December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી પાલિકાનું વેરા વસૂલી અભિયાનઃ 27 કોમર્શિયલ મિલકતોને તાળા માર્યા, 3 સોસાયટીના નળ જોડાણ કાપ્‍યા

ત્રણ દિવસમાં રૂા.37.03 લાખની વસૂલાત સાથે કુલ 93.73 ટકા વસૂલાત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: વાપી નગરપાલિકાના ઘરવેરા વિભાગ દ્વારા વેરા વસૂલાતઅભિયાન અંતર્ગત છેલ્લા ત્રણ દિવસમાં લાંબા સમયથી પ્રોપર્ટી ટેક્ષ ના ભરનાર કમર્શિયલ મિલકતોને તાળાં મારવા સાથે 3 સોસાયટીના નળ જોડાણ કાપી રૂા.37.03 લાખની વસૂલાત કરવામાં આવી હતી. ચીફ ઓફિસર શૈલેષભાઈ પટેલના માર્ગદર્શનમાં ઘરવેરા વિભાગના ટેક્ષ સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટ રાકેશ ઠક્કર, ટેક્ષ ઈન્‍સ્‍પેકટર દીપક ચભાડીયા તથા ક્‍લાર્ક શશીકાંતની ટીમે વાપીમાં સહારા માર્કેટમાં 3 દુકાન, આઝાદ કોમ્‍પ્‍લેક્ષમાં 1 ઓફિસ, સરસ્‍વતીનગરના શ્રીજી પેલેસમાં 7 દુકાન, પૃથ્‍વી કોર્નરમાં 1 દુકાન, જલારામ શોપિંગ સેન્‍ટરમાં 3 દુકાન, સ્‍કાયલોનમાં 5 ઓફિસ, ડુંગરા દમણગંગા ઈન્‍ડસ્‍ટ્રીયલમાં 7 દુકાન મળી કુલ 27 કમર્શિયલ મિલકતોને તાળાં મારી રૂા.37.03 લાખની વસૂલાત કરી હતી. તથા પાણી વિભાગના વિનોદ સાળુંકેની ટીમ દ્વારા ચલા વિસ્‍તારમાં ઘરવેરો ના ભરતા વર્ધમાન સોસાયટી, ચારભૂજા એપાર્ટમેન્‍ટ તથા યુનિટીપાર્કના નળ જોડાણ કાપવામાં આવ્‍યા હતા. વાપી પાલિકાએ રૂા.1726.79 લાખના માંગણા સામે અત્‍યાર સુધીમાં રૂા.1618.66 લાખની વસૂલાત કરતાં વસૂલાતની ટકાવારી 93.73 ટકા ઉપર પહોંચી છે. હાલમાં લાંબા સમયથી વેરો ના ભરતા બાકીદારો સામે કાર્યવાહી અંતર્ગત તાળાં મારવાની તથા નળ જોડાણ કાપવાની કાર્યવાહી કરવામાં આવતા બાકીદારો દ્વારા વેરોભરવામાં આવી રહ્યો છે. 31 માર્ચ સુધીમાં બાકી વેરા ના ભરનારની તમામ રકમ ઉપર 12 ટકા વ્‍યાજ ચઢી જશે.

Related posts

ગોવાના રાજ્‍યપાલ પી.એસ. શ્રીધરન પિલ્લઈએ સંઘપ્રદેશ થ્રીડી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું કરેલું ભવ્‍ય સ્‍વાગત: દિલ્‍હીના ઉપ રાજ્‍યપાલ વિનય કુમાર સક્‍સેના પણ ઉપસ્‍થિત રહ્યા

vartmanpravah

મહાત્‍મા ગાંધીજીની 150મી જન્‍મ જયંતિ વાળી ડિસ્‍પ્‍લે બોર્ડ પર ભ્રષ્ટાચારનો કાટ સાથે કેટલીક જગ્‍યાએ ગાંધી બાપુની તસ્‍વીર ગાયબ

vartmanpravah

વલસાડ જિલ્લાના 88 ગામોમાં 79.44 કરોડના રસ્‍તાઓનું પ્રધાનમંત્રીશ્રીના હસ્‍તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે

vartmanpravah

‘આદિવાસી એકતા પરિષદ’ દ્વારા આંબોલી ગામથી જનસંપર્ક સંવાદ અને દાનહ જોડો પદયાત્રાની કરાયેલી શરૂઆત

vartmanpravah

મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ અને વી.આઈ.એ. દ્વારા આયોજીત મહારક્‍તદાન શિબિરમાં 541 યુનિટ રક્‍તદાન

vartmanpravah

જિલ્લા કલેક્‍ટર સલોની રાયનાં માર્ગદર્શનમાં દીવમાં ‘રાષ્‍ટ્રીય પોષણ માહ’ની ઉજવણી હેઠળ આંગણવાડી કાર્યકતા બહેનોને ‘ઉપરી આહાર’ અંગે તાલીમ અપાઈ

vartmanpravah

Leave a Comment