કથામાં શ્રીરામ જન્મ, નંદ મહોત્સવ, ગોવર્ધન પૂજા જેવા પ્રસંગો ઉજવાશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.29: વાપીમાં સ્વ. નિર્મલસિંહજી મમુભા જાડેજા પરિવારના સર્વ પિતૃઓના મોક્ષાર્થે આગામી 30મી માર્ચથી 05 એપ્રિલ સુધી શ્રીમદ્ ભાગવત કથા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું. છે. જેમાં વક્તા તરીકે ભાગવતાચાર્ય આશિષભાઈ વ્યાસ વ્યાસપીઠ પર બેસી કથાનું રસપાન કરાવશે.
મૂળ કચ્છના નાગ્રેચાના વતની પરંતુ વાપીનેપોતાની કર્મભૂમિ બનાવનાર ઉદ્યોગપતિ અને જાડેજા પરિવારના સ્વ. નિર્મળસિંહ મમુભા જાડેજાની પ્રેરણાથી જાડેજા પરિવાર તરફથી તા.30-4-2023ના રોજથી વાપીના ચણોદ ગેટની સામે આવેલ પ્રણવ પેપરમિલના સ્થળે બપોરે 3.30 કલાકે દીપ પ્રાગટયથી કરવામાં આવશે. આ શ્રીમદ્ ભાગવત કથામાં આવતા પ્રસંગોમાં પોથીયાત્રા, શ્રીરામ જન્મ, નંદ મહોત્સવ, ગોવર્ધન પૂજા, રૂકમણી વિવાહ અને અંતમાં દશાંશ તથા હનુમંત યાગ કરવામાં આવશે. આ શ્રીમદ્ ભાગવત કથાના મુખ્ય અતિથિ તરીકે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, ગુજરાત રાજ્યના રાજપૂત સંઘના પ્રમુખ પ્રદ્યુમનસિંહજી જાડેજા, લેઉવા પાટીદાર સમાજના પ્રમુખ નાનુભાઈ બાંભરોલીયા, નંદગુણ વસઈના દેવજીભાઈ નંદા, ઓધવ ડેવલોપર્સ ગ્રૂપના અશોકભાઈ મંગે, સાંસદ ડૉ.કે.સી. પટેલ, ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, રમણભાઈ પાટકર, પ્રદ્યુમનસિંહ જાડેજા વી.આઈ.એ.ના પ્રમુખ કમલેશભાઈ પટેલ, વાપી પાલિકાના પ્રમુખ કાશ્મીરા શાહ તથા સંતોની હાજરી રહેશે.