January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી પાલિકાનું વેરા વસૂલી અભિયાનઃ 27 કોમર્શિયલ મિલકતોને તાળા માર્યા, 3 સોસાયટીના નળ જોડાણ કાપ્‍યા

ત્રણ દિવસમાં રૂા.37.03 લાખની વસૂલાત સાથે કુલ 93.73 ટકા વસૂલાત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: વાપી નગરપાલિકાના ઘરવેરા વિભાગ દ્વારા વેરા વસૂલાતઅભિયાન અંતર્ગત છેલ્લા ત્રણ દિવસમાં લાંબા સમયથી પ્રોપર્ટી ટેક્ષ ના ભરનાર કમર્શિયલ મિલકતોને તાળાં મારવા સાથે 3 સોસાયટીના નળ જોડાણ કાપી રૂા.37.03 લાખની વસૂલાત કરવામાં આવી હતી. ચીફ ઓફિસર શૈલેષભાઈ પટેલના માર્ગદર્શનમાં ઘરવેરા વિભાગના ટેક્ષ સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટ રાકેશ ઠક્કર, ટેક્ષ ઈન્‍સ્‍પેકટર દીપક ચભાડીયા તથા ક્‍લાર્ક શશીકાંતની ટીમે વાપીમાં સહારા માર્કેટમાં 3 દુકાન, આઝાદ કોમ્‍પ્‍લેક્ષમાં 1 ઓફિસ, સરસ્‍વતીનગરના શ્રીજી પેલેસમાં 7 દુકાન, પૃથ્‍વી કોર્નરમાં 1 દુકાન, જલારામ શોપિંગ સેન્‍ટરમાં 3 દુકાન, સ્‍કાયલોનમાં 5 ઓફિસ, ડુંગરા દમણગંગા ઈન્‍ડસ્‍ટ્રીયલમાં 7 દુકાન મળી કુલ 27 કમર્શિયલ મિલકતોને તાળાં મારી રૂા.37.03 લાખની વસૂલાત કરી હતી. તથા પાણી વિભાગના વિનોદ સાળુંકેની ટીમ દ્વારા ચલા વિસ્‍તારમાં ઘરવેરો ના ભરતા વર્ધમાન સોસાયટી, ચારભૂજા એપાર્ટમેન્‍ટ તથા યુનિટીપાર્કના નળ જોડાણ કાપવામાં આવ્‍યા હતા. વાપી પાલિકાએ રૂા.1726.79 લાખના માંગણા સામે અત્‍યાર સુધીમાં રૂા.1618.66 લાખની વસૂલાત કરતાં વસૂલાતની ટકાવારી 93.73 ટકા ઉપર પહોંચી છે. હાલમાં લાંબા સમયથી વેરો ના ભરતા બાકીદારો સામે કાર્યવાહી અંતર્ગત તાળાં મારવાની તથા નળ જોડાણ કાપવાની કાર્યવાહી કરવામાં આવતા બાકીદારો દ્વારા વેરોભરવામાં આવી રહ્યો છે. 31 માર્ચ સુધીમાં બાકી વેરા ના ભરનારની તમામ રકમ ઉપર 12 ટકા વ્‍યાજ ચઢી જશે.

Related posts

પારડી એજ્‍યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજમાં ડે ની ઉજવણી શરૂ કરવામાં આવી

vartmanpravah

મહારાષ્ટ્રના પુણેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CRCSના ડિજિટલ પોર્ટલનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- સહકારી ક્ષેત્રમાં વેપાર કરવો વધુ સરળ બનશે…

Admin

ચીખલીની તથ્‍ય ફાર્મસી કોલેજના કમ્‍પાઉન્‍ડમાંથી ખેરગામની યુવતી ગુમ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી

vartmanpravah

સોનું મેળવવાની લ્‍હાયમાં 90 લાખ જેટલી માતબર રકમ ગુમાવતો વાઘછીપાનો માહ્યાવંશી પરિવાર

vartmanpravah

વાપીમાં લઘુઉદ્યોગ ભારતી મીટિંગ યોજાઈ : એસ.એસ.આઈના વિકાસ અને પ્રશ્નો અંગે ઉદ્યોગપતિ સાથે પરામર્શ કરાયો

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ દ્વારા ભગવાન શ્રી રામની શોભાયાત્રા

vartmanpravah

Leave a Comment