(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05: સેલવાસના ટોકરખાડા સ્થિત આદિવાસી ભવન ખાતે ખાટુ શ્યામ જાગરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાયક કલાકારોએ એકથી એક ચડિયાતા ભજનો પ્રસ્તુત કરતા લોકોને ઝૂમવા વિવશ કર્યા હતા.
સેલવાસના શ્રી શ્યામ પરિવાર દ્વારા આદિવાસી ભવનમાં આયોજીત ખાટુ શ્યામ જાગરણમાં ‘હારે કા સહારા, બાબા શ્યામ હમારા’ના જયકારા લગાવતા શ્રદ્ધાળુઓએ કીર્તન કર્યું હતું. આ કાર્યક્રમમાં ગાયક કલાકાર શ્રી રાકેશ દાધીચ, ચાટલીજી અને યશ વીન્યાલે ‘કાલી કમલી વાલા મેરા યાર હે, મેરે મન કા મોહન તુ દિલદાર હે’ જેવા ભજનનોની પ્રસ્તુતિથી ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ અવસરે સંઘપ્રદેશ શિવસેના પ્રદેશ પ્રમુખ શ્રી અભિનવ ડેલકર, સાયલીના અગ્રણી શ્રી માધુભાઈ, સામાજીક અગ્રણીવિનિત શ્રી મુન્દ્રા, ડો.પંકજ શર્મા સહિત મોટી સંખ્યામાં રાજસ્થાની સમાજના અગ્રણીઓ મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.