September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસમાં ખાટુ શ્‍યામ બાબાનું જાગરણઃ કલાકારોએ શાનદાર પ્રસ્‍તુતિ આપી લોકોન કર્યા મંત્રમુગ્‍ધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05: સેલવાસના ટોકરખાડા સ્‍થિત આદિવાસી ભવન ખાતે ખાટુ શ્‍યામ જાગરણનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે ગાયક કલાકારોએ એકથી એક ચડિયાતા ભજનો પ્રસ્‍તુત કરતા લોકોને ઝૂમવા વિવશ કર્યા હતા.
સેલવાસના શ્રી શ્‍યામ પરિવાર દ્વારા આદિવાસી ભવનમાં આયોજીત ખાટુ શ્‍યામ જાગરણમાં ‘હારે કા સહારા, બાબા શ્‍યામ હમારા’ના જયકારા લગાવતા શ્રદ્ધાળુઓએ કીર્તન કર્યું હતું. આ કાર્યક્રમમાં ગાયક કલાકાર શ્રી રાકેશ દાધીચ, ચાટલીજી અને યશ વીન્‍યાલે ‘કાલી કમલી વાલા મેરા યાર હે, મેરે મન કા મોહન તુ દિલદાર હે’ જેવા ભજનનોની પ્રસ્‍તુતિથી ભક્‍તોને મંત્રમુગ્‍ધ કરી દીધા હતા. આ અવસરે સંઘપ્રદેશ શિવસેના પ્રદેશ પ્રમુખ શ્રી અભિનવ ડેલકર, સાયલીના અગ્રણી શ્રી માધુભાઈ, સામાજીક અગ્રણીવિનિત શ્રી મુન્‍દ્રા, ડો.પંકજ શર્મા સહિત મોટી સંખ્‍યામાં રાજસ્‍થાની સમાજના અગ્રણીઓ મહિલાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

જિલ્લામાં કોમી એકતા અને એખલાસભર્યુ વાતાવરણ જાળવી રાખવા જિલ્લા એકતા સમિતિની રચના કરાઈ

vartmanpravah

દાનહ અને દમણ-દીવના દરેક જિલ્લામાં અનુ.જાતિ મોર્ચા દ્વારા મૌન-ધરણાં યોજાયા

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ફરજ બજાવતા શિક્ષકોની અનિયમિતતાથી બાળકોને પુરતું શિક્ષણ મળતું નથી

vartmanpravah

વલવાડામાં પતિએ કરેલી પત્‍નીની હત્‍યા

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ, સલવાવનું ગૌરવ

vartmanpravah

વલસાડમાં પ્રથમવાર પારનેરા ડુંગર પર રાજ્‍યકક્ષાની આરોહણ – અવરોહણ સ્‍પર્ધા યોજાઈ, 160 સ્‍પર્ધકોએ ઉત્‍સાહભેર ભાગ લીધો

vartmanpravah

Leave a Comment