September 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગઝવા એ હિન્‍દ આતંકી સંગઠન ગતિવિધિનો રેલો વાપીમાં ?: એન.આઈ.એ.નું ગોદાલનગરમાં એક ફલેટમાં સર્ચ ઓપરેશન

બે વ્‍યક્‍તિની પૂછપરછ માટે એન.આઈ.એ.એ કરેલી અટક : હજુ સત્તાવાર પુષ્‍ટી મળીનથી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: ગજવા એ હિન્‍દ આતંકી સંગઠન દિલ્‍હી સહિત દેશમાં આતંકી ગતિવિધિમાં કુખ્‍યાત છે. ગજવા એ હિન્‍દ ગતિવિધિઓના મામલે એન.આઈ.એ. ટીમએ બુધવારે વાપી ગોદાલનગરમાં ધામા નાખ્‍યાના અહેવાલ વહેતા થયા છે. ગોદાલનગર સ્‍થિત એક ફલેટમાં એન.આઈ.એ.એ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું તેમજ પુછપરછ માટે બે વ્‍યક્‍તિની અટક પણ કરવામાં આવી હતી. જો કે હજુ સુધી આ મામલે સત્તાવાર પુષ્‍ટિ જાહેર કરાઈ નથી. પરંતુ પરિવારના સભ્‍યોની એન.આઈ.એ. પુછપરછ કરી રહી હતી.
એન.આઈ.એ.ની વાપી ગોદાલનગરમાં કરાયેલ કાર્યવાહીમાં મળતી પ્રાપ્ત વિગતોમાં 2022માં દિલ્‍હીમાં એક આતંકી ગતિવિધિમાં દાખલ થયેલ કેસ પ્રકરણમાં એન.આઈ.એ.નો તપાસનો રેલો વાપી સુધી પહોંચ્‍યો હોવાનું મનાઈ રહ્યું છે. બુધવારે એન.આઈ.એ.ની ટીમે વાપી ગોદાલનગરના એક ફલેટમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં બે વ્‍યક્‍તિની પુછપરછ માટે અટક કરાઈ હોવાની હકિકતો પ્રકાશમાં આવી છે. વાપીમાં એન.આઈ.એ. ધરેલા સર્ચ ઓપરેશનને લઈ મુદ્દો સમગ્ર જિલ્લામાં ચર્ચાનું કેન્‍દ્ર બની રહ્યો છે.

Related posts

દેશના વડાપ્રધાન તરીકે નરેન્‍દ્રભાઈ મોદીના 8 વર્ષમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે લેવાયેલા મહત્‍વના 8 નિર્ણયો

vartmanpravah

ભાજપ ઓબીસી મોર્ચાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ ડો. કે. લક્ષ્મણને ટ્રોલર બોટની પ્રતિકૃતિ ભેટ આપતા દમણના માછી નેતા વિશાલભાઈ ટંડેલ

vartmanpravah

વલસાડના નાની સરોણ ગામે દિપડાએ કોઢારમાં પ્રવેશી વાછરડીનો શિકાર કરતા ગામમાં ગભરાટ

vartmanpravah

JEE-મેઈનની જુલાઈ-2022ની પરીક્ષા શરૂ: દમણ જિલ્લામાં પ્રથમ દિવસે કુલ 83 વિદ્યાર્થીઓએ આપેલી પરીક્ષા

vartmanpravah

પાલઘર રેલવે સ્‍ટેશન ઉપર મુંબઈ તરફ જતી માલગાડીના ડબ્‍બા ખડી પડતા વાપી રેલવે ફાટકે વાહન ચાલકો અટવાયા

vartmanpravah

સંઘપ્રદેશના નાણાં સચિવ ગૌરવસિંહ રાજાવતને આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણના સચિવની મળેલી પડકારજનક જવાબદારી

vartmanpravah

Leave a Comment