Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ઝંડાચોક શહિદ સ્‍મારક બચાવવા માટે કોંગ્રેસ દ્વારા કલેક્‍ટરને આવેદન : શૌચાલય બનાવવાનો નિર્ણય રદ્‌ કરો

શહીદ સ્‍મારક પાસે બાંધકામ વિભાગે શૌચાલય બનાવી માનવતા શર્મસાર કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: વાપીમાં બે-ત્રણ દિવસથી ઝંડાચોક શહિદ સ્‍મારક મુદ્દે ભારે વિવાદ અને વિરોધ પ્રવર્તી રહ્યો છે. ઝંડાચોકમાં જાહેર શૌચાલય બનાવીને શહિદ સ્‍મારક અને શહિદોનું અપમાન કર્યું છે તેથી વાપી કોંગ્રેસ દ્વારા આજે મંગળવારે કલેક્‍ટર વલસાડને આવેદન પાઠવી પાલિકા દ્વારા હાથ ધરાયેલ ગતિવિધિઓનો સખ્‍ત વિરોધ કરવામાં આવ્‍યો છે.
તાજેતરમાં વાપી ઝંડાચોક સ્‍મારક પાસે પાલિકા દ્વારા જાહેર મૂતરડી અને શૌચાલય બનાવવામાં આવેલ છે. ઝંડાચોકનું નિર્માણતા.15-11-48માં થયેલું છે. અહીં વીર શહિદ જવાન સ્‍વ.જેઠાભાઈ પટેલ અને સ્‍વ.દત્તાતય બજાજના સ્‍મારકોની સ્‍થાપના થયેલ છે. 26મી જાન્‍યુઆરી અને 15 ઓગસ્‍ટના રોજ આઝાદી કાળથી પ્રતિ વર્ષે ધ્‍વજવંદન આ સ્‍થળે કરવામાં આવે છે. તેવી ઐતિહાસિક ઝંડાચોકની પાસે જ પાલિકા દ્વારા જાહેર શૌચાલય અને મુતરડી ઉભી કરી દેતા શહેરના નાગરિકોમાં રોષ ફેલાયો છે તે ધ્‍યાને લઈ વાપી કોંગ્રેસ દ્વારા આજે કલેક્‍ટર વલસાડને આવેદનપત્ર પાઠવી માંગણી કરાઈ છે કે પાલિકા દ્વારા શૌચાલયનો હૂકમ તાત્‍કાલિક અસરથી રદ્‌ કરવામાં આવે બીજુ તેમ નહી થાય તો જાહેર આંદોલન કરવામાં આવશે. જેમાં જાનમાલ જે નુકશાન થશે તેની જવાબદારી જવાબદાર અધિકારીઓની રહેશે તેવી ચિમકી પણ અપાઈ છે.

Related posts

લાકોટવ ખાતે વિધિવત રીતે પારડી કોર્ટની શરૂઆત

vartmanpravah

દાદરા ચેકપોસ્‍ટથી પોલીસ ચોકી સુધી મુખ્‍ય રસ્‍તાઓ પર વાહનોના આડેધડ પાર્કિંગથી હાલાકી

vartmanpravah

સેલવાસ ન.પા.ના અધ્‍યક્ષ રાકેશસિંહ ચૌહાણે વિવિધ સોસાયટીના રહેવાસીઓને પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા કરેલું આહ્‌વાન

vartmanpravah

આજે કરમબેલી-ભિલાડ વચ્‍ચે આરઓબીના ગડર લોંચ કામગીરીને લઈ કેટલીક ટ્રેન પ્રભાવિત થશે

vartmanpravah

દીવના મહેમાન બનેલા G-20ના પ્રતિનિધિ મંડળે ગુજરાતના ગીરના દેવળિયા લાયન પાર્કની લીધેલી મુલાકાત

vartmanpravah

દમણ એક્‍સાઈઝ વિભાગનું કડૈયા દરિયા કિનારે મધરાતે મોટું ઓપરેશનઃ એક ટેમ્‍પો અને હોડી સહિત મોટા જથ્‍થામાં દારૂની કરેલી જપ્તી

vartmanpravah

Leave a Comment