Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચણોદમાં 30મી માર્ચથી પ એપ્રિલ સુધી ભાગવત કથા યોજાશે

કથામાં શ્રીરામ જન્‍મ, નંદ મહોત્‍સવ, ગોવર્ધન પૂજા જેવા પ્રસંગો ઉજવાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: વાપીમાં સ્‍વ. નિર્મલસિંહજી મમુભા જાડેજા પરિવારના સર્વ પિતૃઓના મોક્ષાર્થે આગામી 30મી માર્ચથી 05 એપ્રિલ સુધી શ્રીમદ્‌ ભાગવત કથા સપ્તાહનું આયોજન કરવામાં આવ્‍યું. છે. જેમાં વક્‍તા તરીકે ભાગવતાચાર્ય આશિષભાઈ વ્‍યાસ વ્‍યાસપીઠ પર બેસી કથાનું રસપાન કરાવશે.
મૂળ કચ્‍છના નાગ્રેચાના વતની પરંતુ વાપીનેપોતાની કર્મભૂમિ બનાવનાર ઉદ્યોગપતિ અને જાડેજા પરિવારના સ્‍વ. નિર્મળસિંહ મમુભા જાડેજાની પ્રેરણાથી જાડેજા પરિવાર તરફથી તા.30-4-2023ના રોજથી વાપીના ચણોદ ગેટની સામે આવેલ પ્રણવ પેપરમિલના સ્‍થળે બપોરે 3.30 કલાકે દીપ પ્રાગટયથી કરવામાં આવશે. આ શ્રીમદ્‌ ભાગવત કથામાં આવતા પ્રસંગોમાં પોથીયાત્રા, શ્રીરામ જન્‍મ, નંદ મહોત્‍સવ, ગોવર્ધન પૂજા, રૂકમણી વિવાહ અને અંતમાં દશાંશ તથા હનુમંત યાગ કરવામાં આવશે. આ શ્રીમદ્‌ ભાગવત કથાના મુખ્‍ય અતિથિ તરીકે રાજ્‍યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, ગુજરાત રાજ્‍યના રાજપૂત સંઘના પ્રમુખ પ્રદ્યુમનસિંહજી જાડેજા, લેઉવા પાટીદાર સમાજના પ્રમુખ નાનુભાઈ બાંભરોલીયા, નંદગુણ વસઈના દેવજીભાઈ નંદા, ઓધવ ડેવલોપર્સ ગ્રૂપના અશોકભાઈ મંગે, સાંસદ ડૉ.કે.સી. પટેલ, ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરી, રમણભાઈ પાટકર, પ્રદ્યુમનસિંહ જાડેજા વી.આઈ.એ.ના પ્રમુખ કમલેશભાઈ પટેલ, વાપી પાલિકાના પ્રમુખ કાશ્‍મીરા શાહ તથા સંતોની હાજરી રહેશે.

Related posts

ઉમરગામ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે લલીતાબેન દુમાડા અને ઉપ પ્રમુખ પદે વિલાસભાઈ ઠાકરીયાની બિનહરીફ વરણી

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓનું ગઠન : દિપક પટેલ અને વિપુલ ભૂસારાને મળેલી મહત્‍વની સમિતિ

vartmanpravah

દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકના પ્રશાસન નિયુક્‍ત એડમિનિસ્‍ટ્રેટર કરણજીત વાડોદરિયાના કાર્યકાળમાં બેંકે શરૂ કરેલી પ્રગતિની હરણફાળ

vartmanpravah

આજે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં પારડીમાં યોજાનાર ગરીબ કલ્‍યાણ મેળામાં 35163 લાભાર્થી 81 કરોડની સહાય ચૂકવાશે

vartmanpravah

પારડીના ધારાસભ્‍ય અને નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું રૂા.3,01,022 કરોડનું બજેટ રજૂ કર્યું

vartmanpravah

ગીતા જયંતીના પાવન અવસરે કપરાડાના વાલવેરી ગામે ત્રણ દિવસીય અખિલ ભારતીય મહાનુભાવ સંમેલન યોજાશે

vartmanpravah

Leave a Comment