November 30, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકના પ્રશાસન નિયુક્‍ત એડમિનિસ્‍ટ્રેટર કરણજીત વાડોદરિયાના કાર્યકાળમાં બેંકે શરૂ કરેલી પ્રગતિની હરણફાળ

દર વર્ષે ઉત્તરોત્તર નફો વધવા સાથે શેર ભંડોળમાં પણ થઈ રહેલો ઈજાફોઃ વર્તમાન ત્રિમાસિક ગાળામાં બેંકે 4.08 કરોડના નફા સાથે સર્જેલો ઈતિહાસ


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.02 : ધી દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડનું સંચાલન સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા નિયુક્‍ત એડમિનિસ્‍ટ્રેટર શ્રી કરણજીત વાડોદરિયાએ સંભાળ્‍યું ત્‍યારથી આજ સુધી તેમના નેતૃત્‍વમાં બેંક હરણફાળ પ્રગતિ કરી રહી છે અને તેમના બે વર્ષના કાર્યકાળમાં પારદર્શક અને ગતિશીલ વહીવટથી બેંકની કાયાપલટ કરાતા સભાસદો તથા બેંકના માનવંતા ગ્રાહકો અને કર્મચારીઓમાં પણ પ્રસન્નતાની લાગણી જન્‍મી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વર્ષ 2020-21માં દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક દ્વારા રૂા.12 કરોડથી વધુ નફો કરી શેરધારકો તથા ગ્રાહકોનો વિશ્વાસ જીતવા સફળ રહ્યા હતા. જ્‍યારે વર્ષ 2021-22માં 9.50 કરોડનો નફો બેંકે કર્યો હતો. વર્ષ 2022-23ના પહેલાં ત્રિમાસિકમાં પણ છેલ્લા બે વર્ષની જેમ બેંકે નફાકારકતા જાળવી રૂા.2.48 કરોડનો નફો કર્યો હતો, તથા ત્રિમાસિક મૂડીમાં રૂા.56 લાખનો વધારો કરી શેર ભંડોળરૂા.18 કરોડ સુધી લઈ જવા સફળ રહ્યા છે. બીજા ત્રિમાસિકમાં પણ પહેલાં ત્રિમાસિકની જેમ નફાકારકતા જાળવી રૂા.2.75 કરોડનો નફો કર્યો છે અને શેર મૂડીમાં પણ રૂા.43.46 લાખનો વધારો કરાયો છે.
ત્રીજા ત્રિમાસિકમાં પણ બીજા ત્રિમાસિકની જેમ નફાકારકતા જાળવી રૂા.4.08 કરોડનો નફો કર્યો છે જે અત્‍યાર સુધીનો ઐતિહાસિક ત્રિમાસિક નફો છે. તથા ત્રીજા ત્રિમાસિક શેર મૂડીમાં પણ રૂા.1.11 કરોડનો વધારો કરતા શેર ભંડોળ રૂા.19.63 કરોડ સુધી પહોંચી ગયું છે.
બેંકના એડમિનિસ્‍ટ્રેટર શ્રી કરણજીત વાડોદરિયા તથા બેંકની સમર્પિત ટીમના કારણે આજે સહકારી બેંકિંગના ક્ષેત્રે ધી દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકની તુલના આગળ ધપતી બેંક તરીકે થઈ રહી છે.

Related posts

દમણ જિ.પં.ની શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ તરીકે વર્ષિકાબેન પટેલની વરણીઃ શિક્ષણ આલમમાં ઉત્‍સાહનું વાતાવરણ

vartmanpravah

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં શૈક્ષણિક પ્રવાસનું આયોજન થયું

vartmanpravah

ટુકવાડામાં હેપ્‍પી નેસ્‍ટ બંગલામાં રહેતી પરિણીતાએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

vartmanpravah

નરોલી ગામે દુષ્‍કર્મ બાદ બાળકીની હત્‍યા કરનાર આરોપીને આજીવન કેદની સજા કરાઈ

vartmanpravah

સલવાવની, શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળના એકેડેમિક કેમ્‍પસ ડિરેક્‍ટર ડો. શૈલેષ વી. લુહારનું ફાર્મસી કાઉન્‍સિલ ઓફ ઈન્‍ડિયા દ્વારા જન ઔષધિ કેન્‍દ્ર માર્ગદર્શક તરીકે નામાંકન થયું

vartmanpravah

રેલવે અને પોસ્‍ટ વિભાગના સંયુક્‍ત સાહસથી ચાલતી પાર્સલ સુવિધા ઉમરગામમાં કાર્યરત કરવા યોજેલ કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment