March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ઝંડાચોક શહિદ સ્‍મારક બચાવવા માટે કોંગ્રેસ દ્વારા કલેક્‍ટરને આવેદન : શૌચાલય બનાવવાનો નિર્ણય રદ્‌ કરો

શહીદ સ્‍મારક પાસે બાંધકામ વિભાગે શૌચાલય બનાવી માનવતા શર્મસાર કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: વાપીમાં બે-ત્રણ દિવસથી ઝંડાચોક શહિદ સ્‍મારક મુદ્દે ભારે વિવાદ અને વિરોધ પ્રવર્તી રહ્યો છે. ઝંડાચોકમાં જાહેર શૌચાલય બનાવીને શહિદ સ્‍મારક અને શહિદોનું અપમાન કર્યું છે તેથી વાપી કોંગ્રેસ દ્વારા આજે મંગળવારે કલેક્‍ટર વલસાડને આવેદન પાઠવી પાલિકા દ્વારા હાથ ધરાયેલ ગતિવિધિઓનો સખ્‍ત વિરોધ કરવામાં આવ્‍યો છે.
તાજેતરમાં વાપી ઝંડાચોક સ્‍મારક પાસે પાલિકા દ્વારા જાહેર મૂતરડી અને શૌચાલય બનાવવામાં આવેલ છે. ઝંડાચોકનું નિર્માણતા.15-11-48માં થયેલું છે. અહીં વીર શહિદ જવાન સ્‍વ.જેઠાભાઈ પટેલ અને સ્‍વ.દત્તાતય બજાજના સ્‍મારકોની સ્‍થાપના થયેલ છે. 26મી જાન્‍યુઆરી અને 15 ઓગસ્‍ટના રોજ આઝાદી કાળથી પ્રતિ વર્ષે ધ્‍વજવંદન આ સ્‍થળે કરવામાં આવે છે. તેવી ઐતિહાસિક ઝંડાચોકની પાસે જ પાલિકા દ્વારા જાહેર શૌચાલય અને મુતરડી ઉભી કરી દેતા શહેરના નાગરિકોમાં રોષ ફેલાયો છે તે ધ્‍યાને લઈ વાપી કોંગ્રેસ દ્વારા આજે કલેક્‍ટર વલસાડને આવેદનપત્ર પાઠવી માંગણી કરાઈ છે કે પાલિકા દ્વારા શૌચાલયનો હૂકમ તાત્‍કાલિક અસરથી રદ્‌ કરવામાં આવે બીજુ તેમ નહી થાય તો જાહેર આંદોલન કરવામાં આવશે. જેમાં જાનમાલ જે નુકશાન થશે તેની જવાબદારી જવાબદાર અધિકારીઓની રહેશે તેવી ચિમકી પણ અપાઈ છે.

Related posts

વાપી ચલા રોયલ લાઈફ સોસાયટીમાં નવનિર્માણ થયેલ શિવજી મંદિરનો ભવ્‍ય પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ સંપન્ન

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં દીવની ઉપલબ્‍ધિનો ઉલ્લેખ કરાતા સમગ્ર સંઘપ્રદેશ ગદ્‌ગદિત

vartmanpravah

દાનહમાં એકપણ કોરોના પોઝિટીવ કેસ નોંધાયો નથી

vartmanpravah

‘સાંસદ આદર્શ ગ્રામ’ કપરાડા તાલુકાના રાહોર ગામના વિકાસ માટે વલસાડ કલેક્‍ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને બેઠક યોજાઈ

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં સમગ્ર સંઘપ્રદેશ સામુહિક યોગમુદ્રાથી શોભાયમાન બન્‍યો

vartmanpravah

દમણની દુણેઠા ગ્રામ પંચાયત છેલ્લા પાંચ વર્ષમાં ત્રીજી વખત જાહેર થયેલી સ્‍વચ્‍છ ગ્રામ પંચાયત

vartmanpravah

Leave a Comment