Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકના પ્રશાસન નિયુક્‍ત એડમિનિસ્‍ટ્રેટર કરણજીત વાડોદરિયાના કાર્યકાળમાં બેંકે શરૂ કરેલી પ્રગતિની હરણફાળ

દર વર્ષે ઉત્તરોત્તર નફો વધવા સાથે શેર ભંડોળમાં પણ થઈ રહેલો ઈજાફોઃ વર્તમાન ત્રિમાસિક ગાળામાં બેંકે 4.08 કરોડના નફા સાથે સર્જેલો ઈતિહાસ


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.02 : ધી દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડનું સંચાલન સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા નિયુક્‍ત એડમિનિસ્‍ટ્રેટર શ્રી કરણજીત વાડોદરિયાએ સંભાળ્‍યું ત્‍યારથી આજ સુધી તેમના નેતૃત્‍વમાં બેંક હરણફાળ પ્રગતિ કરી રહી છે અને તેમના બે વર્ષના કાર્યકાળમાં પારદર્શક અને ગતિશીલ વહીવટથી બેંકની કાયાપલટ કરાતા સભાસદો તથા બેંકના માનવંતા ગ્રાહકો અને કર્મચારીઓમાં પણ પ્રસન્નતાની લાગણી જન્‍મી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વર્ષ 2020-21માં દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક દ્વારા રૂા.12 કરોડથી વધુ નફો કરી શેરધારકો તથા ગ્રાહકોનો વિશ્વાસ જીતવા સફળ રહ્યા હતા. જ્‍યારે વર્ષ 2021-22માં 9.50 કરોડનો નફો બેંકે કર્યો હતો. વર્ષ 2022-23ના પહેલાં ત્રિમાસિકમાં પણ છેલ્લા બે વર્ષની જેમ બેંકે નફાકારકતા જાળવી રૂા.2.48 કરોડનો નફો કર્યો હતો, તથા ત્રિમાસિક મૂડીમાં રૂા.56 લાખનો વધારો કરી શેર ભંડોળરૂા.18 કરોડ સુધી લઈ જવા સફળ રહ્યા છે. બીજા ત્રિમાસિકમાં પણ પહેલાં ત્રિમાસિકની જેમ નફાકારકતા જાળવી રૂા.2.75 કરોડનો નફો કર્યો છે અને શેર મૂડીમાં પણ રૂા.43.46 લાખનો વધારો કરાયો છે.
ત્રીજા ત્રિમાસિકમાં પણ બીજા ત્રિમાસિકની જેમ નફાકારકતા જાળવી રૂા.4.08 કરોડનો નફો કર્યો છે જે અત્‍યાર સુધીનો ઐતિહાસિક ત્રિમાસિક નફો છે. તથા ત્રીજા ત્રિમાસિક શેર મૂડીમાં પણ રૂા.1.11 કરોડનો વધારો કરતા શેર ભંડોળ રૂા.19.63 કરોડ સુધી પહોંચી ગયું છે.
બેંકના એડમિનિસ્‍ટ્રેટર શ્રી કરણજીત વાડોદરિયા તથા બેંકની સમર્પિત ટીમના કારણે આજે સહકારી બેંકિંગના ક્ષેત્રે ધી દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકની તુલના આગળ ધપતી બેંક તરીકે થઈ રહી છે.

Related posts

વાપી બગવાડા ટોલ ચેકપોસ્‍ટ ઉપર થયેલા ટોલ વધારા મામલે કેન્‍દ્રીય પરિવહન મંત્રીને રજૂઆત કરાઈ

vartmanpravah

દાનહ-દમણ-દીવમાં અનુ.જાતિ / જનજાતિ વિદ્યાર્થીઓને નવા સત્રથી ફ્રી શિપ કાર્ડની સુવિધા શરૂ કરવા કલેક્‍ટર અને શિક્ષણ સચિવ સમક્ષ ગુલાબ રોહિતે કરેલી માંગ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દિર્ઘદૃષ્‍ટિ અને માર્ગદર્શન હેઠળ સંઘપ્રદેશના ત્રણેય જિલ્લાના જન પ્રતિનિધિઓની ત્રિ-દિવસીય એક્‍સપોઝર વિઝિટ અને ક્ષમતા નિર્માણ કાર્યશાળા સંપન્ન

vartmanpravah

વલસાડ જિલ્લામાં આરટીઓ દ્વારા એક માસમાં નિયમનો ભંગ કરતા 1677 વાહનોને રૂ. 58 લાખનો દંડ ફટકારાયો

vartmanpravah

એન. આર. અગ્રવાલજીની પુણ્‍યતિથિ નિમિતે સરીગામ અને વાપી ખાતે મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પ આયોજન કરાયું : 715 બોટલ રક્‍ત એકત્રિત કરી માનવસેવાનું રજૂ કરેલું દ્રષ્ટાંત

vartmanpravah

લાયન્‍સ કલબ ઓફ વાપી ઈન્‍ટ્રીગેટડ દ્વારા ચાઈલ્‍ડ હુડ કેન્‍સર સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment