Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નગરપાલિકાનું વેરા વસુલાત અભિયાન ટોપ ગેરમાં: સુલપડમાં 150 થી વધુ ચાલી માલિકોને નોટિસ ફટકારાઈ

31મી માર્ચ પહેલાં વેરો ભરપાઈ નહી થાય તો ટાંચ, જપ્તી, વોરન્‍ટની કાર્યવાહી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વાપી નગરપાલિકા દ્વારા વેરા વસુલાતનીકામગીરી હાલમાં ટોપ ગેરમાં ચાલી રહી છે. 31 માર્ચ પહેલાં 100 ટકા વેરા વસુલાતનું અભિયાન ચલાવાઈ રહ્યું છે. આજે વોર્ડ નં.10 સુલપડ વિસ્‍તારના 150 ઉપરાંત ચાલી માલિકોને 31 માર્ચ પહેલાં કાયદેસર વેરો ભરપાઈ કરવાની નોટિસો અપાઈ છે.
વાપી નગરપાલિકા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 31 માર્ચએ પુરુ થાય તે પહેલાં શહેરમાં મિલકત ધારકો પાસે વેરો વસુલાત કરવાનું અભિયાન તેજ કરી દેવાયું છે. તે સંદર્ભમાં આજે સુલપડ વોર્ડ નં.10 વિસ્‍તારના 150 ઉપરાંત ચાલી માલિકોને વેરો ભરી દેવા અંગે નોટિસો ફટકારાઈ છે. તેમજ વેરો સમયસર ભરપાઈ નહી થશે તો મ્‍યુનિસિપલ એક્‍ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી ટાંચ, જપ્તી, વોરન્‍ટ જેવા કાનુની પગલાં લેવામાં આવશે તેવા જાહેર સાઈન બોર્ડ પણ પાલિકા દ્વારા સુલપડ વિસ્‍તારમાં લગાવાયા છે. વર્ષ અંતે 100 ટકા વેરા વસુલાતની કામગીરી પાલિકા પૂર્ણ કરવાનું દૃઢ અભિયાન ચલાવી રહેલ છે. ઉલ્લેખનીય છે કે, સુલપડ વિસ્‍તારમાં રૂમ દીઠ માત્ર 141.00 રૂા. મિલકત વેરો છે તેમ છતાંય ચાલી માલિકો વેરો ભરપાઈ નથી કરી રહ્યા. તેથી પાલિકાએ કાયદેસર પગલાં ભરવાની જાહેર ચિમકી ઉચ્‍ચારી દીધી છે.

Related posts

થર્ટી ફર્સ્ટનો નશો કરેલા 1322નો નશો વલસાડ જિલ્લા પોલીસે ઉતારી દીધો : આજે જામીન ઉપર છૂટશે

vartmanpravah

કલેક્‍ટર ભાનુ પ્રભા અને પોલીસ અધિક્ષક રાજેન્‍દ્ર પ્રસાદ મીનાની અધ્‍યક્ષતામાં  સેલવાસ સચિવાલયના સભાખંડમાં કેન્‍દ્ર સરકારની ‘અગ્નિપથ’ યોજનાને સફળ બનાવવા હેતુ યોજાયેલી બેઠક

vartmanpravah

વાપી ડુંગરી ફળીયામાં આગનું તાંડવ યથાવત: સતત પાંચમા દિવસે આગ: મેજર કોલ જાહેર

vartmanpravah

એસટી બસમાં મુસાફરના સ્‍વાંગમાં દારૂ લઈ જતી આઠ મહિલા અને એક પુરુષની પારડી પોલીસે કરી ધરપકડ

vartmanpravah

ધરમપુર તાલુકાના મરઘમાળ ગામે સાકાર વાંચન કુટીરના સ્‍થાપના દિનની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવે જારી કરેલો આદેશ નાની દમણ સમુદ્ર નારાયણ મંદિર જેટીથી દેવકા પ્રિન્‍સેસ પાર્ક સુધીનો બીચ રોડ વાહન અને રાહદારીઓની અવર-જવર માટે બંધ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 13 નાની દમણના સમુદ્ર નારાયણ મંદિર જેટીથી હોટલ પ્રિન્‍સેસ પાર્ક દેવકા સુધીના રોડને વાહનો તથા રાહદારીઓની અવર-જવર માટે બીજો આદેશ જારી નહીં થાય ત્‍યાં સુધી બંધ કરવાનો આદેશ સીઆરપીસીની 144 કલમ અંતર્ગત દમણના કલેક્‍ટર અને જિલ્લા મેજીસ્‍ટ્રેટ ડોક્‍ટર તપસ્‍યા રાઘવે જારી કર્યો છે. સમુદ્ર નારાયણ મંદિરથી પ્રિન્‍સેસ પાર્ક દેવકા સુધીના બીચ રોડ ઉપર વાહનો અને રાહદારીઓની અવર-જવરના કારણે એજન્‍સી દ્વારા ચાલી રહેલા કામોમાં અવરોધ આવવાની સાથે સલામતિનો પણ પ્રશ્ન ઉપસ્‍થિત થઈ રહ્યો છે, તેથી આ રસ્‍તાને સંપૂર્ણ રીતે અવર-જવર માટેબંધ કરવાનો આદેશ કરવામાં આવ્‍યો છે.

vartmanpravah

Leave a Comment