Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસમાં ખાટુ શ્‍યામ બાબાનું જાગરણઃ કલાકારોએ શાનદાર પ્રસ્‍તુતિ આપી લોકોન કર્યા મંત્રમુગ્‍ધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05: સેલવાસના ટોકરખાડા સ્‍થિત આદિવાસી ભવન ખાતે ખાટુ શ્‍યામ જાગરણનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે ગાયક કલાકારોએ એકથી એક ચડિયાતા ભજનો પ્રસ્‍તુત કરતા લોકોને ઝૂમવા વિવશ કર્યા હતા.
સેલવાસના શ્રી શ્‍યામ પરિવાર દ્વારા આદિવાસી ભવનમાં આયોજીત ખાટુ શ્‍યામ જાગરણમાં ‘હારે કા સહારા, બાબા શ્‍યામ હમારા’ના જયકારા લગાવતા શ્રદ્ધાળુઓએ કીર્તન કર્યું હતું. આ કાર્યક્રમમાં ગાયક કલાકાર શ્રી રાકેશ દાધીચ, ચાટલીજી અને યશ વીન્‍યાલે ‘કાલી કમલી વાલા મેરા યાર હે, મેરે મન કા મોહન તુ દિલદાર હે’ જેવા ભજનનોની પ્રસ્‍તુતિથી ભક્‍તોને મંત્રમુગ્‍ધ કરી દીધા હતા. આ અવસરે સંઘપ્રદેશ શિવસેના પ્રદેશ પ્રમુખ શ્રી અભિનવ ડેલકર, સાયલીના અગ્રણી શ્રી માધુભાઈ, સામાજીક અગ્રણીવિનિત શ્રી મુન્‍દ્રા, ડો.પંકજ શર્મા સહિત મોટી સંખ્‍યામાં રાજસ્‍થાની સમાજના અગ્રણીઓ મહિલાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી દમણમાં નોકરી વાંચ્‍છુ બેરોજગારો માટે યોજાયો રોજગાર મેળોઃ 275ને સ્‍થળ ઉપર જ મળેલી નોકરી

vartmanpravah

વાપીના ઉદ્યોગકારોની વર્ષો જૂની માંગણી સરકારે સ્‍વીકારીઃ નોટીફાઈડ બોર્ડનું પુનઃ ગઠન કરવામાં આવશે

vartmanpravah

દાનહમાં રખોલી પુલ નજીક એક વ્‍યક્‍તિ નદીમાં ફસાઈ જતાં કરાયો રેસ્‍ક્‍યુ

vartmanpravah

સરીગામમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્‍ય ઉજવણી : તમામ આદિવાસી જાતિ એક મંચ પર

vartmanpravah

વાપી સ્‍ટાર્ટઅપ કમ્‍યુનિટી દ્વારા જિલ્લામાં પ્રથમ વાર કોન્‍કલેવ યોજાયો

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ આરોગ્‍ય વિભાગને મળેલી રાષ્‍ટ્રીય સ્‍તરે એક સાથે બે સફળતા

vartmanpravah

Leave a Comment