July 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટવલસાડ

નશામુક્‍તિના ઉદ્દેશ્‍ય સાથે 6 હજાર કિમીની દોડ ઉપર નીકળેલા રૂપેશ મકવાણા વલસાડ પહોંચ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.14 : દેશના યુવાનો નશામુક્‍ત થાય, સ્‍પોર્ટ્‍સ પ્રત્‍યે રુચિ વધે અને તણાવમુક્‍ત રહે એ ઉદ્દેશ્‍ય સાથે ‘યુવા બચાઓ દેશ બચાઓ’ અને ‘સેવ ધ અર્થ’ મિશનને લઈને નીકળેલા રૂપેશ મકવાણા 6 હજાર કિમીની દોડ ઉપર નીકળ્‍યા છે. તેઓ 21 ફેબ્રુઆરીએ દિલ્‍હીથી નીકળ્‍યા હતા અને અત્‍યાર સુધી 1210 કીમીની પદયાત્રા પુરી કરી 13 માર્ચે સાંજે 5 વાગ્‍યે વલસાડ પહોંચ્‍યા હતા. સ્‍થાનિક ક્‍લબ સન્‍ડે સ્‍પોર્ટ્‍સ વલસાડની ટીમ દ્વારા એમનું સ્‍વાગત ધરમપુર ચોકડી પર કરવામાં આવ્‍યું હતું અને હોટેલ પ્રીત પેલેસમાં રાત્રી રોકાણની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.
રૂપેશભાઈના જણાવ્‍યા મુજબ તેઓ 99 દિવસમાં 6000 કિમી રનિંગ કરશે. હાલ તેઓ દરરોજ 65-70 કીમીની યાત્રા કરે છે. તેઓ દિલ્‍હીથી જયપુર, અજમેર, અમદાવાદ, સુરત થઈ વલસાડ પહોંચ્‍યા હતા. હવે મહારાષ્‍ટ્ર, ગોવા, કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓરિસ્‍સા, કોલકતા, ઝારખંડ, બિહાર અને ઉત્તરપ્રદેશ થઈ પાછા દિલ્‍હી પહોંચશે. આ દોડ ગિનિસ બૂક ઓફ વર્લ્‍ડ રેકોર્ડમાં પણ નોંધાશે. 14 માર્ચેની વહેલી સવારે રૂપેશભાઈ વાપી તરફ જવા રવાના થશે અને એમનો સાથસન્‍ડે સ્‍પોર્ટ્‍સ ક્‍લબના સભ્‍યો રંનિંગ કરી આપશે.

Related posts

દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા તા. 8મી માર્ચે આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસના ઉપક્રમે યોજાનારી વિશિષ્‍ટ મહિલા ગ્રામ સભા

vartmanpravah

બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટની કામગીરીના કારણે ભીલાડથી સેલવાસ આવતા વાહનો માટે અપાયું ડાયવર્ઝન

vartmanpravah

મનના અંધારાને દૂર કરવાનો તહેવાર એટલે દિવાળીઃ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ: સંઘપ્રદેશના પ્રશાસકશ્રી દ્વારા યોજાયેલો દિપાવલી સ્‍નેહ મિલન સમારંભ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી હવે 2પમી એપ્રિલે સેલવાસ-દમણની મુલાકાતે આવશે

vartmanpravah

શહીદ દિવસ નિમિત્તે ધરમપુર આર.એસ.એસ. આયોજિત રક્તદાન શિબિરમાં ૧૫૬ યુનિટ રક્તા એકત્રિત થયું

vartmanpravah

પિપરિયા પર હુમલો : …અને માતૃભૂમિના એક પ્રદેશ પર લાગેલું વિદેશી સત્તાનું ગ્રહણ દૂર થયું

vartmanpravah

Leave a Comment