June 30, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી હવે 2પમી એપ્રિલે સેલવાસ-દમણની મુલાકાતે આવશે

સેલવાસ-દમણ ખાતે નમો મેડિકલ કોલેજ, સાયલી સ્‍ટેડિયમ, ફલાય ઓવર, દેવકા સી ફ્રન્‍ટ સહિત અનેક પ્રકલ્‍પોના ઉદ્‌ઘાટન અને ભૂમિપૂજન પણ પ્રધાનમંત્રી દ્વારા કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13: પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી સેલવાસ અને દમણની મુલાકાતે આગામી 2પમી એપ્રિલના રોજ આવી રહ્યા હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ છે. પ્રધાનમંત્રીશ્રીની સૂચિત મુલાકાતના પગલે પ્રશાસન પણ સતર્ક બન્‍યું છે.
મળતી માહિતી પ્રમાણે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી સેલવાસમાં નમો મેડિકલ કોલેજ, સાયલી સ્‍ટેડિયમ, ફલાય ઓવર તથા દમણમાં દેવકા સી ફ્રન્‍ટ, પંચાયત ભવનો સહિત અનેક નવા પ્રોજેક્‍ટોનો શુભારંભ અને ભૂમિપૂજન કરાવશે.
17મી એપ્રિલની પ્રધાનમંત્રીશ્રીની સૂચિત સેલવાસ-દમણ યાત્રા મુલત્‍વી રહી હોવાની ખબર વહેતી થતાં લોકો નિરાશ થયા હતા. પરંતુ હવે, નવી તારીખ 2પમી એપ્રિલની જાણકારી મળતા ફરી લોકોમાં પોતાના લોકપ્રિય નેતાને વધાવવા માટે પ્રચંડ ઉત્‍સાહ પેદા થયો છે.
પ્રધાનમંત્રીશ્રીના પ્રવાસની મળેલી માહિતી મુજબ 2પમી એપ્રિલની સાંજે 4.30 કલાકે દમણ એરપોર્ટથી સમી સાંજે દેવકા સી ફ્રન્‍ટ સુધી રોડ શૉ પણ કરશે.
અત્રે યાદ રહેકે, મે-2014માં મોદી સરકારના આગમન બાદ જ ટચુકડા કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના ભાગ્‍યનું ઘડતર થયું છે. જેમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની દિર્ઘદૃષ્‍ટિ અને કઠોર પરિશ્રમના કારણે આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવ સમગ્ર દેશમાં એક મોડેલ પ્રદેશ તરીકે ઉભરી ચૂક્‍યો છે.

Related posts

સેલવાસ શ્રી ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ દ્વારા પિતૃ કૃપાર્થે આયોજીત શ્રીમદ્‌ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનો પ્રારંભ

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશનથી અયોધ્‍યા જવા માટે દમણના યાત્રીઓ સાથે આસ્‍થા સ્‍પેશિયલ ટ્રેન રવાના

vartmanpravah

દમણવાડાની સરકારી હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં ‘‘ભારતીય ભાષા ઉત્‍સવ”નું થયું સમાપનઃ વિદ્યાર્થીઓને ઈનામો વિતરીત કરાયા

vartmanpravah

દાનહના વિદ્યાર્થીઓએ ચેન્નાઈના પટ્ટીપુલમાં ભારતના પહેલા હાઈબ્રીડ રોકેટ લોન્‍ચમાં લીધેલો ભાગ

vartmanpravah

દીવ જિલ્લાની આંગણવાડીઓમાં હવેથી લાભાર્થીઓને બાલશક્‍તિ તેમજ માતૃશક્‍તિ મિશ્રણ આપવામાં આવશે

vartmanpravah

વાંસી-બોરસીમાં પીએમ મિત્ર પાર્ક કાર્યક્રમ માટે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના આગમન પૂર્વે તડામાર તૈયારી, જલાલપોરના ધારાસભ્‍ય આર.સી.પટેલે કર્યુ નિરિક્ષણ

vartmanpravah

Leave a Comment