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ ક્ષિપ્રા આગ્રએ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 33(1) હેઠળ જાહેરનામું બહાર પાડયું છે. જેમાં જણાવ્યું છે કે, ઉપરોક્ત બ્રિજના ટ્રાફિકમાં મોટા વાહનો બલીઠા ફાટક ઉપરથી અવર જવર કરી શકશે. નાના વાહનો અન્ડર પાસ તથા રેલવે દ્વારા બનાવવામાં આવેલા નવા ફાટક, કબ્રસ્તાન રોડ, કસ્ટમ રોડ ઉપરથી અવર જવર કરી શકશે.
આ બ્રિજને સદંતર બંધ કરવામાં આવનાર છે. જે અંગે કોઈ નાગરિકને વાંધો/સૂચનો/રજૂઆતો હોઈ તો તેમના વાંધા/સૂચનો/રજૂઆતો તા.13 ડિસેમ્બર 2022ના રોજ સાંજના 17.00 કલાક સુધીમાં કલેકટર કચેરી, પ્રથમ માળ, તિથલ રોડ, વલસાડખાતે મોકલી આપવા જણાવાયું છે. ઉપરોક્ત સમય મર્યાદા બહાર આવેલી રજૂઆતો ધ્યાને લેવામાં આવશે નહિ અને હયાત રેલવે બ્રિજના ટ્રાફિકને ડાયવર્ટ કરવા જાહેરનામુ બહાર પાડવામાં આવશે જેની સર્વે નાગરિકોને નોંધ લેવા જાહેરનામામાં જણાવાયુ છે.