Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

હર ઘર તિરંગાની પ્રેરણા લઈ હર ઘર રક્‍તદાતાના અભિયાન માટે ભારત ભ્રમણ નિકળેલા સાયકલયાત્રીનું વાપીમાં સન્‍માન

પશ્ચિમ બંગાળના સાયકલયાત્રી જયદેવ રાઉતનું લાયન્‍સ બ્‍લડ બેંકમાં સન્‍માન કરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ આઝાદીના 75 વર્ષની ઉજવણીમાં હર ઘર તિરંગાનું આહવાન કર્યું હતું. તેની પ્રેરણા લઈ પશ્ચિમ બંગાળથી હર ઘર રક્‍તદાતાનું અભિયાન માટે ભારત ભ્રમણ સાયકલ યાત્રાએ નિકળેલ સાયકલયાત્રીનું વાપીમાં પુરીબેન પોપટલાખા લાયન્‍સ બ્‍લડ બેંકમાં સન્‍માનકરવામાં આવ્‍યું હતું.
વાપી લાયન્‍સ બ્‍લડ બેંક વર્ષોથી રક્‍તની જરૂરીયાત પુરી પાડવા કાર્યરત છે. શનિવારે રક્‍તદાન અંગે સમાજમાં જાગૃતિ આવે તેવા ઉમદા હેતુસર હર ઘર રક્‍તદાતાના અભિયાન સાથે પશ્ચિમ બંગાળનો સાયકલ યાત્રી જયદેવ રાઉત સાયકલ ઉપર ભારત ભ્રમણે નિકળ્‍યો છે. શનિવારે જયદેવ રાઉત વાપી આવી પહોંચ્‍યો હતો ત્‍યારે બ્‍લડ બેંક મેમ્‍બર કેતન જોષી, વી.આઈ.એ. પ્રમુખ કમલેશ પટેલ અને સ્‍ટાફે ઉષ્‍માભર્યું સ્‍વાગત સન્‍માન કર્યું હતું. આ પ્રસંગે જયદેવ રાઉતે જણાવ્‍યું હતું કે, તે ફેડરેશન ઓફ બ્‍લડ ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્‍ડિયાનો સભ્‍ય અને બ્રાન્‍ડ એમ્‍બેસેડર છે. સંસ્‍થાના સેક્રેટરી અપૂર્વ ઘોષના માર્ગદર્શન હેઠળ દેશભરમાં રક્‍તદાન માટે જનજાગૃતિ માટે સાયકલ પ્રવાસે નિકળ્‍યો છે. હર ઘર રક્‍તદાતા ઉદ્‌ેશ અને મિશન રક્‍તક્રાંતિ હિન્‍દુસ્‍તાન અભિયાન હાથ ધરેલ છે.

Related posts

વલસાડ સરકારી ઈજનેરી કોલેજે રાષ્ટ્રીય કક્ષાએ NIRF Innovation-2023 રેંકીંગમાં મોખરાનું સ્થાન મેળવ્યું

vartmanpravah

ખાનવેલ-સાતમાળીયા પુલના નીચેથી લાશ મળી આવી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ લક્ષદ્વીપની મુલાકાતેઃ અધિકારીઓ સાથેવિકાસલક્ષી પ્રોજેક્‍ટોની ચર્ચા-વિચારણાં

vartmanpravah

વાપી શાકમાર્કેટમાં ડિમોલિશન કાર્યવાહીમાં પથ્‍થરમારો કરનાર 15 આરોપી પૈકી 8ની ધરપકડ

vartmanpravah

દાનહમાં તો વિદ્યુત નિગમ બની ચૂક્‍યું હતું, પણ.. દમણ-દીવનું વિદ્યુત વિભાગ તો સરકારી હોવા છતાં તેનું વેચાણ શક્‍ય ખરું?

vartmanpravah

આજે વલસાડ જિલ્લામાં પંજાબના સી.એમ. અને આપના રાષ્‍ટ્રિય નેતા ભગવંત માનના ત્રણ રોડ શો યોજાશે

vartmanpravah

Leave a Comment