July 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસમાં ખાટુ શ્‍યામ બાબાનું જાગરણઃ કલાકારોએ શાનદાર પ્રસ્‍તુતિ આપી લોકોન કર્યા મંત્રમુગ્‍ધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05: સેલવાસના ટોકરખાડા સ્‍થિત આદિવાસી ભવન ખાતે ખાટુ શ્‍યામ જાગરણનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે ગાયક કલાકારોએ એકથી એક ચડિયાતા ભજનો પ્રસ્‍તુત કરતા લોકોને ઝૂમવા વિવશ કર્યા હતા.
સેલવાસના શ્રી શ્‍યામ પરિવાર દ્વારા આદિવાસી ભવનમાં આયોજીત ખાટુ શ્‍યામ જાગરણમાં ‘હારે કા સહારા, બાબા શ્‍યામ હમારા’ના જયકારા લગાવતા શ્રદ્ધાળુઓએ કીર્તન કર્યું હતું. આ કાર્યક્રમમાં ગાયક કલાકાર શ્રી રાકેશ દાધીચ, ચાટલીજી અને યશ વીન્‍યાલે ‘કાલી કમલી વાલા મેરા યાર હે, મેરે મન કા મોહન તુ દિલદાર હે’ જેવા ભજનનોની પ્રસ્‍તુતિથી ભક્‍તોને મંત્રમુગ્‍ધ કરી દીધા હતા. આ અવસરે સંઘપ્રદેશ શિવસેના પ્રદેશ પ્રમુખ શ્રી અભિનવ ડેલકર, સાયલીના અગ્રણી શ્રી માધુભાઈ, સામાજીક અગ્રણીવિનિત શ્રી મુન્‍દ્રા, ડો.પંકજ શર્મા સહિત મોટી સંખ્‍યામાં રાજસ્‍થાની સમાજના અગ્રણીઓ મહિલાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપીની જાણીતી બે કંપની યુ.પી.એલ. અને આરતી ઈન્‍ડસ્‍ટ્રીઝ વચ્‍ચે જોઈન્‍ટ વેન્‍ચર આધારિત કરાર કરાયો

vartmanpravah

આરટીઓ કચેરીમાં તા.૧૯મી નવેમ્બરના રોજ મોટર-વાહન પબ્લીકને લગતી તમામ કામગીરી બંધ રહેશે

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ

vartmanpravah

ઉમરગામના પાલી કરમબેલીમાં પ્રાકૃતિક ખેતી તાલીમ યોજાઈ

vartmanpravah

દાનહ અને દમણ-દીવના જિ.પં. તથા ન.પા.ના અધ્‍યક્ષોએ દિલ્‍હી કર્તવ્‍ય પથ ખાતે પ્રદેશની માટી ભરેલા અમૃત કળશનું કરેલું અર્પણ

vartmanpravah

વલસાડ ગુંદલાવમાં માથાભારે સસ્‍પેન્‍ડ જી.આર.ડી. જવાન-મિત્રોએ ટ્રક ડ્રાઈવરને જાહેરમાં ફટકાર્યો

vartmanpravah

Leave a Comment