Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના નાણાં સચિવ ગૌરવસિંહ રાજાવતને આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણના સચિવની મળેલી પડકારજનક જવાબદારી

  • સંઘપ્રદેશના પ્રશાસકશ્રીનાસલાહકાર વિકાસ આનંદ હવે શહેરી વિકાસ વિભાગના સચિવની પણ કામગીરી બજાવશે

  • સંઘપ્રદેશ પ્રશાસનમાં આઈ.એ.એસ. અધિકારીઓના વિભાગોમાં કરાયેલો આંશિક ફેરફાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26: સંઘપ્રદેશ પ્રશાસને આજે આઈ.એ.એસ. અધિકારીઓના વિભાગમાં કરેલા આંશિક ફેરફારમાં પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી વિકાસ આનંદને શહેરી વિકાસ વિભાગના સચિવ તરીકેની વધારાની જવાબદારી સુપ્રત કરવામાં આવી છે.
સંઘપ્રદેશના નાણાં સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવતને સસ્‍પેન્‍ડેડ આઈ.એ.એસ. અધિકારી શ્રી એ. ગોપી ક્રિષ્‍ણન્‌ના તમામ ચાર્જો સાથે સ્‍માર્ટ સીટી દીવના સી.એમ.ડી. તરીકેની પણ વધારાની જવાબદારી સુપ્રત કરવામાં આવી છે.
નાણાં સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવત પાસે સંઘપ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ ઉપરાંત મેડિકલ અને પેરામેડિકલ એજ્‍યુકેશન, ફોરેસ્‍ટ એન્‍વાયરોમેન્‍ટ અને વાઈલ્‍ડ લાઈફ તથા ઈન્‍ફોર્મેશન ટેક્‍નોલોજીના સચિવ ઉપરાંત પોલીસ કમ્‍પ્‍લેઈન્‍ટ ઓથોરિટીના ચેરપર્સન તરીકેની પણ વધારાની જવાબદારી સંભાળશે.
સંઘપ્રદેશના જાહેર બાંધકામના સચિવ શ્રી સૌરભ મિશ્રાને દાનહ સ્‍માર્ટ સીટીના સી.એમ.ડી. તરીકેની વધારાની જવાબદારી સુપ્રત કરવામાં આવી છે. જ્‍યારે લક્ષદ્વીપથી બદલી થઈ દમણ આવેલા શ્રી અસગર અલીને લેબરઅને એમ્‍પ્‍લોયમેન્‍ટ વિભાગના સચિવ સહ આયુક્‍ત ઉપરાંત પ્રવાસન વિભાગના વિશેષ સચિવની જવાબદારી પણ આપવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના નાણાં સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવત પાસે આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગના સચિવ તરીકેની મળેલી જવાબદારીને તેઓ ખુબ જ અસરકારક રીતે બજાવશે એવી આશા પ્રબળ બની છે.

Related posts

કપરાડાની અંભેટી પ્રાથમિક અને માધ્‍યમિકશાળાઓમાં નેશનલ હેલ્‍થના મિશન ડાયરેક્‍ટર આઈએએસ રેમ્‍યા મોહનની ઉપસ્‍થિતિમાં શાળા પ્રવેશોત્‍સવ ઉજવાયો

vartmanpravah

વલસાડ જિલ્લાની 326 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 24 ગ્રામ પંચાયતો સમરસ બની

vartmanpravah

સેલવાસ-ખાનવેલ રોડ પર મંથર ગતિએ કામ ચાલતા વાહનચાલકોને વેઠવા પડી રહેલી ભારે હાલાકી

vartmanpravah

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં વાંસોજ ભૂતનાથ મંદિરમાં 12 જ્‍યોર્તિલિંગ દર્શનનું કરાયેલું આયોજન

vartmanpravah

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી): કાચુ મકાનમાં વસવાટ દરમિયાન અનેક સમસ્‍યાઓનો સામનો કરવો પડતો હતો પ્રધાનમંત્રી આવાસ યોજનાથી મારૂ પાકા મકાનનું સ્‍વપ્‍ન પૂર્ણ થયું. દિવ્‍યાંગ હેતલકુમાર પટેલ

vartmanpravah

કમોસમી વરસાદને પગલે વકરેલી બિમારી : ચીખલી તાલુકાના 79 આરોગ્‍ય સેન્‍ટરોમાં 3 દિવસમાં 457 દર્દીઓ નોંધાયા

vartmanpravah

Leave a Comment