March 3, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’’ અભિયાન અંતર્ગત દાદરા નગર હવેલીની ગ્રામ પંચાયતોમાં જાહેર સભા અને ગ્રામસભાઓ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.૩૦ : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ- દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સક્ષમ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ‘‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’’ (SHS-૨૦૨૪) ‘‘પ્રકૃતિ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા’’ની થીમ હેઠળ અભિયાન દાનહની તમામ ૨૦ ગ્રામ પંચાયતોમાં જાહેર સભાઓ અને ગ્રામસભાઓનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
દાદરા નગર હવેલીની તમામ ૨૦ ગ્રામ પંચાયતોના જિલ્લા પંચાયત સભ્યો, તમામ સરપંચો, વોર્ડ સભ્યો, ગ્રામ પંચાયતોના પંચાયત મંત્રીઓ, પંચાયતના કર્મચારીઓ અને ગ્રામજનોઍ આ અભિયાનમાં ભાગ લીધો હતો. આ અભિયાન જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી, જિલ્લા વિકાસ અને આયોજન અધિકારી દાદરા નગર હવેલીની ગલોંડા ગ્રામ પંચાયતની ગ્રામસભામાં હાજર રહ્ના હતા. આ સભાઓમાં ઉપસ્થિત જનતાઍ આ અભિયાનને પૂરા દિલથી સમર્થન આપ્યું હતું અને તેમની સહભાગિતાની ખાતરી આપી હતી. આ ઉપરાંત ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓઍ પણ ભાવિ સ્વચ્છતા કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ સુચારૂ રીતે હાથ ધરવા અને ગ્રામ્ય કક્ષાઍ સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ વધારવા અને સ્થાનિક સમુદાયોને સ્વચ્છતા અભિયાનમાં સક્રિયપણે ભાગ લેવા પ્રેરિત કરવા માટે તેમના સૂચનો આપ્યા હતા.
આ બેઠકો દરમિયાન ગ્રામજનોને સ્વચ્છતાને લગતી વિવિધ યોજનાઓ, સ્વચ્છતાનું મહત્ત્વ અને વ્યક્તિગત અને સામૂહિક જવાબદારી વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ ગ્રામ પંચાયતોમાં હાલની સ્વચ્છતાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી અને આગામી સ્વચ્છતા અભિયાન માટે આયોજનો કરવામાં આવ્યા હતા.
આ ઝુંબેશ હેઠળ યોજાયેલી ખુલ્લી મીટીંગો અને ગ્રામસભાઓ માત્ર જાગૃતિ લાવવામાં જ સફળ રહી ન હતી પરંતુ ગ્રામીણ સમુદાયોને સ્વચ્છતા મિશનમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે પણ પ્રેરિત કર્યા હતા.

Related posts

બલીઠા રેલવે ફાટક 16 સપ્‍ટેમ્‍બર સુધી બંધ રહેશે

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં દીવની ઉપલબ્‍ધિનો ઉલ્લેખ કરાતા સમગ્ર સંઘપ્રદેશ ગદ્‌ગદિત

vartmanpravah

વલસાડ રેલવે કોલોનીમાં પોલીસને ધર્માંતરણની માહિતી મળતા કાફલો ધસી ગયો

vartmanpravah

ગુજરાત રાજ્‍યનો મેગા પ્‍લેસમેન્‍ટ કેમ્‍પ ઝોન-4, નોડલ -4 વલસાડ ખાતે 18 માર્ચ 2024ના રોજ જાહેર કરવામાં આવ્‍યો

vartmanpravah

આઝાદીના 75 વર્ષ નિમિતે પારડી વકીલ મંડળો દ્વારા તિરંગા બાઈક રેલી યોજાઈ

vartmanpravah

વલસાડ એસટી વિભાગ દ્વારા દિવાળીના તહેવારો દરમ્‍યાન ગ્રૂપ બુકિંગ હેઠળ એકસ્‍ટ્રા બસોનું સંચાલન કરાશે

vartmanpravah

Leave a Comment